AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદના ઘુમામાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દૂર્ઘટના, પાલખ તૂટતા ત્રણ શ્રમિકના મોત

અમદાવાદના ઘુમામાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દુર્ઘટના ઘટી છે. ઇમારતની કામગીરી દરમિયાન પાલખ તૂટતા ત્રણ શ્રમિકના મોત થયા છે.ઝવેરી ગ્રીન્સ નામની કન્સટ્રકશન સાઈટમાં આ દુર્ઘટના સર્જાઇ હતી. ગઇકાલે મોડી રાત્રે આ ઘટના બની હતી. ઇમારતના 12માં માળેથી પટકાતા શ્રમિકના મોત થયા છે.

Breaking News : અમદાવાદના ઘુમામાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દૂર્ઘટના, પાલખ તૂટતા ત્રણ શ્રમિકના મોત
Darshal Raval
| Edited By: | Updated on: Sep 30, 2023 | 9:47 AM
Share

Ahmedabad : અમદાવાદના ઘુમામાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દૂર્ઘટના ઘટી છે. ઇમારતની કામગીરી દરમિયાન પાલખ તૂટતા ત્રણ શ્રમિકના મોત (Death) થયા છે. ઝવેરી ગ્રીન્સ (Zaveri Greens) નામની કન્સટ્રકશન સાઈટમાં આ દુર્ઘટના સર્જાઇ હતી. ગઇકાલે મોડી રાત્રે આ ઘટના બની હતી. ઇમારતના 12માં માળેથી પટકાતા શ્રમિકના મોત થયા છે.

આ પણ વાંચો-Ahmedabad : AMC સંચાલિત હોસ્પિટલ્સમાં હવે જેનેરિક દવાઓના સ્ટોર ખુલશે, સ્ટેન્ડિંગ કમીટિની બેઠકમાં લેવાયો નિર્ણય, જુઓ Video

અચાનક લાકડાનું સ્ટેન્ડ તૂટતા પાલખ સાથે ત્રણ શ્રમિકો નીચે પટકાયા

અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારમાં આવેલા શાંતિપુરા સર્કલ પાસે એક નિર્માણાધીન બિલ્ડિંગમાં મોટી દુર્ઘટના બની છે. જેમાં ત્રણ શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. આ શ્રમિકો ગઇકાલે મોડી રાત્રે કામગીરી કરી રહ્યા હતા. 13મા માળે લાકડાની પાલક પર શ્રમિકો ઉભા હતા. જે દરમિયાન અચાનક લાકડાનું સ્ટેન્ડ તૂટતા પાલખ સાથે ત્રણ શ્રમિકો નીચે પટકાયા હતા. જે પછી તમામ ત્રણેય શ્રમિકોના મોત થયા છે.

મૃતક ત્રણેય શ્રમિક ઉત્તરપ્રદેશના રહેવાસી

અમદાવાદમાં બનેલી આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણેય શ્રમિક ઉત્તર પ્રદેશના હોવાનું સામે આવ્યુ છે. આ દુર્ઘટનામાં રાજેશ કુમાર, સંદીપ કુમાર, અમિત કુમાર નામના શ્રમિકોના મોત થયા છે. આ શ્રમિકો ઉત્તર પ્રદેશના બારાબંકી અને અમેઠીના રહેવાસી હોવાનું સામે આવ્યુ છે. આ ત્રણેય શ્રમિકો છેલ્લા બે વર્ષથી આ ઇમારત બનાવવાની કામગીરી કરી રહ્યા હોવાની માહિતી સામે આવી છે.

સમગ્ર ઘટના મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો

સમગ્ર ઘટનાને લઇને ફાયરબ્રિગેડને જાણ કરાઇ નથી. જો કે ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળને કોર્ટન કરીને ઇમારત બનાવવાની કામગીરી હાલ પુરતી અટકાવી છે અને સમગ્ર ઘટનાને લઇને તપાસ શરુ કરી છે.પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Follow Us
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
g clip-path="url(#clip0_868_265)">