AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Jahangirpuri violence: હિંસાના મુખ્ય આરોપીઓની પાસે BMW સહિત ઘણી લગ્ઝરી ગાડીઓ, પહેલા કરતો હતો ભંગારનો વેપાર

દિલ્હી પોલીસે કહ્યું "સોનુ ઉર્ફે ઈમામ ઉર્ફે યુનુસ, વાદળી કુર્તામાં 28 વર્ષીય વ્યક્તિ, જેનો વીડિયો 16 એપ્રિલે દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હિંસા દરમિયાન કથિત રીતે ફાયરિંગ કરવા બદલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, તેની ધરપકડ કરવામાં આવી છે."

Delhi Jahangirpuri violence: હિંસાના મુખ્ય આરોપીઓની પાસે BMW સહિત ઘણી લગ્ઝરી ગાડીઓ, પહેલા કરતો હતો ભંગારનો વેપાર
accused of Jahangirpuri violence were presented in the court.
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 12:37 PM
Share

હનુમાન જયંતિના (Hanuman Jyanti) અવસર પર જહાંગીરપુરી હિંસામાં (Jahangirpuri Violence) અત્યાર સુધીમાં 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે હિંસા દરમિયાન ગોળીબાર કરનાર એક વ્યક્તિની પણ ધરપકડ કરી છે. જહાંગીરપુરીમાં હિંસા બાદ 17 એપ્રિલે સોશિયલ મીડિયા પર હુમલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો, જેમાં વાદળી કુર્તા પહેરેલ એક વ્યક્તિ ફાયરિંગ કરી રહ્યો હતો. જેની ઓળખ સોનુ શેખ તરીકે થઈ છે અને પોલીસે તેની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે સોનુના ભાઈને પહેલા જ કસ્ટડીમાં લઈ લીધો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુખ્ય આરોપીઓ પાસે હાઈ એન્ડ BMW સહિત અન્ય ઘણી લક્ઝરી કાર છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ બંને મુખ્ય આરોપીઓ પશ્ચિમ બંગાળના હલ્દિયા જિલ્લાના રહેવાસી છે. સોનુ અને અંસાર સમૃદ્ધ છે.

ભંગારના ધંધામાંથી મિલકત ભેગી કરી

રિપોર્ટ અનુસાર બંને આરોપીઓ પશ્ચિમ બંગાળના વતની છે અને હલ્દિયા જિલ્લાના રહેવાસી છે. બંને આરોપીઓ હાલ દિલ્હીમાં રહે છે. અહેવાલ મુજબ સોનુ અને અંસાર સમૃદ્ધ પૃષ્ઠભૂમિમાંથી આવે છે, જે તેઓએ ભંગારનો વ્યવસાય ચલાવીને મેળવ્યો છે. જણાવી દઈએ કે જહાંગીરપુરીમાં હિંસા કેસમાં સોનુ નામના વ્યક્તિ પર હિંસા દરમિયાન ફાયરિંગ કરવાનો આરોપ છે. સોનુ ગોળીબાર કરતો એક વીડિયો પણ વાયરલ થયો હતો. આરોપી સોનુના ઘણા નામ જણાવવામાં આવી રહ્યા છે. તેને સોનુ શેખ, સોનુ ચિકના, ઈમામ અને યુનુસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

દિલ્હી પોલીસે કહ્યું “સોનુ ઉર્ફે ઈમામ ઉર્ફે યુનુસ, વાદળી કુર્તામાં 28 વર્ષીય વ્યક્તિ, જેનો વીડિયો 16 એપ્રિલે દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હિંસા દરમિયાન કથિત રીતે ફાયરિંગ કરવા બદલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, તેની ધરપકડ કરવામાં આવી છે.”

જહાંગીરપુરી હિંસા કેસમાં 5 લોકોની ધરપકડ

દિલ્હી પોલીસે 16 એપ્રિલે જહાંગીરપુરી હિંસા મામલે એક જ પરિવારના પાંચ લોકોની અને એક સગીરની ધરપકડ કરી છે. આ ઘટનાના સંબંધમાં અત્યાર સુધીમાં કુલ 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બે સગીરોની ધરપકડ કરવામાં આવી છે. જહાંગીરપુરી હિંસા કેસમાં આઠ પોલીસ કર્મચારીઓ અને એક નાગરિક સહિત નવ લોકો ઘાયલ થયા હતા.

સોમવારે જહાંગીરપુરી વિસ્તારમાં હિંસાના 48 કલાકની અંદર, વિસ્તારમાં ફરીથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ખરેખર, પોલીસ હિંસા દરમિયાન ફાયરિંગ કરનાર આરોપી સોનુ શેખની ધરપકડ કરવા ગઈ હતી. આ દરમિયાન સોનુ શેઠના પડોશીઓએ પોલીસ ટીમ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ પછી આ વિસ્તારમાં ફરી એકવાર સ્થિતિ તંગ બની ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે પોલીસે હવે સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દીધો છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Blast in Kabul: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સ્કૂલ પાસે વિસ્ફોટ, 6 લોકોના મોત

આ પણ વાંચો: રાજકોટ બાદ મોરેશિયસના PM આજે અમદાવાદની મુલાકાતે, એરપોર્ટથી હાંસોલ સુધી રોડ શો યોજશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">