AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટ-ક્ષત્રિય આગેવાન પી ટી જાડેજાની પાસા હેઠળ ધરપકડ, મંદિરમાં આરતી મુદ્દે આપી હતી ધમકી, જુઓ Video

રાજકોટના રિંગરોડ ખાતે આવેલું અમરનાથ મંદિર ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. અમરનાથ મંદિરમાં યુવકોને આરતી કરવાની ના પાડતા વિવાદ સર્જાયો હતો. એટલું જ નહીં મંદિરમાં આરતી વિવાદને લઈને પી.ટી.જાડેજાએ યુવકોને ધમકી આપતા મામલો વધુ વકર્યો હતો.

Breaking News : રાજકોટ-ક્ષત્રિય આગેવાન પી ટી જાડેજાની પાસા હેઠળ ધરપકડ, મંદિરમાં આરતી મુદ્દે આપી હતી ધમકી, જુઓ Video
P T Jadeja
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 05, 2025 | 9:47 AM
Share

રાજકોટના રિંગરોડ ખાતે આવેલું અમરનાથ મંદિર ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. અમરનાથ મંદિરમાં યુવકોને આરતી કરવાની ના પાડતા વિવાદ સર્જાયો હતો. એટલું જ નહીં મંદિરમાં આરતી વિવાદને લઈને પી.ટી.જાડેજાએ યુવકોને ધમકી આપતા મામલો વધુ વકર્યો હતો.

મળતી માહિતી અનુસાર પી ટી જાડેજાએ ધમકી આપતા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ પી.ટી. જાડેજાની પાસા હેઠળ ધરપકડ કરી સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા છે. પી ટી જાડેજાની પાસા હેઠળ કાર્યવાહી રાજકીય કિન્નાખોરીથી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. પી ટી જાડેજા ક્ષત્રિય આંદોલનના મુખ્ય ચહેરા હતા. ક્ષત્રિય આંદોલનનો ખાર રાખીને કાર્યવાહી કરવામાં આવી હોવાનો ક્ષત્રિય સમાજના આગેવાનોનો આક્ષેપ છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના રિંગરોડ પર આવેલા અમરનાથ મંદિરમાં અમરનાથ યુવા ગ્રુપના યુવકોને પી ટી જાડેજાએ આરતી કરવાની ના પાડતા મામલો ગરમાયો હતો. જે બાદ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી. પી ટી જાડેજાના વકીલ અને પુત્રનું કહેવું છે કે જેમાં આગોતરા જામીન પહેલેથી થઈ ચુક્યા છે. એ ગુનાનો સંદર્ભ આપી કાર્યવાહી કરાઈ છે. કોઈ ષડયંત્ર અંતર્ગત ધરપકડ કરાયાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

જાણો શું હતી ઘટના ?

થોડા દિવસો અગાઉ રાજકોટમાં બિગબજાર પાછળ આવેલા અમરનાથ મંદિરમાં આરતી નહીં કરવા માટે ધમકી આપી હતી. અમરનાથ ગ્રુપ દ્વારા મહા આરતીનું આયોજન કર્યું હતુ. મંદિર બહાર બેનરો પણ લગાવ્યા હતા. આરતી નહીં કરવા ધમકી આપી અને મંદિર બહાર લગાવેલા બેનરો પણ દૂર કર્યા હતા. રાજકોટ તાલુકા પોલીસ મથકમાં સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર તાલુકો પોલીસે ફરિયાદમાં BNS કલમ 351(3) 352 કલમ હેઠળ પી. ટી.જાડેજા સામે ફરિયાદ નોંધાઈ હતી.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">