AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dharoi: ધરોઈ ડેમમાં નવા પાણીની આવક વધી, ત્રણ દરવાજા ખોલાયા, સિઝનમાં બીજી વાર સાબરમતીમાં પાણી છોડાયુ

ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ ફરી એકવાર જામ્યો છે. સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસતા રાહત સર્જાઈ છે. ઉપરવાસ રાજસ્થાન સરદહી વિસ્તારમાં પણ વરસાદ વરસવાને લઈ સાબરમતી નદીમાં નવા પાણીની આવક થઈ છે. સાબરમતી નદીમાં નવા નીર આવવાને લઈ ધરોઈ ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવાની શરુઆત રવિવારે કરવામાં આવી છે.

Dharoi: ધરોઈ ડેમમાં નવા પાણીની આવક વધી, ત્રણ દરવાજા ખોલાયા, સિઝનમાં બીજી વાર સાબરમતીમાં પાણી છોડાયુ
| Updated on: Sep 17, 2023 | 10:18 PM
Share

ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ ફરી એકવાર જામ્યો છે. સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસતા રાહત સર્જાઈ છે. ઉપરવાસ રાજસ્થાન સરદહી વિસ્તારમાં પણ વરસાદ વરસવાને લઈ સાબરમતી નદીમાં નવા પાણીની આવક થઈ છે. સાબરમતી નદીમાં નવા નીર આવવાને લઈ ધરોઈ ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવાની શરુઆત રવિવારે કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Aravalli: મેઘરજમાં બેંકમાંથી પૈસા ઉપાડી નિકળેલ ખાનગી ફાયનાન્સના કર્મચારી પાસેથી 12.60 લાખ તફડાવી શખ્શ ફરાર, જુઓ Video

સવારે 8 કલાકથી સાબરમતી નદીમાં પાણીની આવકમાં ધીરે ધીરે વધારો શરુ થયો હતો. બપોર બાદ આવકમાં નોંધપાત્ર વધારો થયો હતો. જેને લઈ ધરોઈ ડેમમાં જળસ્તરમાં વધારો નોંધાયો હતો. ઉત્તર ગુજરાત અને ઉપરવાસ સરહદી વિસ્તારમાં વરસાદને લઈ સાબરમતી નદી અને તેની ઉપનદીઓમાં પાણીની આવક થઈ હતી, જેને લઈ ધરોઈ ડેમની આવકમાં વધારો થયો હતો.

ધરોઈ ડેમના ત્રણ દરવાજા ખોલાયા

સવારે 8 વાગ્યાના અરસા દરમિયાન સાબરમતી નદીમાં સાડાત્રણસો ક્યુસેક આવકમાં વધારો થતા 2465 ક્યુસેક આવક નોંધાઈ હતી. જે કલાક બાદ એટલે કે 9 વાગ્યાના અરસા દરમિયાન 9861 ક્યુસેક નોંધાઈ હતી. ત્યારબાદ 11 કલાકના અરસા દરમિયાન પાણીની આવક 10, 341 ક્યુસેક થઈ હતી. જેને લઈ 12 કલાકે 2 દરવાજા 0.45 મીટર ખોલવામાં આવ્યા હતા. આમ 4126 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ.

બપોરે એક કલાકે પાણીની આવકમાં વધારો થતા 14,467 ક્યુસેક આવક થઈ હતી. સાંજે 5 વાગ્યાના અરસા દરમિયાન 23,313 ક્યુસેક આવક નોંધાઈ હતી. આમ વધતી આવક સામે 12,972 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યુ હતુ. જોકે સાંજે 7 કલાકે આવકમાં ઘટાડો નોંધાયો હતો. આવક ઘટીને સાંજે 7 વાગે 13,452 નોંધાઈ હતી.

92 ટકા ભરાયો ડેમ

ધરોઈ ડેમ હાલમાં 92 ટકા વધુ ભરાઈ ચુક્યો છે. આમ ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાના ખેડૂતોને માટે રાહત સર્જાઈ છે. ધરોઈ ડેમ માત્ર બે ફુટ થી ઓછા અંતરે મહત્તમ સપાટીથી રહ્યો છે. આમ હવે ડેમ હવે છલકાવાની તૈયારી પર છે. જોકે હાલમાં પાણી છોડવાને લઈ સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ સહિતના નિચાણવાળા વિસ્તારના નદી કાંઠા વિસ્તારને એેલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં વધારે વરસાદને પગલે પાણી નો જથ્થો  વધારે છોડાઈ શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">