AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rathyata 2022: ભાવનગરમાં જય રણછોડના નાદ સાથે નીકળી રથયાત્રા, ભાવિકો દર્શન કરવા ઉમટ્યા

ભાવનગરમાં (Bhavnagar)રાજ્યની બીજી સૌથી મોટી રથયાત્રાનો પ્રારંભ સવારે થયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આ રથયાત્રા કુલ17 કિલોમીટરના રૂટ પર ફર

Rathyata 2022: ભાવનગરમાં જય રણછોડના નાદ સાથે નીકળી રથયાત્રા, ભાવિકો દર્શન કરવા ઉમટ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 2:13 PM
Share

ભાવનગરમાં (Bhavnagar)સુભાષનગર ખાતેના ભગવાનેશ્વર મંદિરેથી  રાજયની બીજી સૌથી મોટી અને ભાવનગરની  37મી રથયાત્રાનો (Rathyatra)પ્રારંભ રણછોડરાયના જયઘોષ સાથે થયો હતો.  ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી અને યુવરાજ જયવીરરાજસિંહજી સોનાના સાવરણાથી ‘છેડાપોરા’ અને ‘પહિ‌ન્દ’ વિધિ કરીને  રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.  સુભાષનગર વિસ્તારમાં ભગવાનેશ્વર મહાદેવ મંદિર, ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે સુંદર રોશની કરવામાં આવી છે.  રથયાત્રામાં યુવાનો તેમજ બાળકો અતિઉત્સાહમાં જોવા મળ્યા હતા. રથયાત્રા જ્યાંથી પસાર થતી  હતી  ત્યાં  જય રણછોડના જય ઘોષ દ્વારા રથયાત્રાને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો. ભાવનગરમાં શહેરીજનો ઉલ્લાસભેર રથયાત્રામાં જોડાયા હતા.

રથયાત્રા પૂર્વે ભાવનગર પોલીસ છાવણીમાં તબદીલ થઇ ગયું છે. ભાવનગર એસ.પી. રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ જવાનો સજજ છે અને રથયાત્રા માટે ભાવનગર તથા અન્ય જિલ્લાની પોલીસ જેમાં 15 ડીવાયએસપી, 40 પીઆઈ, 150 પીએસઆઈ, 3૦૦૦ પોલીસ જવાનો અને 2000 હોમગાર્ડ જવાનો મળીને કુલ 5૦૦૦ કરતા વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્ત જાળવી રહ્યા છે.  આ રથયાત્રામ 336 મહીલા પોલીસ પણ  ફરજ નિભાવી રહી છે.

336 women on police duty in Bhavnagar Rathyatra

336 women on police duty in Bhavnagar Rathyatra

રથયાત્રા જ્યાં જ્યાંથી  પસાર થઈ રહી છે ત્યાંથી ભક્તજનોને  ચણાની પ્રસાદી આપવામાં આવી રહી છે તમજ રથયાત્રાના સ્વાગતમાં ઠેર ઠેર છાશ તેમજ શરબતના કેન્દ્રો પણ ઉભા  કરવામાં આવ્યા છે.  આ દિવસે ભગવાનના દર્શન માટે  અને વિશેષ વાઘાના  દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી. ભાવનગરવાસીઓ બે વર્ષના અંતરાલ બાદ ભગવાનની નગરચર્યાને વધાવવા આતુર થયા છે અને આ આનંદનો પડઘો શહેરવાસીઓમાં પડઘાતો હોય તેમ શહેરને પણ ભગવાનના આગમન નિમિત્તે  વિવિધ રીતે શણગારવામાં આવ્યું હતુ. શહેરમાં આ વર્ષે  પરંપરાગત રીતે 37મી  રથયાત્રા નીકળી છે

ત્યારે  મહાનગર પાલિકા તંત્ર તેમજ પોલીસ બેડા દ્વારા રથયાત્રાની તમામ તૈયારીઓ  આગોતરી જ  પૂર્ણ કરી દેવામાં આવી  હતી. કઈ  કેટલાય દિવસથી  ભાવનગરમાં પાલિકા તંત્ર તેમજ રથયાત્રા સમિતિ અને પોલીસ બેડા દ્વારા આ અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી.

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">