ભાવનગરના ઘોઘાથી હજીરા વચ્ચે રો-રો ફેરી સર્વિસનો દશેરાથી પુન: પ્રારંભ થશે
ભાવનગર અને સુરત અવર જવરમાં સુગમતા અને સરળતા રહે તે માટે ઘોઘાથી હજીરા સુધીની રો-રો ફેરી સર્વિસ પુન: શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દિવાળીના તહેવાર પહેલા સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ અને દક્ષિણ ગુજરાત માટે સારા સમાચાર છે. જેમાં 15 ઓક્ટોબરથી ઘોઘાથી હજીરા વચ્ચે રો-રો ફેરી સર્વિસનો પુન : આરંભ થશે. ભાવનગર અને સુરત અવર જવરમાં સુગમતા અને સરળતા રહે તે માટે ઘોઘાથી હજીરા સુધીની રો-રો ફેરી સર્વિસ પુન: શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દશેરાના પર્વથી ફેરીનો પુન: પ્રારંભ થઇ રહ્યો છે. હજીરાથી ઘોઘા સુધીની મુસાફરી અંદાજે ચારથી પાંચ કલાકની થશે. હજીરાથી ઘોઘા આવવા માટે સવારે 8 કલાકે હજીરા ટર્મિનલથી ફેરી સર્વિસનો આરંભ થશે. જ્યારે ઘોઘાથી હજીરા જવા ,ઘોઘા ટર્મિનલથી બપોરે 3 કલાકે ફેરી સર્વિસ જળમાર્ગે રવાના થશે.
આ પણ વાંચો:હિના પેથાણી હત્યા કેસ,આરોપી સચિન દીક્ષિતને 12 વાગ્યે કોર્ટમાં લઇ જવામાં આવશે
આ પણ વાંચો: સુરતના દારૂની રેડ પ્રકરણમાં પીએસઆઇને સસ્પેન્ડ કરાયા, તપાસમાં બેદરકારીની ફરિયાદ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
