ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ ચૂંટણી લડવાનો કર્યો હુંકાર, કહી આ વાત

Chhota Udepur: વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ટિકિટને લઈને કકળાટ શરૂ થઈ ગયો છે.કોંગ્રેસના વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ ચૂંટણી ન લડવાની વહેતી થયેલી ખબરોનું ખંડન કરતા કહ્યુ છે કે હું ચૂંટણી લડવાનો જ છુ.

ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ ચૂંટણી લડવાનો કર્યો હુંકાર, કહી આ વાત
સુખરામ રાઠવા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2022 | 1:43 PM

ગુજરાત વિધાનસભાનાના વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ(Sukhram Rathwa)  તેમની ચૂંટણી ન લડવાની વહેતી થયેલી અફવાઓને રદિયો આપી દીધો છે. તેમણે ખુલાસો કરતાં કહ્યું છે કે, હું ચૂંટણી લડવાનો જ છું. રાજકારણમાં ચૂંટણી (Election) લડવા માટે કોઈને ઘડપણ નડતું નથી, અને હું ઘરડો થયો નથી. સુખરામ રાઠવા(Sukhram Rathava)એ ચૂંટણી લડવાની વાત પર જોર આપતા ફરી કહ્યું કે, પક્ષ આદેશ કરશે તે પ્રમાણે તેઓ લડશે. આ સાથે રાઠવાએ વહેતી થયેલી અફવાઓ અંગે પણ સ્પષ્ટતા કરી કે, તેમણે ન કોઈને ઈન્ટરવ્યૂ આપ્યું છે કે ન કોઈને ટેલિફોનિક વાત કરી છે. જે અફવાઓ ફેલાઈ તેમાં કોઈ પણ પ્રકારનું સત્ય નથી. આપને જણાવી દઈએ કે સુખરામ રાઠવા ગત વિધાનસભામાં પાવી જેતપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કોંગ્રેસમાં ટિકિટને લઈને કકળાટ

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી ટિકિટને લઇને કકળાટ શરૂ થયો છે. છોટાઉદેપુર બેઠક માટે કોંગ્રેસમાં વિખવાદ ઉભો થવાના એંધાણ છે. અગાઉ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ છોટાઉદેપુર બેઠક પર તેમના પુત્ર માટે ટિકિટ માગી છે. બીજી તરફ વર્તમાન ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પણ તેમના પુત્ર માટે ટિકિટ માગી છે. નારણ રાઠવાએ જણાવ્યું કે હવે યુવાઓને ટિકિટ આપવી જોઇએ. નારણ રાઠવાએ કહ્યું કે મારી રાજ્યસભાની ટર્મ પૂરી થયા બાદ હું નિવૃતિ લઇ લઇશ. નારણ રાઠવાએ વિપક્ષના નેતા સુખરામ રાઠવાને પણ નિવૃતિ લઇ લેવાની સલાહ આપી હતી.

કોંગ્રેસમાં છોટાઉદેપુર બેઠક પર ઉમેદવાર પસંદગી બની રહેશે માથાના દુ:ખાવા સમાન

છોટાઉદેપુર બેઠક પર ઉમેદવારની પસંદગી કોંગ્રેસ માટે માથાના દુઃખાવા સમાન બની રહેશે. કેમકે કોંગ્રેસના સૌથી સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પણ તેમના પુત્ર માટે ટિકિટ માગી છે. તાજેતરમાં જ મોહનસિંહ રાઠવાએ આગામી વિધાનસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી જો કે તેમણે તેમના પુત્ર માટે ટિકિટ જરૂર માગી છે. ત્યારે છોટાઉદેપુર બેઠક કોંગ્રેસ માટે ગળાની ફાંસ બની રહેશે. તો પાવીજેતપુર બેઠક પરથી ઉમેદવાર સુખરામ રાઠવાએ પણ ચૂંટણી લડવાની સ્પષ્ટતા કરી દીધી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">