Dang: જિલ્લામાં જનજાતિ સુરક્ષા મંચ દ્વારા ડી-લિસ્ટિંગ મુદ્દે વિશાળ રેલી અને જાહેરસભા યોજાઈ

ડાંગ (Dang) જિલ્લામાં 40 ટકા વસ્તી ખ્રિસ્તી સમાજની છે. ત્યારે હિન્દૂ ધર્મ છોડી ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મ અપનાવનાર લોકોને આ રેલી દ્વારા જાણે એક પ્રકારની ચીમકી આપવામાં આવી છે.

Dang: જિલ્લામાં જનજાતિ સુરક્ષા મંચ દ્વારા ડી-લિસ્ટિંગ મુદ્દે વિશાળ રેલી અને જાહેરસભા યોજાઈ
A huge rally and public meeting was held in the Dang on the issue of de-listing by Janajati Suraksha Manch
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 5:17 PM

દેશમાં ધાર્મિક ઉત્સવો દરમિયાન હિંસાના બનાવો સામે આવી રહ્યા છે. આવા સમયે ડાંગમાં (Dang) જનજાતિ સુરક્ષા મંચ દ્વારા ડી-લિસ્ટિંગની (De-listing) માગ સાથે રેલીનું (Rally) આયોજન કરવામાં આવ્યું હતું. જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આયોજિત કાર્યક્રમનો મુખ્ય મુદ્દો ધર્માંતરણ (Conversion) કરનાર લોકોને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી બહાર કાઢવાનો છે. ડાંગના મુખ્ય મથક આહવામાં રંગઉપવન ખાતે આદિવાસી સમાજ દ્વારા હાથમાં પ્લેકાર્ડ સાથે જય શ્રી રામના નારા સાથે મોટી રેલી યોજવામાં આવી. સાથે જ એક જનસભા પણ સંબોધવામાં આવી. જનજાતિ સુરક્ષા મંચની માગ છે કે હિન્દૂ ધર્મ છોડી ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મ અપનાવનાર લોકોને કોઈ પણ પ્રકારના સરકારી લાભ ન મળે એ માટે ધર્મથી વિમુખ થયેલા આદિવાસીઓને અનુસૂચિત જનજાતિમાંથી બહાર કાઢવામાં આવે.

હાલમાં અચાનક ફરી ધર્માંતરણના મુદ્દા ઉઠી રહ્યા છે, ત્યારે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા ડી-લિસ્ટિંગની માગ ઉઠી છે. ડાંગ જિલ્લામાં 40 ટકા વસ્તી ખ્રિસ્તી સમાજની છે. ત્યારે હિન્દૂ ધર્મ છોડી ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મ અપનાવનાર લોકોને આ રેલી દ્વારા જાણે એક પ્રકારની ચીમકી આપવામાં આવી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

મંચ ઉપરથી ઉગ્ર ભાષણ

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના દક્ષિણ ગુજરાતના સંયોજક વસંત ગામીતે ધર્મ પરિવર્તન કરી જનારા લોકોને મંચ ઉપરથી ચેતવણી આપતા કહ્યું હતું કે, હજુ સમય છે મૂળ સંસ્કૃતિ અને મૂળ ધર્મને અપનાવી લેજો નહિતર ડી-લિસ્ટિંગનો કાયદો બની જશે તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો.

પોતાના પરિવારના સારા ભવિષ્ય માટે ઘરવાપસી જરૂરી

ડાંગ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સુમનબેન દળવીએ લોકોને સંબોધતા કહ્યું હતું કે આપણા પૂર્વજો હિન્દૂ હતા એટલે આપણા બાળકોના ભવિષ્ય માટે સમજી વિચારીને ફરી સનાતન ધર્મમાં આવી જાવ નહીં તો તમને મળતા લાભો બંધ થઈ જશે.

આ પણ વાંચો: Surat : વારંવાર નાપાસ થતી યુનિવર્સિટી : નવી શિક્ષણ નીતિનો અમલ કર્યો પણ વિદ્યાર્થીઓને રસ નથી

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીની બનાસકાંઠાની મુલાકાત પહેલાં ત્રણ લેયરમાં સુરક્ષા ગોઠવાઈ, 5000 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ ખડેપગે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">