AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાળંગપુરમાં કષ્ટભંજન દેવના કોપીરાઈટ મુદ્દે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ઉતર્યો મેદાને, કાયદાકીય લડત લડવાની ઉચ્ચારી ચીમકી- Video

સાળંગપુર કષ્ટભંજન દેવના કોપીરાઈટ મુદ્દે વિવાદ વકર્યો. અને રાજ્યભરમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો. આ વિરોધ બાદ હવે મંદિર તંત્રની સ્પષ્ટતા સામે આવી છે. પણ, સામાન્ય ભક્તોને સતાવતો સૌથી મોટો સવાલ એ છે કે આખરે "સત્ય શું છે?"

સાળંગપુરમાં કષ્ટભંજન દેવના કોપીરાઈટ મુદ્દે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ઉતર્યો મેદાને, કાયદાકીય લડત લડવાની ઉચ્ચારી ચીમકી- Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2026 | 1:23 PM
Share

બોટાદના પ્રસિદ્ધ સાળંગપુર ધામમાં પ્રભુના સ્વરૂપો તેમજ “કિંગ ઑફ સાળંગપુર”ના કોપીરાઈટ કરાવવામાં આવ્યા. જે બાદ સનાતન સંતોથી લઈ વિવિધ સંગઠનો અને બ્રહ્મ સમાજ દ્વારા પણ આ મુદ્દે આકરો વિરોધ નોંધાવાયો. ખુદ શ્રીસ્વામિનારાયણ હિત રક્ષણ સમિતિ તેમજ કેટલાંક હરિભક્તો દ્વારા પણ મંદિરના આ નિર્ણય સામે શાબ્દિક પ્રહારો કરાયા અને રૂપિયા કમાવવા મંદિર તંત્ર દ્વારા આ પ્રકારે કોપીરાઈટ કરાયાના આક્ષેપો ઊઠ્યા.

તો સમગ્ર મામલે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ આકરાપાણીએ છે અને નમતુ જોખવાના મૂડમાં નથી. બનાસકાંઠાના પાલનપુરમાં બ્રહ્મ સમાજે આ મુદ્દે બેઠક યોજી હતી અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને ચીમકી આપતા કહ્યું હતું કે જો ધર્મ વિરોધી પ્રવૃત્તિ બંધ નહીં કરે તો કાયદાકીય લડત કરાશે. એટલું જ નહીં આ લડાઈને.. જિલ્લા, તાલુકા અને ગામડાઓ સુધી પહોંચાડવાની ચીમકી અપાઈ છે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ગુજરાતના પ્રમુખ અશ્વિન ત્રિવેદીએ કહ્યું હતું કે આ ટ્રેડમાર્ક અને કોપીરાઈટને પગલે સૌથી પહેલો હુમલો કથાકારો પર થશે. તો ધારાસભ્ય અનિકેત ઠાકરે પણ આ અંગે સવાલો ઊઠાવ્યા છે.

અનેક ધાર્મિક સંસ્થાઓ, ટ્રસ્ટ તેમજ જ્ઞાતિઓ દ્વારા આ નિર્ણયને વખોડવામાં આવ્યો છે. ત્યારે બ્રહ્મ સમાજે ઠરાવ પસાર કરીને આ અંગે કાયદાકીય લડત આપવા માટેની ચીમકી ઉચ્ચારી છે.

તો સમગ્ર મામલે રાજ્યભરમાં વિવાદ વકર્યા બાદ હવે મંદિર તંત્રની સ્પષ્ટતા સામે આવી છે. મંદિર તંત્રનો દાવો છે કે કોપીરાઈટનો હેતુ માત્ર ભક્તોની સુરક્ષાનો છે અને તેમને “ડિજિટલ છેતરપિંડી” સામે રક્ષણ આપવાનો છે. જે અંતર્ગત “કિંગ ઑફ સાળંગપુર” પ્રતિમા, કષ્ટભંજન દેવના વિવિધ વાઘા-શણગાર તથા અન્ય સર્જનાત્મક કૃતિઓને કોપીરાઈટ કરાઈ છે. મંદિર વહીવટી તંત્રે સ્પષ્ટતા કરી છે કે નોંધણીનો હેતુ ભગવાન પર માલિકી હક સ્થાપિત કરવાનો બિલકુલ પણ નથી. આ પગલું માત્ર મંદિરની આગવી ઓળખ, તેની સર્જનાત્મક કૃતિઓ અને સત્તાવાર પ્રતીકોને કાયદાકીય સંરક્ષણ આપવાનો છે. મંદિરના દાવા મુજબ છેલ્લા ઘણાં સમયથી નકલી વેબસાઈટ્સ અને સો. મીડિયા પેજો દ્વારા ભક્તો સાથે છેતરપિંડી કરાતી હતી. સાળંગપુર મંદિરના નામે ખોટા રૂમ બુકિંગ, ઓનલાઈન પ્રસાદ તથા દાન-ફાળાના નામે રકમ વસૂલાતી હતી. અનેક શ્રદ્ધાળુઓ આર્થિક નુકસાનનો ભોગ બન્યા.

પંચમહાલમાં કૃષિરાજ્ય મંત્રી રમેશ કટારાના નિવેદનથી શિક્ષક આલમમાં ભારે રોષ, શૈક્ષિક મહાસંઘે કર્યો વિરોધ

Follow Us
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
g clip-path="url(#clip0_868_265)">