AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટના ધોરાજી પાસે પુલ પરથી કાર નીચે ખાબકી, 4 લોકોના મોત

રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે એક કારને ગંભીર અકસ્માત નડ્યો છે. ધોરાજી પાસે આવેલી ભાદર-2 નદીના પુલ ઉપરથી એક કાર નીચે ખાબકી ગઇ છે.આ ઘટનામાં કારમાં સવાર ચારેય લોકોના મોત થયા છે. પાણીમાં ડુબતા ચારેયના મોત થયા હોવાનું સામે આવ્યુ છે.

Breaking News : રાજકોટના ધોરાજી પાસે પુલ પરથી કાર નીચે ખાબકી, 4 લોકોના મોત
Follow Us:
| Updated on: Apr 10, 2024 | 12:32 PM

રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે એક કારને ગંભીર અકસ્માત નડ્યો છે. ધોરાજી પાસે આવેલી ભાદર-2 નદીના પુલ ઉપરથી એક કાર નીચે ખાબકી ગઇ છે.આ ઘટનામાં કારમાં સવાર ચારેય લોકોના મોત થયા છે. પાણીમાં ડુબતા ચારેયના મોત થયા હોવાનું સામે આવ્યુ છે.

ઉપલેટાથી પરત ફરી રહ્યો હતો પરિવાર

મળતી માહિતી પ્રમાણે ધોરાજીનો એક પરિવાર ઉપલેટાના માંડાસણ ગામેથી સોમ યજ્ઞમાંથી પરત આવી રહ્યો હતો. તે સમયે ભાદર-2 નદીના પુલ પરથી પસાર થતા અચાનક જ કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર તોડી પુલ નીચે ખાબકી ગઇ હતી. કાર નીચે પાણીમાં પડતા કારમાં સવાર ચારેય લોકો ડુબવા લાગ્યા હતા.

માતા -પિતાનું એકમાત્ર સંતાન છે નુસરત ભરુચા, આવો છે પરિવાર
આજનું રાશિફળ તારીખ : 13-05-2025
Brain Hemorrhage : બ્રેઈન હેમરેજ કયા વિટામિનની કમી થી થાય છે?
વિરાટ કોહલીએ જે કર્યું, દુનિયાનો કોઈ કેપ્ટન નથી કરી શક્યો
ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીનો પગાર કેટલો હતો?
શું મીઠાઈ ખાવાથી ડાયાબિટીસ થાય છે?

મૃતકોમાં એક પુરુષ અને ત્રણ મહિલા

જોત જોતામાં કારમાં સવાર ચારેય લોકો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા અને ચારેય લોકોના મૃત્યુ થયા છે. માહિતી પ્રમાણે કારમાં એક પુરુષ અને ત્રણ મહિલાઓ સવાર હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને  તરવૈયાઓની મદદથી ચારેયના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

આ પણ વાંચો-Vadodara Video : ભાજપના આંતરિક અસંતોષ પર સી આર પાટીલની કાર્યકરોને અપીલ, ‘વાદ-વિવાદમાંથી બહાર આવો’

g clip-path="url(#clip0_868_265)">