AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈરાન પર ઈતિહાસનો સૌથી મોટો ખતરો! ભારત સરકારની ‘દેશ છોડો’ની એડવાઈઝરી; ભારતીય કામદારો માટે જાણવા જેવી મહત્વની વાત

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાન સ્થિત ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરાઈ છે. જો કંપની માલિક કામદારોને વતન પરત ફરતા રોકે તો તે ગુનો છે. જાણો બંધારણ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ આ બાબતે શું કહે છે.

ઈરાન પર ઈતિહાસનો સૌથી મોટો ખતરો! ભારત સરકારની ‘દેશ છોડો’ની એડવાઈઝરી; ભારતીય કામદારો માટે જાણવા જેવી મહત્વની વાત
Image Credit source: Tv9Gujarati
| Updated on: Feb 28, 2026 | 2:25 PM
Share

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ અને મધ્ય પૂર્વના અશાંત વાતાવરણને જોતા, ભારત સરકાર દ્વારા ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની સત્તાવાર સલાહ આપવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિમાં ત્યાંની કંપનીઓમાં કામ કરતા ભારતીય કામદારોના મનમાં અનેક સવાલો છે.

દૂતાવાસની ચેતવણી: આ માત્ર સલાહ નથી!

તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસ (Indian Embassy) દ્વારા જાહેર કરાયેલી એડવાઈઝરી એક સત્તાવાર રાજદ્વારી ચેતવણી છે. આ ચેતવણી બાદ જો કોઈ કંપની કે માલિક ભારતીય કર્મચારીને તેની મરજી વિરુદ્ધ રોકી રાખે, તો તે સીધો માનવાધિકાર ભંગ ગણાય છે.

શું કંપની તમને નોકરીમાંથી કાઢી શકે?

  • સંકટના સમયે કામદારોની સુરક્ષા એ કંપનીની પ્રથમ ફરજ છે, નફો નહીં.
  • Force Majeure: યુદ્ધ કે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને “ફોર્સ મેજ્યુર” (અનિવાર્ય સંજોગો) ગણી નોકરી સસ્પેન્ડ કરી શકાય છે, પણ તાત્કાલિક કાઢી શકાતા નથી.
  • મોટાભાગની કંપનીઓ આ સમયે કર્મચારીને Paid કે Unpaid Leave આપી સુરક્ષિત સ્થળે મોકલે છે.

માલિકની કાનૂની જવાબદારીઓ અને ભારતીય કાયદો

ભારતીય કામદારોને સુરક્ષા આપવા માટે અનેક કાયદાકીય જોગવાઈઓ છે

  • ભારતીય બંધારણ (કલમ 21): દરેક વ્યક્તિને જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર છે. કોઈ પણ માલિક જીવના જોખમે કામદારને રોકી શકતો નથી.
  • Emigration Act 1983: વિદેશમાં કામ કરતા ભારતીયોના પાસપોર્ટ જપ્ત કરવા કે બળજબરી કરવી એ ગેરકાયદેસર છે.
  • ભારતીય દંડ સંહિતા (IPC): કલમ 340 (ગેરકાયદે કેદ), 503 (ધમકી આપવી) અને 506 (ભયભીત કરવું) હેઠળ માલિક સામે ગુનો નોંધાઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય કાયદાઓનો રક્ષણ

  • વિયેના સંમેલન: દૂતાવાસ પાસે પોતાના નાગરિકોને બહાર કાઢવાની સંપૂર્ણ સત્તા છે, જેમાં સ્થાનિક માલિક દખલગીરી કરી શકે નહીં.
  • ILO (International Labour Organization): સંકટ સમયે કામદારોની સલામતીને પ્રાથમિકતા આપવી અનિવાર્ય છે.

જો માલિક રોકે તો શું કરવું?

યાદ રાખો, માલિક તમારો પાસપોર્ટ રાખી શકતો નથી કે ફ્લાઈટ લેતા અટકાવી શકતો નથી. જો આવું થાય તો તરત જ,

  • ભારતીય દૂતાવાસ (Indian Embassy) નો સંપર્ક કરો.
  • ભારતીય વિદેશ મંત્રાલય (MEA) ને જાણ કરો.
  • સ્થાનિક પોલીસ કે આંતરરાષ્ટ્રીય સહાય સંસ્થાઓની મદદ લો.

પગાર અને ભાવિ જોબની ચિંતા

સામાન્ય રીતે આવી સ્થિતિમાં નોકરી રદ થતી નથી. પરિસ્થિતિ સુધર્યા બાદ કામદારો ફરી જોડાઈ શકે છે. ઘણી પ્રતિષ્ઠિત કંપનીઓ તો વેતન ચૂકવીને જ કર્મચારીઓને વતન પરત મોકલે છે.

કામદારો માટે ખાસ સૂચનાઓ

  • દૂતાવાસમાં નામ નોંધાવો.
  • પાસપોર્ટ અને દસ્તાવેજોની ડિજિટલ કોપી ફોનમાં રાખો.
  • માલિકને વતન પરત ફરવા અંગે લેખિતમાં (Email દ્વારા) જાણ કરો.

કોઈપણ કંપની કરતાં માનવ જીવન કિંમતી છે. ભારત સરકારની એડવાઈઝરીનું પાલન કરવું એ દરેક ભારતીયની સુરક્ષા માટે અનિવાર્ય છે. ડર્યા વગર તમારા અધિકારોને ઓળખો.

Amazon-Flipkart થી સામાન મંગાવ્યો પણ રિફંડ કે રિટર્નમાં છે ડખા ? જાણો ક્યાં અને કેવી રીતે કરવી ફરિયાદ !, વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">