ચૌધરી આદિવાસી સમાજે જુના કુરિવાજોનો ત્યાગ કરવાનો લીધો નિર્ણય, સમાજનું નવુ બંધારણ બનાવ્યુ, આ નવા નિયમોનો અમલ થશે

દક્ષિણ ગુજરાતના (South Gujarat) ચૌધરી આદિવાસી સમાજ દ્વારા આગામી પેઢીને આર્થિક તકલીફો ન પડે અને સમાજની જૂની પરંપરા (Tradition) જળવાઈ રહે તેવા ઉમદા હેતનું નવું બંધારણ નક્કી કરાયું છે.

ચૌધરી આદિવાસી સમાજે જુના કુરિવાજોનો ત્યાગ કરવાનો લીધો નિર્ણય, સમાજનું નવુ બંધારણ બનાવ્યુ, આ નવા નિયમોનો અમલ થશે
Chaudhri Aadivasi Community (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 10:48 PM

દીકરા કે દીકરીના ધૂમ-ધામથી લગ્ન કરવા એ દરેક માતા-પિતાનું જીવનનું એક મહત્વનું સ્વપ્ન હોય છે. પરંતુ મોંઘવારીના (Inflation) વધતા માર વચ્ચે સામાન્ય પરિવારો માટે લગ્નના રિવાજો (Wedding Tradition) અને ખર્ચ પરવડતો નથી. ફિલ્મોના પ્રભાવ તળે નવા-રિવાજો અને સોના-ચાંદીની મોંઘી ભેટની આપ-લે વધી છે. જે પૂર્ણ કરવા અનેક પરિવારો દેવું કરવા મજબૂર બને છે. જો કે દક્ષિણ ગુજરાતના ચૌધરી આદિવાસી સમાજે (Chaudhary tribal Community) કુરિવાજો નાબૂદ કરવા મહત્વની પહેલ કરી છે. ચૌધરી આદિવાસી સમાજે 33 જેટલા સુધારા સાથેનું એક નવું બંધારણ બનાવ્યું છે. જે આગામી એક જૂનથી અમલી બનશે.

દક્ષિણ ગુજરાતના ચૌધરી આદિવાસી સમાજના નવા બંધારણ હેઠળ ઘરમાં પોતાની આગવી બોલી બોલવાનો નિયમ નક્કી કરાયો છે. આ ઉપરાંત સગાઈ, લગ્ન અને મરણ પ્રસંગમાં સામાજિક ખર્ચા ઘટાડવા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. જેમાં સગાઈમાં સોનાની વિંટી પહેરાવવાની અને કેક કાપવાની પ્રથા નાબૂદ કરવામાં આવી. સગાઈ પ્રસંગે જમણવાર અને સાકર-પડોથી પ્રથા પણ બંધ કરાઈ. લગ્ન પ્રસંગે ગામમાં કંકોત્રી વહેંચવાને બદલે ફક્ત નોંતરૂ આપવાનું નક્કી કરાયું છે. તો લગ્નમાં પ્રી-વેડિંગ શૂટ બંધ કરવાનો અને રાત્રે 1-30 પછી ડીજે વગાડવાનું બંધ કરાશે.

અન્ય નિયમોની વાત કરીએ તો લગ્નની વિધિ દરમિયાન સોનાનું નહીં ફરજિયાત ચાંદીનું જ મંગળસૂત્ર પહેરાવવું પડશે. તો કોઈ વ્યક્તિના મરણ પ્રસંગે જમણવારનું આયોજન ન કરવાનું સર્વાનુમતે નક્કી કરાયું. જ્યારે સામાજિક પ્રસંગોએ બીડી અને તમાકુની થાળી ન રાખવાનો નિર્ણય લેવાયો.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

દક્ષિણ ગુજરાતના ચૌધરી આદિવાસી સમાજ દ્વારા આગામી પેઢીને આર્થિક તકલીફો ન પડે અને સમાજની જૂની પરંપરા જળવાઈ રહે તેવા ઉમદા હેતનું નવું બંધારણ નક્કી કરાયું છે. આ બંધારણની બુક બનાવીને ગામના દરેક ઘરે વિતરીત કરવામાં આવશે.

કાછલ દૂધ મંડળીના પ્રમુખ રવીન્દ્રભાઈ ચૌધરી, નરેનભાઇ ચૌધરીની આગેવાની હેઠળ બેઠક યોજાઈ હતી, જે બાદ આ નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયો થકી સામાજિક ખર્ચ ઘટાડી શકાશે અને લોકોની જીવનશૈલી ઉંચી આવશે. ચૌધરી આદિવાસી સમાજે નવા બંધારણમાં કેટલાક એવા રિવાજો દૂર કર્યા છે જેમાં બિનજરૂરી ખર્ચા થતા હતા. સમાજના લોકો માટે આ ખર્ચા તોતિંગ હતા. તેથી જ આ ખર્ચાઓ પર કાપ મૂકાય તે માટે સમાજના આગેવાનો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહુવા તાલુકાના કાછલ ગામના સમસ્ત ચૌધરી સમાજના આગેવાનોએ કરેલા નિર્ણયને સૌ સમર્થન આપી રહ્યાં છે. સોશિયલ મીડિયાના પ્રભાવ હેઠળ લગ્ન અને સગાઈમાં વધેલી દેખાદેખી અને સોનુ આપવાના રિવાજથી અનેક પરિવારો દેવું કરવા મજબૂર બને છે. કાછલ ગામની બંધારણ સભાના નિર્ણયને યુવાનો અને ચૂંટાયેલા આગેવાનોએ સહર્ષ વધાવ્યો. સામાજિક પ્રસંગોમાં થતા ખોટા ખર્ચા બંધ થતા જ શિક્ષણ, આરોગ્યમાં લોકો વધુ રૂપિયા ખર્ચશે. આ ઉપરાંત ગામમાં વિકાસ કાર્યો થતા સમૃદ્ધિમાં વધારો થશે.

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">