AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જનતાની હથેળીમાં ચાંદ: ભાવનગર ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી ફરી ક્યારે શરૂ થશે? પ્રજા પાસે તો બસ વાયદા

ભાવનગરમાં ઘોઘા હજીરા રો-પેક્સ ફેરી ઘડીક બંધ ઘડીક શરૂની સ્થિતિમાં રહી. આ રો-પેક્સ ફેરી અગાઉ કોરોનાના કારણે લાંબા સમય સુધી બંધ રાખવામાં આવી હતી. અને હાલમાં ચોમાસુ બેઠું ત્યારની બંધ છે. ત્યારે ફરી શરુ કરવાની માંગ ઉઠી છે.

જનતાની હથેળીમાં ચાંદ: ભાવનગર ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી ફરી ક્યારે શરૂ થશે? પ્રજા પાસે તો બસ વાયદા
When will the Bhavnagar Ghogha-Hazira Ropax ferry start again?
Ajit Gadhavi
| Edited By: | Updated on: Oct 17, 2021 | 5:26 PM
Share

ઘોઘા – દહેજ રોરોફેરીથી ભાવનગરના (Bhavnagar) લોકોને બહુ મોટું સપનું દેખાડવામાં આવ્યું હતું. જોકે નસીબ જોગ ઘોઘા – દહેજ રોરોફેરી અનેક સમસ્યાઓ વચ્ચે બંધ કરવાનો વારો આવ્યો. બાદમાં ઘોઘા હજીરા (Ghogha-Hazira) રો-પેક્સ (Ropax) ફેરી શરૂ કરાઈ. એ પણ અનેક સમસ્યાઓ વચ્ચે ઘડીક બંધ ઘડીક શરૂની સ્થિતિમાં રહી. આ રો-પેક્સ ફેરી અગાઉ કોરોનાના કારણે લાંબા સમય સુધી બંધ રાખવામાં આવી હતી. અને હાલમાં ચોમાસુ બેઠું ત્યારની બંધ છે. પરંતુ હવે ભાવનગરના લોકોની માંગ ઉઠી છે કે માંથે દિવાળી જેવા તેહવારો હોવાથી આ સેવા ફરી શરુ કરવામાં આવે.

જણાવી દઈએ કે ભાજપના આગેવાનો પણ ઈચ્છી રહ્યા છે કે તાત્કાલિક રોરોફેરી કોઈ પણ પ્રકારના વિલંબ વગર શરૂ કરવામાં આવે. ભાવનગર જિલ્લાના ઘોઘા અને સુરતના હજીરા વચ્ચે ગયા વર્ષે શરૂ કરવામાં આવેલી રો-પેક્સ ફેરી સર્વિસને ખુબ સરસ પ્રતિસાદ મળ્યા બાદ મરામતમાં મોકલવામાં આવેલા જહાજના એન્જિનની ટ્રાયલ ચાલુ છે. અગાઉ સંચાલકો દ્વારા 15મી ઓક્ટોબરે ફેરી શરૂ થવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તેની અનિશ્ચિતતાઓ છે. ઘોઘા – હજીરા રો-પેકસ ફેરી સર્વિસ મુસાફરોમાં ખૂબ લોકપ્રિય બની રહી હતી. દિવાળીના તહેવારો દરમિયાન સુરતથી ભાવનગર, અમરેલી જિલ્લામાં મુસાફરોની આવન-જાવન ખૂબ મોટા પ્રમાણમાં રહે છે. અને ગયા વર્ષે આ પ્રભાવશાળી રહી હતી. પરંતુ આ વર્ષે રોપેક્સ ફેરી શિપ વાયેજ સિમ્ફની મરામતમાં મોકલવામાં આવી છે. ત્યારે આ જહાજ ક્યારે શરૂ થશે તે અંગે ઇન્ડિગો સી – વેઝના સંચાલકો પણ કહી શકતા નથી.

સંચાલકોના મતે વાયેજ – સિમ્ફની જહાજનું મરામત કાર્ય પૂર્ણ થઇ ચૂક્યું છે. અને શિપના એન્જિનની ટ્રાયલ શરુ છે. સંબંધિત સરકારી પ્રક્રિયા બાદ તુરંત ફેરી શરૂ કરવામાં આવશે. ગઇ 15 મીએ ફેરી શરૂ થવા અંગે સોશિયલ મીડિયામાં ફરતા સંદેશા બિનસત્તાવાર છે.

આ રોરોફેરીના ભાજપ દ્વારા અનેક વાર ખાત મુહુર્ત અને લોકાર્પણના કાર્યક્રમો થઈ ચૂક્યા છે. PM નરેન્દ્ર મોદીના હાથે, તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે ખાત મુહૂર્ત અને વડાપ્રધાન બન્યા બાદ લોકાર્પણ થઈ ચૂક્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હાથે પણ લોકાર્પણ થયેલ છે. મનસુખ માંડવિયાના હાથે પણ લોકાર્પણના કાર્યક્રમ થયા છે. પરંતુ એક વાત પાક્કી છે કે એકજ સર્વિસના આટલા બધા કાર્યક્રમો તેમજ વિધાનસભા, લોકસભાની ચુંટણી સમયે આ ફેરીની નેતાઓએ ચિંતા કરેલી ત્યારબાદ આજ સુધી આ ફેરી ક્યારેય નિયમિત શરૂ રહી નથી. આ ફેરીના હજુ કોઈ ઠેકાણા નથી અને હવે ઘોઘા મુંબઈ ફેરીના દિવાસ્વપ્ન ભાજપના મોટા નેતાઓ બતાવી રહ્યા છે. ત્યારે લોકોની માંગ છે આ ફેરી શરૂ કરવામાં આવે. નિયમિત ભાજપે બતાવેલા સપના હથેળીમાં ચાંદ જેવા સાબિત થઈ રહ્યા છે. જો કે રોરોફેરીને લઇને કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.

આ પણ વાંચો: હું જન્મે જૈન છું પણ મુખ્યમંત્રી સ્વભાવે જૈન છે: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ CM ભૂપેન્દ્ર પટેલના કર્યા વખાણ

આ પણ વાંચો: ભાવનગરમાં નળમાં પીવાના પાણીની સાથે માછલીઓ પણ નીકળી આવી, જુઓ વિડીયો

Follow Us
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
g clip-path="url(#clip0_868_265)">