કોંગ્રેસના વધુ એક નેતા નારાજ, કૈલાશ ગઢવીએ ટ્વીટ કરીને સંગઠનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા, પાર્ટી છોડવાના આપ્યા સંકેત

ગત ઓક્ટોબર મહિનામાં કોંગ્રેસ પ્રવકતા અને નેતા કૈલાશ ગઢવીએ પક્ષમાં ઇમાનદાર લોકોની અવગણના થતી હોવાના આક્ષેપ સાથે રાજીનામું ધર્યું હતું. જોકે તે સમયે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી આવી રહી હોવાથી કૈલાસ ગઢવીને સાઉથ કોલકત્તાના નિરીક્ષક બનાવવામાં આવતાં તેમણે રાજીનામું પાછું ખેચી લીધું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 11:23 AM

ચૂંટણી (Election) પહેલા કોંગ્રેસ (Congress) ને વધુ એક ફટકો પડી શકે છે. કોંગ્રેસના વધુ એક નેતા નારાજ થયા છે. કૈલાશ ગઢવીએ ટ્વીટ કરીને સંગઠન (organization) ની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે ટૂંક સમયમાં જ કૉંગ્રેસ છોડીને અન્ય પાર્ટીમાં જવાના સંકેત આપ્યા છે. જોકે તેમણે એ સ્પષ્ટ નથી કર્યું કે તેઓ કઈ પાર્ટી સાથે જોડાવા જઈ રહ્યા છે. TV9 સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ઉપરના નેતાઓને કોઈ ફરક પડતો નથી. નીચેના કાર્યકરોની મહેનત એળે જતાં સરકારો બનતી નથી. ચૂંટણી જીતવાની આગ કાર્યકરોમાં છે પણ તે નેતાઓ સુધી પહોંચતી નથી. પાંચ-પાંચ વર્ષ મહેનત બાદ છેલ્લી ઘડીએ મહેનત પર પાણી ફરી વળે છે. કઈ પાર્ટીમાં જોડાવાના છે તે અંગે પૂછતાં તેમણે કહ્યું કે આત્મમંથન માગી લે તેવો નિર્ણય હોવાથી તેઓ માર્ગદર્શન અને સલાહ લેશે. ત્યારબાદ ટૂંક સમયમાં નિર્ણય જાહેર કરશે.

ઉલ્લેખનીય છે કે ગત ઓક્ટોબર મહિનામાં કોંગ્રેસ પ્રવકતા અને નેતા કૈલાશ ગઢવીએ પક્ષમાં ઇમાનદાર લોકોની અવગણના થતી હોવાના આક્ષેપ સાથે રાજીનામું ધર્યું હતું. તેમણે તે સમયે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસમાં પક્ષવિરોધી પ્રવૃતિ કરનાર લોકોને ટિકિટ આપવામાં આવે છે. જ્યારે પક્ષને વફાદાર લોકોને ટિકિટ અપાતી નથી. કૈલાશ ગઢવી ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પણ હતા. જોકે તે સમયે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી આવી રહી હોવાથી કૈલાસ ગઢવીને સાઉથ કોલકત્તાના નિરીક્ષક બનાવવામાં આવતાં તેમણે રાજીનામું પાછું ખેચી લીધું હતું. હવે ફરી કોંગ્રેસનું નાક દબાવવાની કોશિશ કરી રહ્યા હોવાનું પક્ષના કેટલાક લોકો કહી રહ્યા છે.

આ પણ વાંચોઃ Surat: હિન્દુ તરફી પોસ્ટ મુકવા બદલ બંજરંગ દળના કાર્યકરો પર વિધર્મીઓનો હુમલો, 3 ઘાયલ

આ પણ વાંચોઃ Surat : પુણા વિસ્તારમાં તૈયાર થયેલા લેક ગાર્ડનના ઉદ્ઘાટન માટે મુહૂર્તની જોવાતી રાહ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">