AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dang: સોળે કળાએ ખિલેલા સૌંદર્યને માણવા ઉમટ્યા સહેલાણીઓ, સાપુતારામાં 30 જૂલાઇથી મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન

આગામી 30 જુલાઇથી સાપુતારામાં  (Monsoon Festival) મોનસૂન ફેસ્ટિવલનું આયોજન થવા જઇ રહ્યું છે. જે એક મહિના સુધી ચાલશે આ ફેસ્ટિવલને મેઘમલ્હાર નામ આપવામાં આવ્યું છે. જેનો શુભારંભ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે.

Dang: સોળે કળાએ ખિલેલા સૌંદર્યને માણવા ઉમટ્યા સહેલાણીઓ, સાપુતારામાં 30 જૂલાઇથી મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન
 Tourists flocked to enjoy the beauty 
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 6:54 PM
Share

ગુજરાતનું ગિરિમથક સાપુતારાનું (Saputara) સૌંદર્યં સોળે કળાએ ખીલે છે ત્યારે આ સિઝનમાં પર્યટકોને વધારે પ્રમાણમાં આકર્ષી શકાય તે માટે મોન્સૂન ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવશે. જોકે તે પહેલા પણ હાલમાં સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. સાપુતારમાં હાલમાં ઠેર ઠેર લીલી વનરાજી અને ઠેર ઠેરથી વહેતા ધોધ જોવા મળી રહ્યા છે. ડાંગ જિલ્લાના સાપુતારા, વઘઈ, આહવા, સુબિરમાં પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. શહેરી જીવનની ભાગદોડભરી જીવનશૈલીથી વિરામ લેવા લોકો અવનવી જગ્યાએ પ્રવાસનો આનંદ માણતા હોય છે.

ગુજરાતમાં ખાસ કરીને ડાંગ-સાપુતારામાં ચોમાસાની ઋતુ દરમિયાન દેશના ખૂણેખૂણાથી પ્રકૃતિનું સૌંદર્ય માણવા લાખોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટતા હોય છે. ત્યારે આગામી 30 જુલાઇથી સાપુતારામાં  (Monsoon Festival) મોનસૂન ફેસ્ટિવલનું આયોજન થવા જઇ રહ્યું છે. જે એક મહિના સુધી ચાલશે આ ફેસ્ટિવલને મેઘમલ્હાર નામ આપવામાં આવ્યું છે. જેનો શુભારંભ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે. ત્યારે ગુજરાત પ્રવાસન વિભાગના એમડી આઈએસેસ આલોક પાંડેએ સાપુતારાની મુલાકાત લઇ ફેસ્ટિવલને લગતી તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમજ નવસારીના ઐતિહાસિક દાંડી સ્મારકની પણ મુલાકાત લીધી હતી

આ પણ વાંચો

સ્થિતિ સામાન્ય બનતા ઉમટ્યા પ્રવાસીઓ

ભારે વરસાદને સાપુતારા જતા માર્ગ ઉપર ભેખળો ધસી પડતા પ્રવાસીઓ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જોકે હવે સ્થિતિ સામાન્ય થતા લોકો ડાંગના કુદરતી સૌંદર્યને માણવા દૂરદૂરથી અહીંયા પહોંચી રહ્યા છે. ગીરાધોધ પણ તેના અસલ મિજાજમાં આવી જતા પ્રવાસીઓનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે ત્યારે આવા સમયે ગુજરાત પ્રવાસન વિભાગના એમડી આઈએસેસ આલોક પાંડે સાપુતારા ખાતે ચાલતા વિકાસના કામોની સમીક્ષા કરી હતી અને દર વર્ષે ચોમાસામાં પ્રવાસીઓને આકર્ષવામાટે યોજાતા મોનસૂન ફેસ્ટિબલ માટે તૈયારી પણ જોઈ હતી.

એમડી પાંડે એ જણાવ્યું હતું કે શ્રાવણ માસના પ્રારંભમાં 30 જુલાઈથી સાપુતારા ખાતે મુખ્યમંત્રીના હસ્તે એક માસ માટે મોનસૂન ફેસ્ટિવલનો પ્રારંભ થશે આ વખતે મોનસૂન ફેસ્ટિવલ 2022 ને “મેઘમલ્હાર ફેસ્ટિવલ” નામ આપવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સાપુતારા ખાતે સામાન્ય વર્ગના લોકો માટે બનવવામાં આવેલ વિસામો જેના ઉપર હોટેલ લેકવ્યૂના સંચાલકે કબ્જો કર્યો હતો, તે કેસ સુપ્રીમ કોર્ટમાં જીતી જતા હવે સાપુતારામાં બસ દ્વારા જતા લોકોને સસ્તા દરે રહેવા માટે સુવિધા  પણ ઉપલબ્ધ થશે.

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">