AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઈડરના બ્રહ્મપુરીમાં 2 બાળકોના મોત, ઉલટી કર્યા બાદ 24 કલાકમાં બંનેએ જીવ ગુમાવ્યો, પિતા સારવાર હેઠળ

રાત્રે ખેતરની ઓરડી પર જમવાનુ જમીને સુઈ ગયા બાદ એકાએક જ બાળકની તબિયત બગડી હતી. ઉલટીઓ કર્યા બાદ બાળક મોતને ભેટ્યુ હતુ. જેને કારણ બાળકને લઈ પરિવાર વતન પોશીના તાલુકાના ગણવા ગામે પહોંચ્યુ હતુ. જ્યા શુક્રવારે બીજા બાળકની તબિયત લથડી હતી અને ઉલટીઓ કરવા લાગ્યુ હતુ.

Breaking News: ઈડરના બ્રહ્મપુરીમાં 2 બાળકોના મોત, ઉલટી કર્યા બાદ 24 કલાકમાં બંનેએ જીવ ગુમાવ્યો, પિતા સારવાર હેઠળ
| Updated on: Aug 04, 2023 | 10:45 PM
Share

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બ્રહ્મપુરી વિસ્તારમાં ખેત શ્રમિક તરીકે કામ કરતા એક પરિવાર પર આભ તૂટ્યુ છે. પરિવારે ગુરુવારે રાત્રે ખેતરની ઓરડી પર જમવાનુ જમીને સુઈ ગયા બાદ એકાએક જ બાળકની તબિયત બગડી હતી. ઉલટીઓ કર્યા બાદ બાળક મોતને ભેટ્યુ હતુ. જેને કારણ બાળકને લઈ પરિવાર વતન પોશીના તાલુકાના ગણવા ગામે પહોંચ્યુ હતુ. જ્યા શુક્રવારે બીજા બાળકની તબિયત લથડી હતી અને ઉલટીઓ કરવા લાગ્યુ હતુ. જેનુ પણ બાદમાં મોત નિપજ્યુ હોવાના સમાચાર સામે આવ્યા હતા.

આ દરમિયાન પરિવારમાંથી બંને બાળકના પિતાની પણ તબિયત વધારે બગડતા અને ઉલટીઓ કરતા ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા મૃતકના પિતાને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત પરિવારના અન્ય સભ્યોની તબિયત પણ લથડવાને લઈ તેમને સારવાર આપવામાં આવી હતી. જોકે પરિવારના અન્ય પાંચ સભ્યોની સ્થિતિ સ્થિર હોવાનુ સુત્રો દ્વારા વિગતો જાણમાં આવી હતી.

ઈડર પોલીસે શરુ કરી તપાસ

ઘટના અંગે સાબરકાંઠા પોલીસ કંટ્રોલ રુમને જાણકારી પોશીનાથી મળી હતી. જેને લઈ ઈડર પોલીસ તંત્ર સતર્ક થયુ હતુ. ઈડર, પોશીના અને ખેડબ્રહ્મા પોલીસે સંકલન કરીને ઘટના અંગે તપાસ શરુ કરી હતી અને પ્રાથમિક વિગતો મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. બંને બાળકોના મોત થવાના કારણને સ્પષ્ટ રીતે જાણવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઈડર પોલીસની ટીમ આ માટે ખેડબ્રહ્મા પહોંચી હતી અને જ્યાં પોલીસ દ્વારા સારવાર હેઠળ રહેલા પરિવારની સ્થિતિ અંગે પ્રાથમિક જાણકારી મેળવવામાં આવી હતી.

આ પણ વાંચોઃ  Breaking News: રાજ્યની નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની કરાઈ બદલી, જાણો કયા શહેરોમાં નવા અધિકારી મૂકાયા

જમ્યા બાદ તબિયત બગડી

આ અંગે ઈડર DySP સ્મિત ગોહિલ અને ઈડર PI પીએમ ચૌધરી દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી. જે માટે હોસ્પિટલ પર પહોંચેલી ટીમને તબિબો દ્વારા પ્રાથમિક વિગતો જાણવા મળી હતી કે, રાત્રી દરમિયાન છાસ અને ખિચડી પરિવાર જમ્યો હતો અને બાદમાં તેઓની તબિયત એક બાદ એક લથડી હતી. પોલીસે હવે ઘટના અંગે વૈજ્ઞાનિક ઢબથી તપાસ કરવાનો પ્રયાસ કર્યો છે. જેનાથી ફુડ પોઈઝનિંંગ કે અન્ય કોઈ કારણ હોવા અંગેની તમામ શંકાઓને દૂર કરીને બાળકોના મોતનુ સ્પષ્ટ કારણ જાણી શકાય.

આ પણ વાંચોઃ  Sabarkantha: લોકસભામાં સાબરકાંઠાના બાળકોના કરાયા વખાણ, 16 કરોડ રુપિયાની કરી બચત!

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">