VIDEO: દ્વારકામાં ‘વાયુ’ સંકટને પગલે પ્રવાસીઓને દ્વારકા છોડવા તંત્રની સૂચના
દ્વારકામાં વાયુ વાવાઝોડાના તોળાતા સંકટને પગલે યાત્રાળુઓને પરત ફરવા સૂચન કરી દેવાયું છે. અરબી સમુદ્રમાં વધતા જતા કરંટને લઈ દ્વારકાના સુદામા સેતુ અને પંચકુઈ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. જેથી યાત્રાળુઓ ઘરે પરત ફરી રહ્યા છે. આ પણ વાંચો: VIDEO: ‘વાયુ’ વાવાઝોડાને પગલે આર્મી એક્શનમાં, આર્મીના 40 જવાનો પહોંચ્યા પોરબંદર તંત્ર દ્વારા તમામ […]
દ્વારકામાં વાયુ વાવાઝોડાના તોળાતા સંકટને પગલે યાત્રાળુઓને પરત ફરવા સૂચન કરી દેવાયું છે. અરબી સમુદ્રમાં વધતા જતા કરંટને લઈ દ્વારકાના સુદામા સેતુ અને પંચકુઈ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. જેથી યાત્રાળુઓ ઘરે પરત ફરી રહ્યા છે.
આ પણ વાંચો: VIDEO: ‘વાયુ’ વાવાઝોડાને પગલે આર્મી એક્શનમાં, આર્મીના 40 જવાનો પહોંચ્યા પોરબંદર
તંત્ર દ્વારા તમામ પ્રવાસીએને દ્વારકા છોડવા સૂચના આપવામાં આવી છે. આ કામગીરી માટે હોટલ એસોસિએશનની પણ મદદ લેવામાં આવી છે. સાંજ સુધીમાં વિસ્તાર છોડવા માટે પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

