ChhotaUdepur: બોડેલીની મેરિયા નદીનો કોઝ વે ત્રણ વર્ષથી તુટેલી હાલતમાં, લોકોને અવર-જવર માટે હાલાકી

છોટા ઉદેપુરના (Chhota Udepur) મેરિયા નદી પર બનેલો કોઝ વે (Causeway ) 3 વર્ષ પહેલા તૂટી ગયો હતો . આટલો સમય વીતવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી

ChhotaUdepur: બોડેલીની મેરિયા નદીનો કોઝ વે ત્રણ વર્ષથી તુટેલી હાલતમાં, લોકોને અવર-જવર માટે હાલાકી
છોટા ઉદેપુરના લોકો કોઝ વે તૂટી પડતા કાચા રસ્તેથી જવા મજબુર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 2:51 PM

ChhotaUdepur : બોડેલી નજીક આવેલ મેરિયા નદીમાં વર્ષો પહેલા બનેલ કોઝ વે (Causeway ) ત્રણ વર્ષથી તૂટી ગયો છે, જેને કારણે ગામના લોકોને અવર જવર માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે પરંતુ તંત્ર કોઈ નિરાકરણ લાવતું નથી.

બોડેલી નજીક આવેલ મુલધર ગામના નદીના પટમાં કાચા રસ્તા પરથી અવર જવા માટે મજબુર બન્યા છે. મેરિયા નદી પરનો પુલ ત્રણ વર્ષ પહેલા ભારે પૂરના કારણે કોઝવે ધોવાઈ ગયો હતો. પરંતુ આજ દીન સુધી તંત્ર દ્રારા કોઈ દરકાર લેવામાં આવી નથી . ગામના પારખ ધામ મંદિરના મહંત ગામ ના લોકોની ચિંતા કરી મંદિરના ખર્ચે શિયાળા અને ઉનાળાના સમયે અવર-જવર ગામના લોકો કરી શકે તે માટે કાચો રસ્તો બનાવ્યો છે.

પરંતુ ચોમાસુ આવતા ગામના લોકો માથે ચિંતાના વાદળો છવાય છે. મેરીયા નદીમાં વરસાદી પાણી આવતા જ આ કાચો રસ્તો ધોવાઈ જાય છે અને તેમણે મુખ્ય માર્ગ જે અડધા કિમી પર આવેલ છે. તેના બદલે ગામના લોકો ને 9 થી 10 કિમીનો ફેરો લગાવવો પડે છે. રસ્તાઑ પર પાણી ભરાઈ જતાં ગામના લોકો અન્ય ગામોથી સંપર્ક વિહોણા બની જાય છે .

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મુલધર ગામના મોટે ભાગે ખેતી અને પશુપાલનનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવે છે . ગામના ખેડૂતોના ખેતરો નદીની સામે કિનારે આવેલા છે . જેથી ખેડૂતોને એક મૂસીબત ચોમાસાના સમયે ઊભી થાય છે કે નદીમાં પાણી આવે તો તેઓ પોતાના ખેતરો કેમ કરીને જાય. ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા બે વર્ષથી પડી રહેલા ભારે વરસાદને લઈ ખેતીમાં નુકસાન આવ્યું છે. જે બચત હતી તે કોરોનાના સમયમાં ખલાસ થઈ ગઈ છે.  કેટલાક ખેડૂતો તો ખેતી કરવા માટે પોતાનું ઘર છોડી ખેતરોમાં રહેવા જતાં રહ્યા છે .

છોટાઉદેપુર તંત્રને ગામના લોકોએ વારંવાર રરજુઆત કરી છે છતાં પણ આજ દિન સુધી તેમની વાત ધ્યાન પર લેવામાં આવી નથી. જેથી ગામના લોકો ગાંધીનગર ખાતે પહોચ્યા હતા અને તેઓ મંત્રી ગણપત વસાવાને મળ્યા હતા અને તેમણે વ્યથા બતાવી હતી .

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">