AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમદાવાદ પ્લેન ક્રેશમાં તમામ 242 મુસાફરોના મોત, ન્યૂઝ એજન્સી AP એ કરી પુષ્ટિ

અમદાવાદ ઍરપોર્ટ થી લંડન માટે ઉડાન ભરેલ ઍર ઈન્ડિયાનું પ્લેન AI 171 ક્રેશ થયુ છે. જેમા ન્યૂઝ એજન્સી AP ના હવાલાથી મળતી વિગતો અનુસાર તમામ 242 મુસાફરોના દુ:ખદ મોત થયા હોવાનુ સામે આવ્યુ છે.

| Updated on: Jun 12, 2025 | 6:36 PM
Share

અમદાવાદમાં ઍર ઈન્ડિયાનું પેસેન્જર બપોરના સમયે દુર્ઘટનાગ્રસ્ત થયુ અને આખેઆખુ ટ્રેન બળીને ખાખ થઈ ગયુ.  આ પ્લેનમાં સવાર તમામ 242 મુસાફરોના મોત થયા હોવાનો ન્યૂઝ એજન્સી એસોસિએટ પ્રેસે પુષ્ટિ કરી છે. બપોરે 1.38 કલાકે પ્લેને લંડન માટે ઉડાન ભરી હતી. ટેકઓફની ગણતરીની મિનિટોમાં જ AI-171 પ્લેન ક્રેશ થયુ હતુ.  આ ફ્લાઈટમાં 242 મુસાફરો સવાર હતા.  જેમા 2 પાયલોટ અને 10 ક્રુ મેમ્બરનો પણ સમાવશે થાય છે.

પ્લેનમાં સવાર મુસાફરોમાં 169 ભારતીયો અને 53 બ્રિટીશ નાગરિકો સવાર હતા. આ ઉપરાંત 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગિઝ નાગરિકો સવાર હતા.  અમદાવાદ પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર પ્લેન દુર્ઘટનાના જે પ્રકારે દૃશ્યો સામે આવ્યા છે તેને જોતા લાગતુ નથી કે એકપણ વ્યક્તિ જીવિત બચી હોય શકે.  હાલ પ્લેનમાં સવાર તમામ 242 લોકોનાા મોત થયાનો ન્યૂઝ એજન્સી AP એ દાવો કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ઘટના પર નજર રાખી રહ્યા છે. આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણી પણ સવાર હતા. આ તરફ ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવવા નીકળી ગયા છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ છે અને તમામ અધિકારીઓના સંપર્કમાં હોવાનુ જણાવ્યુ છે. અમિત શાહે પણ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યુ કે આ દુર્ઘટનાને શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથા. ડીઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. દુર્ઘટના મામલે CM ભૂપેન્દ્ર પટેલે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ CP સાથે વાતચીત કરી હતી.

પ્લેન ક્રેશ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરી કે દુર્ઘટનાથી હું વ્યથિત છુ. શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય તેવી દુર્ઘટના છે. પીડિત પરિવારના સભ્યો પ્રત્યે મારી સંવેદના છે.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">