AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rathyata 2022: ભાવનગરમાં જય રણછોડના નાદ સાથે નીકળી રથયાત્રા, ભાવિકો દર્શન કરવા ઉમટ્યા

ભાવનગરમાં (Bhavnagar)રાજ્યની બીજી સૌથી મોટી રથયાત્રાનો પ્રારંભ સવારે થયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આ રથયાત્રા કુલ17 કિલોમીટરના રૂટ પર ફર

Rathyata 2022: ભાવનગરમાં જય રણછોડના નાદ સાથે નીકળી રથયાત્રા, ભાવિકો દર્શન કરવા ઉમટ્યા
Bhavnagar rathyatra 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 2:13 PM
Share

ભાવનગરમાં (Bhavnagar)સુભાષનગર ખાતેના ભગવાનેશ્વર મંદિરેથી  રાજયની બીજી સૌથી મોટી અને ભાવનગરની  37મી રથયાત્રાનો (Rathyatra)પ્રારંભ રણછોડરાયના જયઘોષ સાથે થયો હતો.  ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી અને યુવરાજ જયવીરરાજસિંહજી સોનાના સાવરણાથી ‘છેડાપોરા’ અને ‘પહિ‌ન્દ’ વિધિ કરીને  રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.  સુભાષનગર વિસ્તારમાં ભગવાનેશ્વર મહાદેવ મંદિર, ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે સુંદર રોશની કરવામાં આવી છે.  રથયાત્રામાં યુવાનો તેમજ બાળકો અતિઉત્સાહમાં જોવા મળ્યા હતા. રથયાત્રા જ્યાંથી પસાર થતી  હતી  ત્યાં  જય રણછોડના જય ઘોષ દ્વારા રથયાત્રાને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો. ભાવનગરમાં શહેરીજનો ઉલ્લાસભેર રથયાત્રામાં જોડાયા હતા.

રથયાત્રા પૂર્વે ભાવનગર પોલીસ છાવણીમાં તબદીલ થઇ ગયું છે. ભાવનગર એસ.પી. રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ જવાનો સજજ છે અને રથયાત્રા માટે ભાવનગર તથા અન્ય જિલ્લાની પોલીસ જેમાં 15 ડીવાયએસપી, 40 પીઆઈ, 150 પીએસઆઈ, 3૦૦૦ પોલીસ જવાનો અને 2000 હોમગાર્ડ જવાનો મળીને કુલ 5૦૦૦ કરતા વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્ત જાળવી રહ્યા છે.  આ રથયાત્રામ 336 મહીલા પોલીસ પણ  ફરજ નિભાવી રહી છે.

336 women on police duty in Bhavnagar Rathyatra

336 women on police duty in Bhavnagar Rathyatra

રથયાત્રા જ્યાં જ્યાંથી  પસાર થઈ રહી છે ત્યાંથી ભક્તજનોને  ચણાની પ્રસાદી આપવામાં આવી રહી છે તમજ રથયાત્રાના સ્વાગતમાં ઠેર ઠેર છાશ તેમજ શરબતના કેન્દ્રો પણ ઉભા  કરવામાં આવ્યા છે.  આ દિવસે ભગવાનના દર્શન માટે  અને વિશેષ વાઘાના  દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી. ભાવનગરવાસીઓ બે વર્ષના અંતરાલ બાદ ભગવાનની નગરચર્યાને વધાવવા આતુર થયા છે અને આ આનંદનો પડઘો શહેરવાસીઓમાં પડઘાતો હોય તેમ શહેરને પણ ભગવાનના આગમન નિમિત્તે  વિવિધ રીતે શણગારવામાં આવ્યું હતુ. શહેરમાં આ વર્ષે  પરંપરાગત રીતે 37મી  રથયાત્રા નીકળી છે

ત્યારે  મહાનગર પાલિકા તંત્ર તેમજ પોલીસ બેડા દ્વારા રથયાત્રાની તમામ તૈયારીઓ  આગોતરી જ  પૂર્ણ કરી દેવામાં આવી  હતી. કઈ  કેટલાય દિવસથી  ભાવનગરમાં પાલિકા તંત્ર તેમજ રથયાત્રા સમિતિ અને પોલીસ બેડા દ્વારા આ અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી.

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">