Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devbhoomi Dwarka : કોંગ્રેસની ચિંતિન શિબિરમાં રાહુલ ગાંધીના પક્ષપલટુઓ પર પ્રહારો, કહ્યું કે ગુજરાત કોંગ્રેસને બચાવવા 25-30 લોકોની જ જરૂર

રાહુલ ગાંધીએ (Rahul Gandhi)પોતાના પ્રવચનમાં કોરોના મહામારીને લઈ સરકાર પર પ્રહાર કર્યા હતા. આ મામલે રાહુલ ગાંધીએ કહ્યું કે , વિકાસ મોડેલ તરીકે ભલે ગુજરાતની વાત થતી હોય. પરંતુ કોરોના મહામારીમાં ગુજરાતમાં અસંખ્ય લોકોના મોત થયા છે.

Devbhoomi Dwarka : કોંગ્રેસની ચિંતિન શિબિરમાં રાહુલ ગાંધીના પક્ષપલટુઓ પર પ્રહારો, કહ્યું કે ગુજરાત કોંગ્રેસને બચાવવા 25-30 લોકોની જ જરૂર
Devbhoomi Dwarka: Attacks on Rahul Gandhi's defectors in Congress' Chintin Shibir
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 4:04 PM

Devbhoomi Dwarka  ખાતે કોંગ્રેસની (Congress) ત્રણ દિવસની ચિંતન શિબિર (Chintan Shibir) ચાલી રહી છે. જેનો આજે બીજો દિવસ છે. બીજા દિવસની ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીએ(Rahul Gandhi) હાજરી આપી. ચિંતન શિબિર પહેલા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. આ સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ પક્ષપલટું તેઓ પર કટાક્ષરૂપી વાગ્બાણ ચલાવ્યા હતા.

તમારે સત્ય સાથે રહેવું છેકે જુઠ્ઠ સાથે તે તમારા હાથમાં છે : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પોતાના પ્રવચનમાં ગાંધીજીને યાદ કર્યા હતા. રાહુલે કહ્યું કે, ગાંધીજી અને અન્ય નેતાઓમાં ખુબ મોટું અંતર હતું. મારા દાદા ગાંધીજી સાંથે જોડાયેલા હતા. ગુજરાત પાસે ગાંધીજીના વિચારો છે. ગાંધીજીનો વિચાર ક્યાં સુધી પહોચ્ચા એ તમને ખબર નથી. તમારે સચ્ચાઇની લડાઇ લડવી હોય તો ચારથી પાંચ લોકોની જરૂર પડશે. તેમણે કહ્યું હતું કે, તમારે સચ્ચાઇની લડાઇ લડવી છે કે જુઠ્ઠની એ તમારા હાથમાં છે.

અક્ષયનું કમબેક પાક્કાપાયે, કેસરી -2 હિટ થશે એના મુખ્ય 5 કારણો
વિરાટ કોહલીના ફોટાથી ઈંગ્લેન્ડ ક્રિકેટ કરી રહ્યું છે કમાણી !
પાકિસ્તાનમાં કેવી રીતે થાય છે છૂટાછેડા ?
શું આપણે ઉનાળામાં કાચું લસણ ખાઈ શકીએ?
બોલિવૂડની ટ્રેજેડી ક્વીન 36ની ઉંમરે જ દુનિયાને કહી ચૂકી છે 'અલવિદા'
1076 દિવસ પછી પરત ફરેલા ખેલાડીએ IPLમાં ધમાકો કર્યો

રાહુલ ગાંધીએ કોંગ્રેસને પાંડવ અને પક્ષપલટું નેતાઓને કૌરવ ગણાવ્યા

આગામી વિધાનસભા ચૂંટણી અંગે પણ રાહુલ ગાંધી (Rahul Gandhi) બોલવાનું ચુક્યા ન હતા. આ મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે કે, 2022ની આવનારી ચૂંટણી કોઈ સમસ્યા છે જ નહી, આ ચૂંટણી આપણે જીતી ચૂક્યા છીએ. સમસ્યા એ છે કે તમે તે માની નથી શકતા, તમે અહી લડો છો એટલે મોદી સામે થોડો આત્મવિશ્વાસ ઓછો છે. તેમણે ભાજપનું નામ લીધા વગર ભગવાન કૃષ્ણનું ઉદાહરણ આપીને પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસ નેતાઓની પાંડવો અને કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા નેતાઓની સરખામણી કૌરવો સાથે કરી હતી. અને કહ્યું હતું કે ભગવાન કૃષ્ણ સત્ય સાથે હતા અને તેમની સેના જૂઠની સાથે હતી. આજે પણ તેમની પાસે સેનારૂપે ED, CBI, મીડિયા તમામ છે, આપણી પાસે કશું જ નથી.

કોરોનામાં ગુજરાત મોડેલ અસફળ રહ્યું : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ (Rahul Gandhi)પોતાના પ્રવચનમાં કોરોના મહામારીને લઈ સરકાર પર પ્રહાર કર્યા હતા. આ મામલે રાહુલ ગાંધીએ કહ્યું કે , વિકાસ મોડેલ તરીકે ભલે ગુજરાતની વાત થતી હોય. પરંતુ કોરોના મહામારીમાં ગુજરાતમાં અસંખ્ય લોકોના મોત થયા છે. કોરોના મહામારીના સમયમાં ગુજરાત મોડેલમાં બેડ અને ઑક્સિજન સિલિન્ડરનો અભાવ જોવા મળ્યો હતો. ગુજરાત રાજયની ખરી તાકાત નાના અને મધ્યમ ઉદ્યોગો છે, આ તાકાતને નરેન્દ્ર મોદીએ તોડી નાંખી છે. અત્યારે ચારથી પાંચ લોકો જ ગુજરાતની સત્તા ચલાવે છે.

આ પણ વાંચો : વડોદરા : ગરીબ કલ્યાણ મેળામાં 11,355 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ રૂપિયા 247 કરોડથી વધુ રકમની સહાય

આ પણ વાંચો : Gandhinagar: આજે યુક્રેનથી એક ફ્લાઈટ દિલ્હી આપવશે જેમાં 44 ગુજરાતી વિદ્યાર્થી હશે: રાજેન્દ્ર ત્રિવેદી

અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">