Devbhoomi Dwarka : કોંગ્રેસની ચિંતિન શિબિરમાં રાહુલ ગાંધીના પક્ષપલટુઓ પર પ્રહારો, કહ્યું કે ગુજરાત કોંગ્રેસને બચાવવા 25-30 લોકોની જ જરૂર

રાહુલ ગાંધીએ (Rahul Gandhi)પોતાના પ્રવચનમાં કોરોના મહામારીને લઈ સરકાર પર પ્રહાર કર્યા હતા. આ મામલે રાહુલ ગાંધીએ કહ્યું કે , વિકાસ મોડેલ તરીકે ભલે ગુજરાતની વાત થતી હોય. પરંતુ કોરોના મહામારીમાં ગુજરાતમાં અસંખ્ય લોકોના મોત થયા છે.

Devbhoomi Dwarka : કોંગ્રેસની ચિંતિન શિબિરમાં રાહુલ ગાંધીના પક્ષપલટુઓ પર પ્રહારો, કહ્યું કે ગુજરાત કોંગ્રેસને બચાવવા 25-30 લોકોની જ જરૂર
Devbhoomi Dwarka: Attacks on Rahul Gandhi's defectors in Congress' Chintin Shibir
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 4:04 PM

Devbhoomi Dwarka  ખાતે કોંગ્રેસની (Congress) ત્રણ દિવસની ચિંતન શિબિર (Chintan Shibir) ચાલી રહી છે. જેનો આજે બીજો દિવસ છે. બીજા દિવસની ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીએ(Rahul Gandhi) હાજરી આપી. ચિંતન શિબિર પહેલા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. આ સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ પક્ષપલટું તેઓ પર કટાક્ષરૂપી વાગ્બાણ ચલાવ્યા હતા.

તમારે સત્ય સાથે રહેવું છેકે જુઠ્ઠ સાથે તે તમારા હાથમાં છે : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પોતાના પ્રવચનમાં ગાંધીજીને યાદ કર્યા હતા. રાહુલે કહ્યું કે, ગાંધીજી અને અન્ય નેતાઓમાં ખુબ મોટું અંતર હતું. મારા દાદા ગાંધીજી સાંથે જોડાયેલા હતા. ગુજરાત પાસે ગાંધીજીના વિચારો છે. ગાંધીજીનો વિચાર ક્યાં સુધી પહોચ્ચા એ તમને ખબર નથી. તમારે સચ્ચાઇની લડાઇ લડવી હોય તો ચારથી પાંચ લોકોની જરૂર પડશે. તેમણે કહ્યું હતું કે, તમારે સચ્ચાઇની લડાઇ લડવી છે કે જુઠ્ઠની એ તમારા હાથમાં છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

રાહુલ ગાંધીએ કોંગ્રેસને પાંડવ અને પક્ષપલટું નેતાઓને કૌરવ ગણાવ્યા

આગામી વિધાનસભા ચૂંટણી અંગે પણ રાહુલ ગાંધી (Rahul Gandhi) બોલવાનું ચુક્યા ન હતા. આ મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે કે, 2022ની આવનારી ચૂંટણી કોઈ સમસ્યા છે જ નહી, આ ચૂંટણી આપણે જીતી ચૂક્યા છીએ. સમસ્યા એ છે કે તમે તે માની નથી શકતા, તમે અહી લડો છો એટલે મોદી સામે થોડો આત્મવિશ્વાસ ઓછો છે. તેમણે ભાજપનું નામ લીધા વગર ભગવાન કૃષ્ણનું ઉદાહરણ આપીને પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસ નેતાઓની પાંડવો અને કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા નેતાઓની સરખામણી કૌરવો સાથે કરી હતી. અને કહ્યું હતું કે ભગવાન કૃષ્ણ સત્ય સાથે હતા અને તેમની સેના જૂઠની સાથે હતી. આજે પણ તેમની પાસે સેનારૂપે ED, CBI, મીડિયા તમામ છે, આપણી પાસે કશું જ નથી.

કોરોનામાં ગુજરાત મોડેલ અસફળ રહ્યું : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ (Rahul Gandhi)પોતાના પ્રવચનમાં કોરોના મહામારીને લઈ સરકાર પર પ્રહાર કર્યા હતા. આ મામલે રાહુલ ગાંધીએ કહ્યું કે , વિકાસ મોડેલ તરીકે ભલે ગુજરાતની વાત થતી હોય. પરંતુ કોરોના મહામારીમાં ગુજરાતમાં અસંખ્ય લોકોના મોત થયા છે. કોરોના મહામારીના સમયમાં ગુજરાત મોડેલમાં બેડ અને ઑક્સિજન સિલિન્ડરનો અભાવ જોવા મળ્યો હતો. ગુજરાત રાજયની ખરી તાકાત નાના અને મધ્યમ ઉદ્યોગો છે, આ તાકાતને નરેન્દ્ર મોદીએ તોડી નાંખી છે. અત્યારે ચારથી પાંચ લોકો જ ગુજરાતની સત્તા ચલાવે છે.

આ પણ વાંચો : વડોદરા : ગરીબ કલ્યાણ મેળામાં 11,355 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ રૂપિયા 247 કરોડથી વધુ રકમની સહાય

આ પણ વાંચો : Gandhinagar: આજે યુક્રેનથી એક ફ્લાઈટ દિલ્હી આપવશે જેમાં 44 ગુજરાતી વિદ્યાર્થી હશે: રાજેન્દ્ર ત્રિવેદી

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">