Dharoi Dam: ધરોઈ ડેમનો ખોલાયો દરવાજો, સાબરમતી નદીમાં સિઝનનુ પ્રથમવાર પાણી છોડાયુ

Dharoi Dam Water Level Today: જોકે હજુ પણ સાબરમતી નદીમાં આવક નોંધાવવાની સંભાવનાને ધ્યાને રાખીને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં આવેલા ધરોઈના ઉપરવાસ વિસ્તારમાં વરસાદી માહોલની સ્થિતિને જોઈ રુલ લેવલ જાળવવા માટે પાણી નદીમાં છોડવામાં આવ્યુ છે.

Dharoi Dam: ધરોઈ ડેમનો ખોલાયો દરવાજો, સાબરમતી નદીમાં સિઝનનુ પ્રથમવાર પાણી છોડાયુ
Follow Us:
| Updated on: Jul 30, 2023 | 4:02 PM

ધરોઈ ડેમમાં પાણીની આવક વધવાને લઈ 4618 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યુ છે. ધરોઈ ડેમના ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદને પગલે આવકમાં વધારો થવાને લઈ રુલ લેવલથી અડધો ફુટ વધારે જળસપાટી વધી હતી. જોકે હજુ પણ સાબરમતી નદીમાં આવક નોંધાવવાની સંભાવનાને ધ્યાને રાખીને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં આવેલા ધરોઈના ઉપરવાસ વિસ્તારમાં વરસાદી માહોલની સ્થિતિને જોઈ રુલ લેવલ જાળવવા માટે પાણી નદીમાં છોડવામાં આવ્યુ છે.

અગાઉ ધરોઈ ડેમને રુલ લેવલ કરતા એક ફુટ વધારે ભરવા માટે ઉચ્ચ સ્તરેથી નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી ધરોઈ જળાશયનો જળસંગ્રહ વધારે કરી શકાય. જોકે આવકની સ્થિતિ અને તેના વધવાની સંભાવનાને ધ્યાને રાખીને પાણી છોડવામાં આવ્યુ છે. સવારથી બપોર સુધી આવકમાં ઘટાડો રહ્યા બાદ બપોરે 2 કલાકે આવકમાં ફરી વધારો નોંધાયો હતો.

કાંઠા વિસ્તારને સાવચેત કરાયો

સાબરમતી નદીમાં પાણી છોડવાને લઈ કાંઠા વિસ્તારના જિલ્લા અને તાલુકાઓને આ માટે ધરોઈ ડેમ તરફથી સાવચેત કરવામાં આવ્યા છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ જિલ્લાઓ અને કાંઠા વિસ્તારના તાલુકાઓને સાવેચતીના પગલા જાળવવા માટે સૂચના આપવામાં આવી હતી. સાબરમતી નદીમાં હાલમાં ચાર હજાર ક્યુસેક પાણી છોડવામા આવ્યુ છે. આ માટે એક મીટર કરતા વધુ દરવાજો ખોલવામાં આવ્યો છે. ઉપરવાસમાં વરસાદને પગલે પાણીની આવક થવાની સંભાવનાને લઈ પાણી છોડવામાં આવ્યુ છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

ધરોઈ ડેમની જળ સપાટી શનિવારે જ રુલ લેવલને વટાવી ચૂકી હતી. પરંતુ ઉચ્ચ સ્તરેથી ડેમમાં 619 ફુટ પાણીનો જળ સંગ્રહણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યુ હતુ. રવિવારે બપોર સુધીમાં જળ સપાટી 618.53 ફુટ નોંધાઈ હતી. પરંતુ બપોરે 2 કલાકે પાણીની આવક 9 હજાર ક્યુસેક કરતા વધી હતી. આ  દરમિયાન બપોરે 4618 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ. બપોરે ત્રણ વાગ્યાના અરસા દરમિયાન આટલા જ પ્રમાણમાં આવક નોંધાવવાને લઈ આવક સામે એટલી જ જાવક નદીમાં પાણીની કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Sabarkantha: અમદાવાદમાં દિકરાના ઘરે રોકાવા આવેલા ખેડબ્રહ્માના વેપારી પરિવારના ઘરે તસ્કરો ત્રાટક્યા, 15 લાખની ચોરી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">