Breaking News : અમદાવાદના વેજલપુરમાં બકેરી સિટીમાં લાગી ભીષણ આગ, પિતા-પુત્ર આગમાં ભડથુ થયા
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી બકેરી સિટીમાં મોડી રાત્રે ભયંકર આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં પિતા અને પુત્ર સહિત 3 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. આ ઘટના રાતે 3:45 વાગ્યે બકેરી સીટી વિસ્તારમાં થઇ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટનામાં પિતા અને પુત્રમાં આગમાં દાઝી જવાના કારણે મોત થયા છે.

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી બકેરી સિટીમાં મોડી રાત્રે ભયંકર આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં પિતા અને પુત્ર સહિત 3 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. આ ઘટના રાતે 3:45 વાગ્યે બકેરી સીટી વિસ્તારમાં થઇ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટનામાં પિતા અને પુત્રમાં આગમાં દાઝી જવાના કારણે મોત થયા છે.
પ્રાથમિક માહિતી અનુસાર વેજલપુરમાં બકેરી સિટીમાં આવેલી કૃષ્ણા નગરીમાં લાગેલી આગને કારણે ત્રણ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો આગ લાગવાની જાણ થતા જ ફાયર વિભાગની ચાર ગાડીઓ આગ પર ભારે જહેમતે કાબુ મેળવવામાં સફળ રહી હતી.
મૃતકોની ઓળખ થઇ
આગમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓ પિતા- પુત્ર ધ્રુવ ગોહિલ (ઉંમર 38 વર્ષ) અને શાશ્વત ગોહિલ (ઉંમર 9 વર્ષ) હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આ બંનેનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યુ છે.
ઇજાગ્રસ્ત દર્દી હજુ પણ સારવાર હેઠળ
મિત્તલ ગોહિલ નામના એક વ્યક્તિને વધુ દાઝ લાગવાના કારણે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. હાલ તેમની હાલત ગંભીર છે અને ડોક્ટરો દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.
ફાયર વિભાગની કામગીરી
ફાયર વિભાગે આગ નિયંત્રિત કરવા માટે મૌલિક અને ખૂબ જ પ્રયાસ કર્યા, જેના કારણે અગ્નિકાંડના વિસ્તરણને રોકી શકાયું. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચાર મચાવી દીધી છે, અને તપાસ શરૂ કરી છે કે આગ કેમ લાગી હતી અને ક્યાંક અસાવધાની થઈ હતી કે નહીં.