Dwarka : આતંકવાદી હુમલાના એલર્ટના પગલે જગત મંદિર દ્વારકાની સુરક્ષામાં વધારો, થ્રી લેયર સુરક્ષા ગોઠવાઈ

ગુજરાતમાં દ્વારકાધિશ મંદિર, ગોમતીઘાટ, સુદામાસેતુ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન પર તેમજ શહેરના ભીડભાડ વાળી જગ્યામાં પોલીસ દ્વારા ખાસ નજર રખાઈ રહી છે. ત્યારે મંદિર દ્વારકા ખાતે પણ સુરક્ષામાં વધારો કરી દેવાયો છે

Dwarka : આતંકવાદી હુમલાના એલર્ટના પગલે જગત મંદિર દ્વારકાની સુરક્ષામાં વધારો, થ્રી લેયર સુરક્ષા ગોઠવાઈ
dwarkadhish templeImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2022 | 10:37 PM

આંતકવાદી સંગઠન અલકાયદા દ્વારા ગુજરાતમાં (Gujarat) હુમલાની ધમકીના પગલે સમગ્ર ગુજરાત હાઈ એલર્ટ( High Alert) પર હોઈ ત્યારે દ્વારકા(Dwarka)ખાતે આવેલ દ્વારકાધીશ જગત મંદિરની સુરક્ષામાં પણ વધારો કરાયો હતો.દ્વારકા જિલ્લો કે જે 3 તરફથી સમુદ્ર સાથે ઘેરાયેલો હોઈ જે સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વ પૂર્ણ ગણાય છે અહી જગ વિખ્યાત દ્વારકાધીશ મંદિર આવ્યુ હોવાથી દર રોજ હજારોની સંખ્યામાં યાત્રાળુ સમગ્ર દેશમાંથી આવતા હોય ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ આ જિલ્લો ખૂબજ મહત્વ પૂર્ણ ગણવામાં આવે છે.ત્યારે આતંકવાદી હુમલાની દેહશતના પગલે દ્વારકા જિલ્લાના તમામ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા એન્ટ્રી કરતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

તો દ્વારકાધિશ મંદિર, ગોમતીઘાટ, સુદામાસેતુ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન પર તેમજ શહેરના ભીડભાડ વાળી જગ્યામાં પોલીસ દ્વારા ખાસ નજર રખાઈ રહી છે. ત્યારે મંદિર દ્વારકા ખાતે પણ સુરક્ષામાં વધારો કરી દેવાયો છે તો અહી આવતા તમામ લોકોને ચેકીંગ કર્યા બાદ જ મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસને ચેતવણી આપી

ઉલ્લેખનીય છે  કે, ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા અને પાર્ટીના નેતા નવીન જિંદાલની પયગંબર મુહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને દેશના જુદા જુદા ભાગોમાંથી હિંસાની અનેક ઘટનાઓ નોંધાઈ છે. તેને જોતા શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસને એક નિવેદન જાહેર કર્યું છે. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેઓએ તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસને ચેતવણી મોકલી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

જાણી જોઈને દેશમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ

ગૃહ મંત્રાલયના અધિકારીએ કહ્યું, “દેશમાં શાંતિને ખલેલ પહોંચાડવાના ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવશે, તેથી અમે રાજ્યોમાં તૈનાત પોલીસકર્મીઓને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સાવચેત રહેવા કહ્યું છે.” ગૃહ મંત્રાલયે કહ્યું છે કે જો જરૂર પડશે તો અર્ધલશ્કરી દળને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવશે. પોલીસ કોઈપણ અપ્રિય પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહે.”

ગૃહ મંત્રાલયે સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરવા પણ કહ્યું છે

ભડકાઉ ભાષણો આપતા તત્વો પર નજર રાખવા માટે ગૃહ મંત્રાલય દ્વારા ઘણી સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે રાજ્ય પોલીસને હિંસા અને ઉશ્કેરણીજનક ભાષણોના લાઈવ વીડિયો પોસ્ટ કરનારા લોકોની ઓળખ કરવા જણાવ્યું છે. આવા લોકો સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને સાવચેતીનાં પગલાં લેવા, સરહદો પર નજર રાખવા અને સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરવા પણ કહ્યું છે.

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">