AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને નહિ મળે વિપક્ષનું પદ, અધ્યક્ષ દ્વારા લેવાયો નિર્ણય

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષનું પદ નહિ મળે આ નિર્ણય વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા લેવામાં આવ્યો છે.જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત વિધાનસભાના સંસદીય નિયમો પ્રમાણે કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નથી. જેમાં નિયમ પ્રમાણે 10 ટકા સંખ્યાબળ ફરજિયાત છે. જ્યારે વિપક્ષના પદ માટે કોંગ્રેસ દ્વારા મોડી માંગણી કરવા હોવાની વાત સામે આવી છે.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને નહિ મળે વિપક્ષનું પદ, અધ્યક્ષ દ્વારા લેવાયો નિર્ણય
Gujarat assembly
Kinjal Mishra
| Edited By: | Updated on: Feb 22, 2023 | 8:05 PM
Share

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષનું પદ નહિ મળે આ નિર્ણય વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા લેવામાં આવ્યો છે.જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત વિધાનસભાના સંસદીય નિયમો પ્રમાણે કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નથી. જેમાં નિયમ પ્રમાણે 10 ટકા સંખ્યાબળ ફરજિયાત છે. જ્યારે વિપક્ષના પદ માટે કોંગ્રેસ દ્વારા મોડી માંગણી કરવા હોવાની વાત સામે આવી છે.

જો કે આ પૂર્વે, ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહેલ અમિત ચાવડાને વિધાનસભાના કોંગ્રેસ દળના નેતા તરીકે જવાબદારી સોંપાઈ છે તો ઉપનેતા તરીકે શૈલેષ પરમારની પસંદગી કરાઈ છે. અમિત ચાવડાની વિધાનસભા નેતા તરીકે પસંદગી થતા જ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે તેમના સમર્થકોએ ઉજવણી કરી હતી.

અમિત ચાવડાએ જણાવ્યું  હતું કે વિધાનસભા ચૂંટણીમાં મળેલ જનાદેશનો સ્વીકાર કરી કોંગ્રેસ પ્રજાના પ્રશ્નોને રચનાત્મક રીતે વાચા આપવાનું કામ કરશે. સરકાર સારા કાયદા લાવશે તો તેનું સમર્થન કરીશું, પરંતુ જો ભ્રષ્ટાચાર અને લોકોના અધિકારોનું હનન થશે તો કોંગ્રેસ સડકથી લઈ વિધાનસભા સુધી પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસને મળી માત્ર 17 બેઠકો

નિયમ મુજબ નેતા વિપક્ષનું પદ મેળવવા પર્યાપ્ત બેઠકો કોંગ્રેસ મેળવી શક્યું નથી અને માત્ર 17 બેઠકો જ કોંગ્રેસને મળી છે, ત્યારે સરકાર કોંગ્રેસને અધિકૃત નેતા વિપક્ષનું પદ આપશે કે નહીં એને લઈ વિસંગતતાઓ છે. જો સરકાર નેતા વિપક્ષનું પદ નહીં આપે તો રાજભવનમાં સરકારી બંગલો અને સરકારી ગાડી નહીં મળે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલ તારીખ 23 ફેબુઆરીના રોજ પ્રારંભ થશે. આ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી શરૂ થશે. બજેટ સત્રના પ્રારંભે સૌ પ્રથમ દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ અપાશે અને ત્યારબાદ બપોરે રાજ્ય સરકાર ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023 ગૃહમાં રજૂ કરશે.

પેપરલીક વિરોધી બિલને રાજ્ય સરકાર સર્વાનુમતે પસાર કરવાનો પ્રયાસ કરી શકે છે.  તો  બજેટ સત્ર દરમિયાન 24 ફેબ્રુઆરીએ ભૂપેન્દ્ર પટેલ સરકાર પોતાનું બીજુ બજેટ રજૂ કરશે અને નાણાપ્રધાન કનુ પટેલ વિધાનસભામાં  નાણા પ્રધાન તરીકે બીજું બજેટ રજૂ કરશે. તો 29 માર્ચ સુધી બજેટ સત્ર ચાલશે, જ્યારે બજેટ સત્રમાં બિનઅધિકૃત વિકાસ નિયંત્રણ સુધારા વિધેયક 2023 પણ રજૂ કરવામાં આવશે.

નોંધનીય છે કે ગુજરાતીઓની નજર આ  બજેટ ઉપર રહેશે કે બહુમતી સાથે સત્તામાં આવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલની સરકાર  ગુજરાતીઓ માટે બજેટ 2023-24માં નવું શું લઇને આવશે.   ખાસ કરીને  ખેડૂતો માટે, શિક્ષણ માટે, પ્રવાસન માટે , રોજગારીની યોજનાઓ , મૂડીરોકાણ અંગે  બજેટમાં  શું નવું આપવામાં આવે છે.

આ  પણ વાંચો : Ahmedabad: સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે ઘનશ્યામ મહારાજનો 79 મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો,રાજોપચાર વિધિ પૂર્વક અભિષેક કરાયો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">