દિવાળી પર્વે દ્વારકામાં શ્રદ્ધાળુઓની ભીડ, મંદિરને શણગારવામાં આવ્યું

દ્વારકાના સુદામાસેતુ, ગોમતીઘાટ સહિતના દરિયાકાંઠે પણ પ્રવાસીઓ આનંદ માણતા જોવા મળ્યાં. જ્યારે બજારોમાં પણ ખરીદી જોવા મળતાં વેપારીઓ ખુશખુશાલ થઈ ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 9:40 PM

દિવાળી પર્વે(Diwali)દ્વારકામાં(Dwarka)શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પ્રભુના દર્શન કરવા પહોંચ્યા છે. ભગવાન દ્વારકાધીશના ધ્વજારોહણમાં ભક્તોની(Devotees)ભીડ જોવા મળી તો દિવાળી પર્વે હોટલોમાં સારૂ બુકિંગ નોંધાયું. દ્વારકાના સુદામાસેતુ, ગોમતીઘાટ સહિતના દરિયાકાંઠે પણ પ્રવાસીઓ આનંદ માણતા જોવા મળ્યાં. જ્યારે બજારોમાં પણ ખરીદી જોવા મળતાં વેપારીઓ ખુશખુશાલ થઈ ગયા છે. દિવાળીએ દ્વારકાધીશના વિશેષ શણગારના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

દિવાળીના તહેવારો નિમિત્તે દ્વારકાધીશના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.. દિવાળી પર્વને લઈ દ્વારકાધીશના મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે.. જે રાત્રિ દરમિયાન નયનરમ્ય લાગે છે.. તો બીજીતરફ દિવસભર શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શન માટે લાઈન લગાવે છે.. અનેક ભક્તો સોના-ચાંદીની ભેટ પણ અર્પણ કરી રહ્યા છે..આજે દ્વારકાધીશના એક ભક્તે 300 ગ્રામ સોનાનો હીરાજડીત હાર અર્પણ કર્યો છે.. જ્યારે અન્ય એક ભક્તે 150 ગ્રામ સોનાનો હીરાજડીત હાર અર્પણ કર્યો છે.. શ્રીજીને 1200 ગ્રામ ચાંદીનો થાળ પણ અર્પણ કરવામાં આવ્યો છે.

આજે મહાપર્વ દિવાળીનો(Diwali)તહેવાર છે.દેશભરમાં પ્રકાશના પાવન પર્વ દિવાળીના તહેવારની ઉજવણી થઈ રહી છે.ત્યારે રાજ્યભરમાં મંદિરોમાં(Temple)ભક્તોની ભીડ જોવા મળી રહી છે.મહેસાણામાં પ્રખ્યાત બહુચરાજી મંદિરમાં(Bahucharaji) માતાજીને સોનાનો થાળ(Golden Thal)ધરાવવામાં આવ્યો.

દિવાળી નિમિત્તે મા બહુચરાજીને સોનાની થાળી, વાટકા અને ચમસીમાં રાજભોગ ધરાવવામાં આવ્યો.આ તરફ યાત્રાધામ ડાકોર મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે.ડાકોર મંદિરમાં પાંચ દિવસનો ઉત્સવ મનાવવામાં આવે છે. દિવાળી પર્વે દ્વારકામાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પ્રભુના દર્શન કરવા પહોંચ્યા

આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ નૂતન વર્ષનો પ્રારંભ પંચદેવ મંદિરમાં દર્શનથી કરશે, ભદ્રકાળી માતાના દર્શન પણ કરશે

આ પણ વાંચો : વડોદરામાં દિવાળીના રોજ સ્વામિનારાયણ મંદિરમાં સામૂહિક ચોપડા પૂજન યોજાયું

 

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">