AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધર્મનગરી દ્વારકા રાજકીય મુદે સ્ટાર્ટર પોઈન્ટ, અનેક વખત રાજકીય પક્ષોએ પોતાના કાર્યક્રમની શરુઆત અહીંથી કરી છે

યાત્રાધામ દ્વારકા એ રાજકીય પક્ષો માટે સ્ટાર્ટર પોઈન્ટ સમાન બન્યુ છે. અત્યાર સુધીમાં અનેક રાજકીય પક્ષોએ પોતાના રાજકીય કાર્યકમોની શરૂઆત આહીંથી કરી છે, અત્યારે અહી કોંગ્રેસની ચિંતિત શિબિર ચાલી રહી છે

ધર્મનગરી દ્વારકા રાજકીય મુદે સ્ટાર્ટર પોઈન્ટ, અનેક વખત રાજકીય પક્ષોએ પોતાના કાર્યક્રમની શરુઆત અહીંથી કરી છે
Dharmanagiri Dwarka is a starter point on political issues
Divyesh Vayeda
| Edited By: | Updated on: Feb 26, 2022 | 12:03 PM
Share

યાત્રાધામ દ્વારકા એ રાજકીય પક્ષો માટે સ્ટાર્ટર પોઈન્ટ (starter point) સમાન બન્યુ છે. અત્યાર સુધીમાં અનેક રાજકીય પક્ષો (political parties) એ પોતાના રાજકીય કાર્યકમો ની શરૂઆત આહીંથી કરી છે. હાલ દ્વારકામાં ત્રણ દિવસીય ગુજરાત કોંગ્રેસની ચિંતન ચાલી રહી છે. જે કોંગ્રેસના રાજયભરના નેતા સાથે કોંગ્રેસ યુવા નેતા રાહુલ ગાંધીની પણ ખાસ હાજરી છે. ગુજરાતની વિધાનસભાની ચુંટણી પહેલા કોંગ્રેસે ચિંતિત શિબિર કરવા માટે પણ ધર્મનગરી દ્વારકાની પસંદગી કરી. અને જે કાર્યકમ પહેલા ભગવાન દ્વારકાધીશના આર્શીવાદ મેળવ્યા.

2022ની ચુંટણી (Election) કોંગ્રેસ (Congress) પક્ષ માટે ખુબ પડકારદાયક બની રહેશે. ગુજરાત કોંગ્રેસમાં એક એક સિપાઈઓ સેનામાંથી દુર થઈ રહયા છે. અને સામાપક્ષમાં જોડાઈ રહ્યા છે. આ વખતે ચુંટણીમાં સારા પરીણામો મેળવવા માટે હાલથી કવાયત શરૂ કરી છે. જેની શરૂઆત માટે દ્રારકાનગરી પસંદગી કરી. રાજયભરના કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો અંહી હાજર રહ્યા અને 35-35ના ગ્રુપમાં વિવિધ વિષય પર કુલ 12 જેટલા મુદાઓ પર ચર્ચા કરવામાં આવી.

અગાઉ પણ રાજકીય પક્ષોએ શરૂઆત દ્વારકાથી કરી હતી

યાત્રાધામ દ્વારકાએ રાજકારણના સ્ટાટીંગ પોઈન્ટ માનવામાં આવે છે. દ્વારકાનગરી ધાર્મિકનગરી તો છે જ સાથે ભગવાન શ્રીકૃષ્ણની કર્મભુમિ છે. અને માનવામાં આવે છે. ભગવાને કૃષ્ણએ વર્ષો સુધી અંહી રાજા તરીકે વસવાટ કર્યો. અને રાજ કર્યુ સાથે દ્રારકાથી જ રાજકારણની શરૂઆત કરી હતી. અને બાદ અનેક રાજકીય પક્ષોએ પોતાના રાજકીય અને કાર્યકમોની શરૂ કરવા માટે દ્રારકાની પસંદગી કરી છે. આ અગાઉ ભાજપે ચુંટણી પહેલા કરેલા વિજય વિશ્વાસ સમેલનની શરૂઆત પણ દ્રારકાથી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રમોદીએ પોતાના સદભાવના ઉપવાસની શરૂઆત પણ દ્રારાથી કરી હતી. 2006માં એ.કે.અડવાણી પોતાની એકતા યાત્રાની શરૂઆત દ્રારકાનગરીથી કરી હતી. અને કોંગ્રેસે આ અગાઉ ભુતકાળમાં પણ પોતના મંથન શિબીરની શરૂઆત દ્રારકાથી કરી હતી. થોડા વર્ષો પહેલા રાહુલગાંધીએ ગુજરાતનો રાજકીય પ્રવાસથી શરૂઆત પણ દ્વારકાથી જ કરી હતી. રાજકીય પક્ષો દ્રારા આ પ્રકારના રાજકીય કાર્યકમો દ્રારકામાં ભુતકાળમાં અનેક વખત યોજાયા છે. 2017માં યાત્રાધામ દ્રારકામાં ભાજપ ત્રિદિવસીય પ્રશિક્ષિણ શિબીર યોજી હતી. મીશન 2017ની ચુંટણીની લડાઈ સર કરવા માટેની શરૂઆત દ્વારકાથી કરી હતી. ચારેય યુગમાં દ્રારકાનગરીનુ અસ્તિત્વ રહ્યુ છે. આ નગરી જ નીતી શીખાડે છે. ભગવાને પણ અંહીથી રાજનીતી શરૂ કરી હતી. રાજાઓને પણ રાજનીતી શીખાડી હતી.

ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારકાનગરીને પોતાની કર્મભુમિ બનાવી હતી. ત્યારથી દ્રારકાનગરી ધર્મની સાથે રાજનીતી માટેનુ સ્ટાર્ટિંગ પોઈન્ટ બન્યુ છે. આ દેશના નકશામાં પશ્ચિમનુ આખરૂ છોડમાં દ્વારકાનગરી વસી છે. પરંતુ રાજનીતીના પાઠ શરૂ કરવા માટે તેની પ્રથમ પસંદગી થઈ રહી છે.

Follow Us
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
g clip-path="url(#clip0_868_265)">