Ahmedabad: ફરી શાળાઓમાં કોરોનાની એન્ટ્રી, સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલમાં કોરોનાનો કેસ નોંધાયો

અમદાવાદમાં (Ahmedabad) આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરતો 6 વર્ષનો વિદ્યાર્થી કોરોના (Corona) સંક્રમિત થયો છે. જેથી વર્ગખંડને સેનિટાઈઝ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. વર્ગમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓને પણ ટેસ્ટ કરાવી લેવા સૂચના અપાઈ છે.

Ahmedabad: ફરી શાળાઓમાં કોરોનાની એન્ટ્રી, સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલમાં કોરોનાનો કેસ નોંધાયો
Class -2 student of St. Xavier's Loyola School tested COVID-19 positive, Ahmedabad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 4:35 PM

ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસના ઘટાડા વચ્ચે ફરી એકવાર કોરોનાના કેસના ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતમાં શાળા-કોલેજોમાં હવે કોરોનાની એન્ટ્રી થવા લાગી છે. ગાંધીનગરની નેશનલ લૉ યુનિવર્સિટીમાં કોરોનાના કુલ 64 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ હવે અમદાવાદ શહેરની શાળાઓમાં ફરી કોરોનાની એન્ટ્રી થઈ ચુકી છે. સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલમાં (St. Xavier’s Loyola School) કોરોના પોઝિટીવનો કેસ નોંધાતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે.

અમદાવાદમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરતો 6 વર્ષનો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. જેથી વર્ગખંડને સેનિટાઈઝ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. વર્ગમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓને પણ ટેસ્ટ કરાવી લેવા સૂચના અપાઈ છે. છેલ્લા 10 દિવસથી વિદ્યાર્થી સ્કૂલે આવતો ન હતો. તેમ છતા તકેદારી રુપ પગલા હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસ ભલે ઓછા હોય તેમ છતાં આરોગ્ય વિભાગે તમામ લોકોને માસ્ક અને સેનીટાઇઝ સહીતની તકેદારીઓ રાખવા સલાહ આપી છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

ગુજરાતમાં આ પહેલા ગાંધીનગરની નેશનલ લૉ યુનિવર્સિટીમાં સતત ચાર-પાંચ દિવસથી કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 700થી વધુ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સાથે-સાથે સ્ટાફનું પણ સ્ક્રિનિંગ હાથ ધરાયું છે. જેમાં યુનિવર્સિટીમાં કુલ 64 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં બે પ્રોફેસરનો પણ સમાવેશ થાય છે.

તો ગઇકાલે એટલે કે જેમાં 12 એપ્રિલના રોજ ગુજરાતમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા હતા. જ્યારે 16 દર્દીઓ સાજા થયા છે. જેમાં રાજયમાં સૌથી વધારે 08 કેસ ગાંધીનગરમાં(Gandhinagar) નોંધાયા છે.રાજયમાં અત્યાર સુધી કુલ 12,13,012 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 09 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 152 છે. જેમાં એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે. નોંધનીય છેકે છેલ્લા એક કેટલાક દિવસોથી કોરોનાને કારણે એક પણ મોત નોંધાયું નથી.

આ પણ વાંચોઃ હાર્દિક પટેલે કહ્યું, ચૂંટણી તો લડીશ જ, પણ ચૂંટણીને સાત મહિનાની વાર છે, ક્યાંથી લડીશ તે નક્કી નથી

આ પણ વાંચોઃ Surat: વિદ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવવાની સરકારની વાતો વચ્ચે, ઝાંખરડાની શાળામાં તો 12 વર્ષથી વિદ્યાર્થીઓને મળે છે ગીતા અને કુરાન બંનેનું જ્ઞાન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">