AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભાવનગર ડમીકાંડ મામલે ગૃહવિભાગમાં બેઠકનો ધમધમાટ, ATSના DIG દીપેન ભદ્રન, ભાવનગર રેન્જના IG ગૌતમ પરમાર સહિતનાની મળી હાઈલેવલ બેઠક

Bhavnagar: ભરતી પરીક્ષામાં સામે આવેલા ડમીકાંડને લઈને ગૃહવિભાગમાં છેલ્લા એક કલાકથી બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગૃહવિભાગે આ અંગે હાઈલેવલ બેઠક પણ બોલાવી છે. આ બેઠકમાં ATSના DIG દીપેન ભદ્રન પણ હાજર છે.

Breaking News: ભાવનગર ડમીકાંડ મામલે ગૃહવિભાગમાં બેઠકનો ધમધમાટ, ATSના DIG દીપેન ભદ્રન, ભાવનગર રેન્જના IG ગૌતમ પરમાર સહિતનાની મળી હાઈલેવલ બેઠક
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2023 | 1:41 PM
Share

ભાવનગર ભરતી પરીક્ષા ડમીકાંડને લઈને બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. ગૃહવિભાગમાંમાં બેઠકોનો દૌર શરૂ થયો છે. ડમીકાંડને લઈને ગૃહવિભાગે હાઈલેવલ મીટિંગ બોલાવી છે. જેમા ATSના DIG દીપેન ભદ્રન પણ બેઠકમાં હાજર છે. જ્યારે ભાવનગર રેન્જના IG ગૌતમ પરમાર પણ હાજર છે. છેલ્લા એક સપ્તાહથી ડમીકાંડને લઈને રોજ નીતનવા ખૂલાસા થઈ રહ્યા છે.

ડમીકાંડમાં અક્ષર બારૈયાની કરાઈ અટકાયત

ડમીકાંડમાં વધુ એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. ડમી તરીકે પરીક્ષામાં બેસેલા અક્ષર બારૈયાની અટકાયત કરવામાં આવી છે. સંજય પંડ્યાએ અક્ષર વતી પરીક્ષા આપી હતી. સંજય પંડ્યા ત્રણ ભરતી પરીક્ષામાં ડમી ઉમેદવાર બન્યો હતો. સંજય પંડ્યાની પૂછપરછમાં આ અંગે હજુ વધુ ચોંકાવનારા ખૂલાસા થઈ શકે છે. સંજય પંડ્યા કરાઈ એકેડમીમાં PSIની ટ્રેનિંગ લઈ રહ્યો હતો તેની પણ અટકાયત રવિવારે જ કરી લેવામાં આવી છે.

ડમીકાંડમાં અત્યાર સુધીમાં 4 આરોપીની ધરપકડ, 2 આરોપીની અટકાયત અને 32 આરોપી સામે સકંજો કસવામાં આવ્યો

ભાવનગર ભરતી પરીક્ષા ડમીકાંડમાં અત્યાર સુધીમાં કુલ 36 આરોપીઓ સામે સકંજો કસવામાં આવ્યો છે. જેમા 4 લોકોની ધરપકડ કરી તેમને રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. જેમા શરદકુમાર પનોત, પ્રકાશ દવે, બશદેવ રાઠોડ અને પ્રદિપ બારૈયાનો સમાવેશ થાય છે. શરદકુમાર પનોત સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. તે ડમી ઉમેદવારને બેસાડી પરીક્ષા પાસ કરાવતો હતો. જ્યારે પ્રદિપ બારૈયા જેસરની કોર્ટમાં ક્લાર્કની નોકરી કરે છે તે અગાઉ પણ પોલીસ સકંજામાં આવી ચુક્યો છે. ત્રીજો આરોપી પ્રકાશ દવે તળાજાના પીપરલાનો વતની છે અને તે ડમી ઉમેદવારને બેસાડીને પરીક્ષા પાસ કરાવતો હતો. ચોથો આરોપી બળદેવ રાઠોડ પણ તળાજાના દિહોર ગામનો છે અને રૂપિયા 10 હજારમાં નકલી દસ્તાવેજ બનાવતો હતો. ધરપકડ કરાયેલા 4 આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ સરકારી નોકરિયાત છે.

યુવરાજસિંહ પર આરોપ લગાવનારા તેમના નજીકના બિપીન ત્રિવેદીની કરાઈ અટકાયત

તો આ તરફ ડમીકાંડના 36માં આરોપી અને યુવરાજસિંહ પર આરોપ લગાવનાર મિત્ર બિપિન ત્રિવેદીની ભાવનગર પોલીસે પૂછપરછ શરૂ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે બિપિન ત્રિવેદીની પૂછપરછ બાદ વિદ્યાર્થી નેતા અને ડમીકાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ શકે છે. મહત્વપૂર્ણ છે કે બિપિન ત્રિવેદીએ પોતાના જ મિત્ર યુવરાજસિંહ સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. ડમીકાંડમાં પ્રકાશ દવેનું નામ ન લેવા રૂપિયા 55 લાખનો સોદો કર્યાનો ખુલાસો કર્યો હતો. ત્યારે ડમીકાંડ મામલે બિપિન ત્રિવેદી યુવરાજસિંહ વિરૂદ્ધ મોટો ખુલાસો કરે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: Bhavnagar: ડમીકાંડને લઈને ભાવનગર પોલીસે બિપિન ત્રિવેદીને કર્યો ડિટેઈન, યુવરાજસિંહ વિરુદ્ધ થઈ શકે છે નવા ખુલાસા

ડમી કાંડમા તપાસ માટે કરાઈ SITની રચના

ભાવનગર ડમીકાંડ કેસમાં પોલીસ વિભાગ તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડમીકાંડની તટસ્થ તપાસ માટે SITની રચના કરાઇ છે. નાયબ પોલીસ અધિક્ષક આર.આર.સિંઘાલની અધ્યક્ષતામાં SITની રચના થઇ છે. જેમાં 2 PI, 8 PSI સહિત પોલીસ સ્ટાફનો સમાવેશ કરાયો છે. તો LCB, SOG અને પેરોલ ફર્લો સ્કવોર્ડનો સ્ટાફ પણ SITની મદદમાં રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">