Dharoi Dam: ધરોઈ ડેમનો ખોલાયો દરવાજો, સાબરમતી નદીમાં સિઝનનુ પ્રથમવાર પાણી છોડાયુ

Dharoi Dam Water Level Today: જોકે હજુ પણ સાબરમતી નદીમાં આવક નોંધાવવાની સંભાવનાને ધ્યાને રાખીને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં આવેલા ધરોઈના ઉપરવાસ વિસ્તારમાં વરસાદી માહોલની સ્થિતિને જોઈ રુલ લેવલ જાળવવા માટે પાણી નદીમાં છોડવામાં આવ્યુ છે.

Dharoi Dam: ધરોઈ ડેમનો ખોલાયો દરવાજો, સાબરમતી નદીમાં સિઝનનુ પ્રથમવાર પાણી છોડાયુ
Follow Us:
| Updated on: Jul 30, 2023 | 4:02 PM

ધરોઈ ડેમમાં પાણીની આવક વધવાને લઈ 4618 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યુ છે. ધરોઈ ડેમના ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદને પગલે આવકમાં વધારો થવાને લઈ રુલ લેવલથી અડધો ફુટ વધારે જળસપાટી વધી હતી. જોકે હજુ પણ સાબરમતી નદીમાં આવક નોંધાવવાની સંભાવનાને ધ્યાને રાખીને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં આવેલા ધરોઈના ઉપરવાસ વિસ્તારમાં વરસાદી માહોલની સ્થિતિને જોઈ રુલ લેવલ જાળવવા માટે પાણી નદીમાં છોડવામાં આવ્યુ છે.

અગાઉ ધરોઈ ડેમને રુલ લેવલ કરતા એક ફુટ વધારે ભરવા માટે ઉચ્ચ સ્તરેથી નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી ધરોઈ જળાશયનો જળસંગ્રહ વધારે કરી શકાય. જોકે આવકની સ્થિતિ અને તેના વધવાની સંભાવનાને ધ્યાને રાખીને પાણી છોડવામાં આવ્યુ છે. સવારથી બપોર સુધી આવકમાં ઘટાડો રહ્યા બાદ બપોરે 2 કલાકે આવકમાં ફરી વધારો નોંધાયો હતો.

કાંઠા વિસ્તારને સાવચેત કરાયો

સાબરમતી નદીમાં પાણી છોડવાને લઈ કાંઠા વિસ્તારના જિલ્લા અને તાલુકાઓને આ માટે ધરોઈ ડેમ તરફથી સાવચેત કરવામાં આવ્યા છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ જિલ્લાઓ અને કાંઠા વિસ્તારના તાલુકાઓને સાવેચતીના પગલા જાળવવા માટે સૂચના આપવામાં આવી હતી. સાબરમતી નદીમાં હાલમાં ચાર હજાર ક્યુસેક પાણી છોડવામા આવ્યુ છે. આ માટે એક મીટર કરતા વધુ દરવાજો ખોલવામાં આવ્યો છે. ઉપરવાસમાં વરસાદને પગલે પાણીની આવક થવાની સંભાવનાને લઈ પાણી છોડવામાં આવ્યુ છે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

ધરોઈ ડેમની જળ સપાટી શનિવારે જ રુલ લેવલને વટાવી ચૂકી હતી. પરંતુ ઉચ્ચ સ્તરેથી ડેમમાં 619 ફુટ પાણીનો જળ સંગ્રહણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યુ હતુ. રવિવારે બપોર સુધીમાં જળ સપાટી 618.53 ફુટ નોંધાઈ હતી. પરંતુ બપોરે 2 કલાકે પાણીની આવક 9 હજાર ક્યુસેક કરતા વધી હતી. આ  દરમિયાન બપોરે 4618 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ. બપોરે ત્રણ વાગ્યાના અરસા દરમિયાન આટલા જ પ્રમાણમાં આવક નોંધાવવાને લઈ આવક સામે એટલી જ જાવક નદીમાં પાણીની કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Sabarkantha: અમદાવાદમાં દિકરાના ઘરે રોકાવા આવેલા ખેડબ્રહ્માના વેપારી પરિવારના ઘરે તસ્કરો ત્રાટક્યા, 15 લાખની ચોરી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">