AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad ના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓના અંતિમ સંસ્કાર માટે બનશે સીએનજી ભઠ્ઠી

અમદાવાદ મહાનગર પાલિકાની મળેલી રીક્રિએશન કમિટીની બેઠકમાં ઝૂમાં અવસાન પામતા પ્રાણીઓ માટે સીએનજી આધારિત અંતિમ સંસ્કાર સ્થાન બનાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

Ahmedabad ના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓના અંતિમ સંસ્કાર માટે બનશે સીએનજી ભઠ્ઠી
CNG furnace will be set up at Kankaria Zoo in Ahmedabad for the burial of animals (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 5:12 PM
Share

અમદાવાદ (Ahmedabad)  શહેરમાં લોકોના આકર્ષણ અને વન્ય જીવોને નિહાળવા માટેનું કાંકરિયા ખાતે આવેલા કમલા નહેરુ પ્રાણીસંગ્રહાલયના નવી સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સંચાલિત આ ઝૂમાં પ્રાણીઓને પક્ષીઓ સારી રીતે દેખભાળ રાખવામાં આવે છે. તેમજ આ ઝૂ જોવા આવતા પ્રવાસી માટે પણ સારી સુવિધા ઉભી કરવામાં આવી છે .

તેવા સમયે અમદાવાદ મહાનગર પાલિકાની (AMC) મળેલી રીક્રિએશન કમિટીની બેઠકમાં ઝૂમાં અવસાન પામતા પ્રાણીઓ માટે સીએનજી આધારિત અંતિમ સંસ્કાર સ્થાન બનાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. જેના લીધે અત્યાર સુધી મૃત્યુ પામ્યા બાદ અવસાન પામેલા પ્રાણીઓને પશુઓને દાટવા કે સળગાવવામાં આવતા હતા તેમને હવે આ સીએનજી ભઠ્ઠીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

જેમાં પર્યાવરણ અને લાકડાની બચત કરવાના હેતુથી કોર્પોરેશને રૂપિયા 40 લાખના ખર્ચે ભઠ્ઠી તૈયાર કરવા નિર્ણય કર્યો છે. સીએનજી ભઠ્ઠી બનાવવાનું શરૂ થઈ ગયું છે અને 4 મહિનામાં તેનો ઉપયોગ શરૂ કરવામાં આવશે.

આ અંગે એક સમાચાર પત્રને જણાવતા રિક્રિએશન કમિટીના ચેરમેન રાજેશ દવેએ જણાવ્યું હતું કે હાલમાં માત્ર શિડ્યુલ-1 પક્ષી અને પ્રાણીના અંતિમ સંસ્કાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કાંકરિયા ઝૂમાં 1 કરોડના ખર્ચે એક બિલ્ડિંગ તૈયાર થશે જેમાં મૃતક પક્ષી અને પ્રાણીઓના પોસ્ટમોર્ટમ પણ કરી શકાશે. આ બિલ્ડિંગમાં 35 લાખ કેન્દ્ર સરકાર આપશે જ્યારે બાકીના 65 લાખ મ્યુનિસિપલ કોર્પોરેશન આપશે.

ઉલ્લેખનીય છે કે, ૨૧ એકરમાં ફેલાયેલ કમલા નહેરૂ પ્રાણીસંગ્રહાલયનુ નિર્માણ ૧૯૫૧માં રૂબિન ડેવિડ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ પ્રાણીસંગ્રહાલયને ૧૯૭૪માં એશિયામાં આવેલ તમામ પ્રાણીસંગ્રહાલય પૈકી શ્રેષ્ઠ ગણવામાં આવ્યુ છે. તેમાં ૪૫૦ સસ્તન, ૨૦૦૦ પક્ષી, ૧૪૦ સરિસૃપ પ્રાણીઓનો સમાવેશ થાય છે.

તેમાં વાઘ, સિંહ, અજગર, સાપ, હાથી જેવા જંગલી પ્રાણીઓ વાંદરા અને મોર, હરણો, ચિંકારા, ઇમુનો પણ સમાવેશ થાય છે. રૂબિન ડેવિડને ૧૯૭૪માં આ પ્રાણીસંગ્રહાલય માટે પદ્મ શ્રી એનાયત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : સ્નેક્સના પેકેટમાંથી બહાર નીકળવા તરફડતી રહી મેના, તેના સંઘર્ષનો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો :  વિશ્વની અગ્રગણ્ય IT કંપની IBM અમદાવાદમાં અત્યાધુનિક સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રોડકટ એન્જીનીયરીંગ-ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપશે

ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ
Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય
Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
Breaking News :AMCમાં હોર્ડિંગ્સ કૌભાંડ, નિયમોને તોડીને કરોડોની રમત
Breaking News :AMCમાં હોર્ડિંગ્સ કૌભાંડ, નિયમોને તોડીને કરોડોની રમત
કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન
કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન
કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર
કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર
DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">