Breaking News : સાગર સુરક્ષા કવચ કવાયત વચ્ચે, જખૌ નજીકના ટાપુ પરથી BSF ને મળ્યા 10 બિનવારસી ચરસના પેકેટ , જુઓ Video

ગુજરાતના દરિયાકાંઠાને સંવેદનશીલ એટલે પણ માનવામાં આવે છે કારણકે ડ્રગ્સ હોય કે હથિયાર કે પછી અન્ય કોઇ ગુનાહિત પ્રવૃત્તિની ઘૂષણખોરી દરિયા કિનારાથી થઇ શકે છે. અત્યારે રાજ્યના 12 જીલ્લાઓમાં એક સાથે સાગર સુરક્ષા કવચ સંયુકત કવાયત કરવામાં આવી રહી છે. તેવામાં આજે દરિયામાંથી ચરસના પેકેટ મળ્યા છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2023 | 1:23 PM

ગુજરાતનો દરિયાકાંઠો જેટલો રમણીય છે, તેટલો જ સંવેદનશીલ પણ માનવામાં આવે છે. કારણકે અહીં ભારતની દરિયાઇ સરહદ પણ આવેલી છે. દરિયાકાંઠાને સંવેદનશીલ એટલે પણ માનવામાં આવે છે કારણકે ડ્રગ્સ હોય કે હથિયાર કે પછી અન્ય કોઇ ગુનાહિત પ્રવૃત્તિની ઘૂષણખોરી દરિયા કિનારાથી થઇ શકે છે. કચ્છમાં સાગર સુરક્ષા કવચ કવાયત વચ્ચે ચરસના પેકેટ મળ્યા છે.

આ પણ વાંચો :Breaking News : કચ્છના રાપર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, ધોળાવીરા નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ

કચ્છના જખૌ નજીક આવેલા ટાપુ પર BSFને પેટ્રોલીંગ દરમિયાન 10 ચરસના પેકેટ મળી આવ્યા છે. આ અગાઉ પણ દરિયાઈ વિસ્તારમાંથી અનેક વાર બિનવારશુ ચરસના પેકેટ મળ્યા હતા. બિનવારશુ ચરસના પેકેટની વધારે તપાસ માટે પોલીસને સુપ્રત કરવામાં આવશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

હુમલા માટે થતો હોય છે ગુજરાત દરિયાઈ માર્ગનો ઉપયોગ

ગુજરાતમાં સૌથી લાંબો 1600 કિમીનો દરીયા કાંઠો ધરાવે છે. રમણીય લાગતો દરીયાકિનારો સુરક્ષાની દ્રષ્ટીએ અતિસંવેદનશીલ માનવામાં આવે છે. ભુતકાળમાં બનેલી અનેક ઘટનાઓએ તે સાબિત કર્યુ છે. જેમાં 1992માં મુંબઈ સીરીયલ બ્લાસ્ટ હોય કે, 26-11નો હુમલો જે માટે ગુજરાતના દરિયાઈ માર્ગનો ઉપયોગ થયો હતો. તેથી ફરી આવા બનાવો નહીં બને તે માટે સુરક્ષા એજન્સીઓ વધુ ચોકસાઈ વર્તી રહી છે.

ડમી હથિયારો અને ડમી આંતકીઓ સાથે સુરક્ષા જવાનોને ટાસ્ક

26-11 ના હુમલા બાદ દરિયા કિનારાની સુરક્ષા કરતી એજન્સી વચ્ચે સંકલન નહી હોવાનુ એક કારણ સામે આવ્યુ હતુ. જે બાદથી કોસ્ટગાર્ડ દ્રારા વર્ષમાં બે વખત તમામ સુરક્ષા એજન્સીઓ સાથે મોટી કવાયત કરવામાં આવે છે. જેમાં ડમી હથિયારો સાથે ડમી આંતકીઓ ક્યાં લેન્ડીંગ પોઈન્ટ, દરિયા કાંઠે, કે જાહેર સ્થળે પહોંચી શકે છે. જેને રોકવામાં સુરક્ષા જવાનોને ટાસ્ક આપવામાં આવે છે.

તમામ સુરક્ષા એજન્સીઓનુ સંયુકત ઓપરેશન

જેમાં નેવી, કોસ્ટગાર્ડ, કસ્ટમ, જીએમબી, ફિશરીસ, મરીન પોલીસ, IB,રો, પોલીસ સહિતની એજન્સીઓ આ ઓપરેશનમાં જોડાયા છે. દરિયાની અંદર, દરિયા કાંઠે, તેમજ દરિયા કિનારા પર આવેલા વિસ્તારોમાં કોઈ ઘુષણખોરી કે હથિયાર લઈને પહોંચે તો સુરક્ષા જવાનોએ અન્ય એજન્સી સાથે કેવી રીતે સંકલન કરી શકે, તે માટે મોક ડ્રિલ યોજના કરવામાં આવી છે.આ દરમિયાન જવાનો ડમી આંતકીને પકડવામાં સફળ થયા તો ઈનામ માટે રૂપિયા 100 આપવામાં આવે છે. પરંતુ જો સુરક્ષામાં ચુક સામે આવે તો તે એજન્સી કે સુરક્ષા જવાનને વધુ સર્તક રહેવા માટે ઠપકો મળે છે.

રાજયના 12 જીલ્લાઓમાં એક સાથે સંયુકત કવાયત

ગુજરાત રાજયમાં જે જીલ્લાઓમાં દરિયા કાંઠો આવેલો છે. તે તમામ જીલ્લાઓમાં એક સાથે બે દિવસ માટે ઓપરેશન સાગર સુરક્ષા કવચની કવાયત યોજાયુ છે. જેમાં કચ્છ, મોરબી,જામનગર, દેવભુમિદ્રારકા, પોરબંદર, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત. નવસારી, વલસાડ, ભરૂચ જીલ્લાઓમાં સાગર સુરક્ષા કવાયતનું આયોજન કરાયું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">