AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો, નવા 176 કેસ નોંધાયા, એક દર્દીનું મોત

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 21 માર્ચના રોજ નવા 176 કેસ નોંધાયા છે. તેમજ રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 916 એ પહોંચી છે. જ્યારે ભરૂચમાં એક દર્દીનું મોત થયું છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 89, અમદાવાદ જિલ્લામાં 01, અમરેલીમાં 03, ભરૂચમાં 01, ભાવનગરમાં 02, દાહોદમાં 01, દ્વારકામાં 01, ગાંધીનગરમાં જિલ્લામાં 04 કેસ નોંધાયું છે.

Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો, નવા 176 કેસ નોંધાયા, એક દર્દીનું મોત
Gujarat Corona Update
| Updated on: Mar 21, 2023 | 8:05 PM
Share

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 21 માર્ચના રોજ નવા 176 કેસ નોંધાયા છે. તેમજ રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 916 એ પહોંચી છે. જ્યારે ભરૂચમાં એક દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં  છેલ્લા 11 દિવસમાં કોરોનાના કારણે બીજું મોત થયું છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 89, અમદાવાદ જિલ્લામાં 01, અમરેલીમાં 03, ભરૂચમાં 01, ભાવનગરમાં 02, દાહોદમાં 01, દ્વારકામાં 01, ગાંધીનગરમાં જિલ્લામાં 04, ગાંધીનગરમાં 02, જામનગરમાં 02, જૂનાગઢમાં 01, ખેડામાં 02, મહેસાણામાં 16, નવસારીમાં 03, પાટણમાં 01, પોરબંદરમાં 03, રાજકોટ જિલ્લામાં 04, રાજકોટમાં 15, સુરત જિલ્લામાં 03, સુરતમાં 15, સુરેન્દ્રનગરમાં 01 અને વડોદરામાં 06 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.06 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 69 દર્દી સાજા થયા છે.

ગુજરાતમાં કોરોનાની સાથે સાથે H3N3 વાયરસનો વધારો જોવા મળી રહ્યો છે. જેમાં રાજ્ય સરકારે આ વાયરસના ફેલાવાના રોકવા માટે પણ પગલાં લેવાનું શરૂ કર્યું છે.

ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

આ ઉપરાંત, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.

કોવિડ અને ઈન્ફલ્યુએન્ઝા ઈન્ફેક્શન એક સાથે થઈ શકે છે, પરંતુ આવા કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળે છે. હા, પરંતુ જો કોઈ વ્યક્તિ આ બંને વાયરસથી એકસાથે સંક્રમિત થાય છે, તો તેની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. તેનાથી બચવાનો ઉપાય એ છે કે જો ત્રણ દિવસથી વધુ સમયથી ઉધરસ, શરદી કે તાવની ફરિયાદ રહે તો ડોક્ટરને બતાવો.

કેવી રીતે બચાવ કરવો

1. માસ્ક પહેરો

2. ભીડવાળા વિસ્તારોમાં ન જાઓ

3. હાથની સ્વચ્છતાનું ધ્યાન રાખો

4. ફલૂના લક્ષણો ધરાવતા દર્દીના સંપર્કમાં ન આવો

આ પણ વાંચો : Gujarati Video : આધાર કાર્ડ સેન્ટર્સ પર લાગી લાંબી લાઇન, આધાર-પાન કાર્ડ લિંક કરવાની પ્રક્રિયાને પગલે પહોંચ્યા અરજદાર

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
કોમનવેલ્થના દાવા વચ્ચે રિવરફ્રન્ટ પર ટેનિસ કોર્ટની બદતર હાલત
કોમનવેલ્થના દાવા વચ્ચે રિવરફ્રન્ટ પર ટેનિસ કોર્ટની બદતર હાલત
g clip-path="url(#clip0_868_265)">