જનતાની હથેળીમાં ચાંદ: ભાવનગર ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી ફરી ક્યારે શરૂ થશે? પ્રજા પાસે તો બસ વાયદા

ભાવનગરમાં ઘોઘા હજીરા રો-પેક્સ ફેરી ઘડીક બંધ ઘડીક શરૂની સ્થિતિમાં રહી. આ રો-પેક્સ ફેરી અગાઉ કોરોનાના કારણે લાંબા સમય સુધી બંધ રાખવામાં આવી હતી. અને હાલમાં ચોમાસુ બેઠું ત્યારની બંધ છે. ત્યારે ફરી શરુ કરવાની માંગ ઉઠી છે.

જનતાની હથેળીમાં ચાંદ: ભાવનગર ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી ફરી ક્યારે શરૂ થશે? પ્રજા પાસે તો બસ વાયદા
When will the Bhavnagar Ghogha-Hazira Ropax ferry start again?
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Oct 17, 2021 | 5:26 PM

ઘોઘા – દહેજ રોરોફેરીથી ભાવનગરના (Bhavnagar) લોકોને બહુ મોટું સપનું દેખાડવામાં આવ્યું હતું. જોકે નસીબ જોગ ઘોઘા – દહેજ રોરોફેરી અનેક સમસ્યાઓ વચ્ચે બંધ કરવાનો વારો આવ્યો. બાદમાં ઘોઘા હજીરા (Ghogha-Hazira) રો-પેક્સ (Ropax) ફેરી શરૂ કરાઈ. એ પણ અનેક સમસ્યાઓ વચ્ચે ઘડીક બંધ ઘડીક શરૂની સ્થિતિમાં રહી. આ રો-પેક્સ ફેરી અગાઉ કોરોનાના કારણે લાંબા સમય સુધી બંધ રાખવામાં આવી હતી. અને હાલમાં ચોમાસુ બેઠું ત્યારની બંધ છે. પરંતુ હવે ભાવનગરના લોકોની માંગ ઉઠી છે કે માંથે દિવાળી જેવા તેહવારો હોવાથી આ સેવા ફરી શરુ કરવામાં આવે.

જણાવી દઈએ કે ભાજપના આગેવાનો પણ ઈચ્છી રહ્યા છે કે તાત્કાલિક રોરોફેરી કોઈ પણ પ્રકારના વિલંબ વગર શરૂ કરવામાં આવે. ભાવનગર જિલ્લાના ઘોઘા અને સુરતના હજીરા વચ્ચે ગયા વર્ષે શરૂ કરવામાં આવેલી રો-પેક્સ ફેરી સર્વિસને ખુબ સરસ પ્રતિસાદ મળ્યા બાદ મરામતમાં મોકલવામાં આવેલા જહાજના એન્જિનની ટ્રાયલ ચાલુ છે. અગાઉ સંચાલકો દ્વારા 15મી ઓક્ટોબરે ફેરી શરૂ થવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તેની અનિશ્ચિતતાઓ છે. ઘોઘા – હજીરા રો-પેકસ ફેરી સર્વિસ મુસાફરોમાં ખૂબ લોકપ્રિય બની રહી હતી. દિવાળીના તહેવારો દરમિયાન સુરતથી ભાવનગર, અમરેલી જિલ્લામાં મુસાફરોની આવન-જાવન ખૂબ મોટા પ્રમાણમાં રહે છે. અને ગયા વર્ષે આ પ્રભાવશાળી રહી હતી. પરંતુ આ વર્ષે રોપેક્સ ફેરી શિપ વાયેજ સિમ્ફની મરામતમાં મોકલવામાં આવી છે. ત્યારે આ જહાજ ક્યારે શરૂ થશે તે અંગે ઇન્ડિગો સી – વેઝના સંચાલકો પણ કહી શકતા નથી.

સંચાલકોના મતે વાયેજ – સિમ્ફની જહાજનું મરામત કાર્ય પૂર્ણ થઇ ચૂક્યું છે. અને શિપના એન્જિનની ટ્રાયલ શરુ છે. સંબંધિત સરકારી પ્રક્રિયા બાદ તુરંત ફેરી શરૂ કરવામાં આવશે. ગઇ 15 મીએ ફેરી શરૂ થવા અંગે સોશિયલ મીડિયામાં ફરતા સંદેશા બિનસત્તાવાર છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ રોરોફેરીના ભાજપ દ્વારા અનેક વાર ખાત મુહુર્ત અને લોકાર્પણના કાર્યક્રમો થઈ ચૂક્યા છે. PM નરેન્દ્ર મોદીના હાથે, તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે ખાત મુહૂર્ત અને વડાપ્રધાન બન્યા બાદ લોકાર્પણ થઈ ચૂક્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હાથે પણ લોકાર્પણ થયેલ છે. મનસુખ માંડવિયાના હાથે પણ લોકાર્પણના કાર્યક્રમ થયા છે. પરંતુ એક વાત પાક્કી છે કે એકજ સર્વિસના આટલા બધા કાર્યક્રમો તેમજ વિધાનસભા, લોકસભાની ચુંટણી સમયે આ ફેરીની નેતાઓએ ચિંતા કરેલી ત્યારબાદ આજ સુધી આ ફેરી ક્યારેય નિયમિત શરૂ રહી નથી. આ ફેરીના હજુ કોઈ ઠેકાણા નથી અને હવે ઘોઘા મુંબઈ ફેરીના દિવાસ્વપ્ન ભાજપના મોટા નેતાઓ બતાવી રહ્યા છે. ત્યારે લોકોની માંગ છે આ ફેરી શરૂ કરવામાં આવે. નિયમિત ભાજપે બતાવેલા સપના હથેળીમાં ચાંદ જેવા સાબિત થઈ રહ્યા છે. જો કે રોરોફેરીને લઇને કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.

આ પણ વાંચો: હું જન્મે જૈન છું પણ મુખ્યમંત્રી સ્વભાવે જૈન છે: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ CM ભૂપેન્દ્ર પટેલના કર્યા વખાણ

આ પણ વાંચો: ભાવનગરમાં નળમાં પીવાના પાણીની સાથે માછલીઓ પણ નીકળી આવી, જુઓ વિડીયો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">