ભાવનગરના ઘોઘાથી હજીરા વચ્ચે રો-રો ફેરી સર્વિસનો દશેરાથી પુન: પ્રારંભ થશે
ભાવનગર અને સુરત અવર જવરમાં સુગમતા અને સરળતા રહે તે માટે ઘોઘાથી હજીરા સુધીની રો-રો ફેરી સર્વિસ પુન: શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દિવાળીના તહેવાર પહેલા સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ અને દક્ષિણ ગુજરાત માટે સારા સમાચાર છે. જેમાં 15 ઓક્ટોબરથી ઘોઘાથી હજીરા વચ્ચે રો-રો ફેરી સર્વિસનો પુન : આરંભ થશે. ભાવનગર અને સુરત અવર જવરમાં સુગમતા અને સરળતા રહે તે માટે ઘોઘાથી હજીરા સુધીની રો-રો ફેરી સર્વિસ પુન: શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દશેરાના પર્વથી ફેરીનો પુન: પ્રારંભ થઇ રહ્યો છે. હજીરાથી ઘોઘા સુધીની મુસાફરી અંદાજે ચારથી પાંચ કલાકની થશે. હજીરાથી ઘોઘા આવવા માટે સવારે 8 કલાકે હજીરા ટર્મિનલથી ફેરી સર્વિસનો આરંભ થશે. જ્યારે ઘોઘાથી હજીરા જવા ,ઘોઘા ટર્મિનલથી બપોરે 3 કલાકે ફેરી સર્વિસ જળમાર્ગે રવાના થશે.
આ પણ વાંચો:હિના પેથાણી હત્યા કેસ,આરોપી સચિન દીક્ષિતને 12 વાગ્યે કોર્ટમાં લઇ જવામાં આવશે
આ પણ વાંચો: સુરતના દારૂની રેડ પ્રકરણમાં પીએસઆઇને સસ્પેન્ડ કરાયા, તપાસમાં બેદરકારીની ફરિયાદ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
