AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Tauktae Update : નવસારીના વાવાઝોડાની અસર યથાવત, જનજીવન અસ્તવ્યસ્ત

Charmi Katira
| Edited By: | Updated on: May 18, 2021 | 10:12 AM
Share

નવસારી જિલ્લાના દરિયાકાંઠા પર વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે અને દરિયામાં મહાકાય મોજા ઉછળી રહ્યા છે વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે.

Cyclone Tauktae Update : ‘તાઉ તે’ વાવાઝોડું રાત્રીના 9 વાગ્યે ઊના પાસે 150-175 કીમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડુ ટકરાયું. જાફરાબાદ અને પીપાવાવમાં 185 કીમી પ્રતિ કલાકની ઝડપ નોંધાઈ છે. દક્ષિણ ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.

નવસારી જિલ્લાના દરિયાકાંઠા પર વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે અને દરિયામાં મહાકાય મોજા ઉછળી રહ્યા છે વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ચાર કલાકથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં વીજળી ગુલ થઇ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાના બનાવો પણ બન્યા છે, જેને લઇને જનજીવન થોડુંક અસ્ત-વ્યસ્ત બન્યું છે.

નવસારી જિલ્લામાં આવતા વાવાઝોડાને લઈને ભારે પવન સાથે વરસાદ વર્ષી રહ્યો છે. દરિયામાં કરંટ સાથે ઉંચા મોજાઓ ઉછળી રહ્યા છે. જોકે તંત્ર આ તાઉ તે વાવાઝોડાની ગતિ વિધિઓ ઉપર સતત નજર રાખીને બેઠું છે. તમામ દરિયા કિનારા પર પોલીસ જવાનો સજ્જ કરવામાં આવ્યા છે. નવસરી જિલ્લામાં તાઉ તે વાવાઝોડાને કારણે કેરીના પાકને પણ નુકસાન પહોંચ્યું છે.

તાઉ તે વાવાઝોડું નબળું પડીને સીવીયર સાયકલોનીક સ્ટોર્મ બન્યું છે. હાલ વાવાઝોડું અમરેલીથી પૂર્વ દિશામાં 10 કિમિ દૂર છે અને છેલ્લા 3 કલાકથી વાવાઝોડું 11 કિમિ પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર -ઈશાન દિશા તરફ વધી રહ્યું છે આગળ.

g clip-path="url(#clip0_868_265)">