AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ફરી શાળાઓમાં કોરોનાની એન્ટ્રી, સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલમાં કોરોનાનો કેસ નોંધાયો

અમદાવાદમાં (Ahmedabad) આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરતો 6 વર્ષનો વિદ્યાર્થી કોરોના (Corona) સંક્રમિત થયો છે. જેથી વર્ગખંડને સેનિટાઈઝ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. વર્ગમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓને પણ ટેસ્ટ કરાવી લેવા સૂચના અપાઈ છે.

Ahmedabad: ફરી શાળાઓમાં કોરોનાની એન્ટ્રી, સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલમાં કોરોનાનો કેસ નોંધાયો
Class -2 student of St. Xavier's Loyola School tested COVID-19 positive, Ahmedabad
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 4:35 PM
Share

ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસના ઘટાડા વચ્ચે ફરી એકવાર કોરોનાના કેસના ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતમાં શાળા-કોલેજોમાં હવે કોરોનાની એન્ટ્રી થવા લાગી છે. ગાંધીનગરની નેશનલ લૉ યુનિવર્સિટીમાં કોરોનાના કુલ 64 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ હવે અમદાવાદ શહેરની શાળાઓમાં ફરી કોરોનાની એન્ટ્રી થઈ ચુકી છે. સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલમાં (St. Xavier’s Loyola School) કોરોના પોઝિટીવનો કેસ નોંધાતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે.

અમદાવાદમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરતો 6 વર્ષનો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. જેથી વર્ગખંડને સેનિટાઈઝ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. વર્ગમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓને પણ ટેસ્ટ કરાવી લેવા સૂચના અપાઈ છે. છેલ્લા 10 દિવસથી વિદ્યાર્થી સ્કૂલે આવતો ન હતો. તેમ છતા તકેદારી રુપ પગલા હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસ ભલે ઓછા હોય તેમ છતાં આરોગ્ય વિભાગે તમામ લોકોને માસ્ક અને સેનીટાઇઝ સહીતની તકેદારીઓ રાખવા સલાહ આપી છે.

ગુજરાતમાં આ પહેલા ગાંધીનગરની નેશનલ લૉ યુનિવર્સિટીમાં સતત ચાર-પાંચ દિવસથી કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 700થી વધુ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સાથે-સાથે સ્ટાફનું પણ સ્ક્રિનિંગ હાથ ધરાયું છે. જેમાં યુનિવર્સિટીમાં કુલ 64 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં બે પ્રોફેસરનો પણ સમાવેશ થાય છે.

તો ગઇકાલે એટલે કે જેમાં 12 એપ્રિલના રોજ ગુજરાતમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા હતા. જ્યારે 16 દર્દીઓ સાજા થયા છે. જેમાં રાજયમાં સૌથી વધારે 08 કેસ ગાંધીનગરમાં(Gandhinagar) નોંધાયા છે.રાજયમાં અત્યાર સુધી કુલ 12,13,012 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 09 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 152 છે. જેમાં એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે. નોંધનીય છેકે છેલ્લા એક કેટલાક દિવસોથી કોરોનાને કારણે એક પણ મોત નોંધાયું નથી.

આ પણ વાંચોઃ હાર્દિક પટેલે કહ્યું, ચૂંટણી તો લડીશ જ, પણ ચૂંટણીને સાત મહિનાની વાર છે, ક્યાંથી લડીશ તે નક્કી નથી

આ પણ વાંચોઃ Surat: વિદ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવવાની સરકારની વાતો વચ્ચે, ઝાંખરડાની શાળામાં તો 12 વર્ષથી વિદ્યાર્થીઓને મળે છે ગીતા અને કુરાન બંનેનું જ્ઞાન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">