AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ ચૂંટણી લડવાનો કર્યો હુંકાર, કહી આ વાત

Chhota Udepur: વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ટિકિટને લઈને કકળાટ શરૂ થઈ ગયો છે.કોંગ્રેસના વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ ચૂંટણી ન લડવાની વહેતી થયેલી ખબરોનું ખંડન કરતા કહ્યુ છે કે હું ચૂંટણી લડવાનો જ છુ.

ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ ચૂંટણી લડવાનો કર્યો હુંકાર, કહી આ વાત
સુખરામ રાઠવા
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2022 | 1:43 PM
Share

ગુજરાત વિધાનસભાનાના વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ(Sukhram Rathwa)  તેમની ચૂંટણી ન લડવાની વહેતી થયેલી અફવાઓને રદિયો આપી દીધો છે. તેમણે ખુલાસો કરતાં કહ્યું છે કે, હું ચૂંટણી લડવાનો જ છું. રાજકારણમાં ચૂંટણી (Election) લડવા માટે કોઈને ઘડપણ નડતું નથી, અને હું ઘરડો થયો નથી. સુખરામ રાઠવા(Sukhram Rathava)એ ચૂંટણી લડવાની વાત પર જોર આપતા ફરી કહ્યું કે, પક્ષ આદેશ કરશે તે પ્રમાણે તેઓ લડશે. આ સાથે રાઠવાએ વહેતી થયેલી અફવાઓ અંગે પણ સ્પષ્ટતા કરી કે, તેમણે ન કોઈને ઈન્ટરવ્યૂ આપ્યું છે કે ન કોઈને ટેલિફોનિક વાત કરી છે. જે અફવાઓ ફેલાઈ તેમાં કોઈ પણ પ્રકારનું સત્ય નથી. આપને જણાવી દઈએ કે સુખરામ રાઠવા ગત વિધાનસભામાં પાવી જેતપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.

કોંગ્રેસમાં ટિકિટને લઈને કકળાટ

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી ટિકિટને લઇને કકળાટ શરૂ થયો છે. છોટાઉદેપુર બેઠક માટે કોંગ્રેસમાં વિખવાદ ઉભો થવાના એંધાણ છે. અગાઉ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ છોટાઉદેપુર બેઠક પર તેમના પુત્ર માટે ટિકિટ માગી છે. બીજી તરફ વર્તમાન ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પણ તેમના પુત્ર માટે ટિકિટ માગી છે. નારણ રાઠવાએ જણાવ્યું કે હવે યુવાઓને ટિકિટ આપવી જોઇએ. નારણ રાઠવાએ કહ્યું કે મારી રાજ્યસભાની ટર્મ પૂરી થયા બાદ હું નિવૃતિ લઇ લઇશ. નારણ રાઠવાએ વિપક્ષના નેતા સુખરામ રાઠવાને પણ નિવૃતિ લઇ લેવાની સલાહ આપી હતી.

કોંગ્રેસમાં છોટાઉદેપુર બેઠક પર ઉમેદવાર પસંદગી બની રહેશે માથાના દુ:ખાવા સમાન

છોટાઉદેપુર બેઠક પર ઉમેદવારની પસંદગી કોંગ્રેસ માટે માથાના દુઃખાવા સમાન બની રહેશે. કેમકે કોંગ્રેસના સૌથી સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પણ તેમના પુત્ર માટે ટિકિટ માગી છે. તાજેતરમાં જ મોહનસિંહ રાઠવાએ આગામી વિધાનસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી જો કે તેમણે તેમના પુત્ર માટે ટિકિટ જરૂર માગી છે. ત્યારે છોટાઉદેપુર બેઠક કોંગ્રેસ માટે ગળાની ફાંસ બની રહેશે. તો પાવીજેતપુર બેઠક પરથી ઉમેદવાર સુખરામ રાઠવાએ પણ ચૂંટણી લડવાની સ્પષ્ટતા કરી દીધી છે.

Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">