હવે વનરાજાને લાગ્યુ ભાવનગરનું ઘેલુ, રહેઠાણની શોધમાં ભાવનગર તરફ વધ્યા આંટાફેરા, અંતરિયાળ વિસ્તારોમાં દેખાયા 57 સિંહ- વીડિયો

હવે જંગલના રાજા સિંહને ગીર બાદ ભાવનગરનું ઘેલુ લાગ્યુ છે. વનરાજાને હવે ભાવનગર રહેઠાણ તરીકે પસંદ આવી રહ્યુ છે અને અંતરિયાળ વિસ્તારોમાં 57 સિંહ આંટાફેરા કરતા જોવા મળ્યા છે. વર્ષ 2015 દરમિયાન ભાવનગરનાં 80 સિંહ હતા હાલ 2020માં અંતરિયાળમાં 57 સિંહ જોવા મળ્યા છે.

Follow Us:
| Updated on: Dec 10, 2023 | 6:20 PM

સિંહોને ફરી પસંદ આવી રહ્યુ છે ભાવનગર. છેલ્લા કેટલાક સમયથી ભાવનગર જિલ્લાના અનેક ગામોમાં સિંહોની વસ્તી વધી રહી છે. સિંહ પરિવાર આંટા મારતો જોવા મળી રહ્યો છે. ભાવનગરના સિંહોરથી લઈને જેસર સુધીના વિસ્તારોમાં મોટી સંખ્યામાં સિંહો હોવાની જાણકારી સામે આવી છે. ગીરના જંગલ બાદ હવે ભાવનગરને આ વનરાજો તેમના રહેઠાણ તરીકે પસંદ કરી રહ્યા છે. વન વિભાગના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં ફરી એકવાર સિંહોની વસ્તી ધીમે ધીમે વધી રહી છે.

  • વર્ષ 2015- ભાવનગરના અંતરિયાળ વિસ્તારમાં 80 સિંહો હતા
  • દરિયાકાંઠા વિસ્તારમાં 37 સિંહ હતા
  • વર્ષ 2020માં 57 સિંહ ભાવનગર અંતરિયાળમાં નોંધાયા
  • દરિયાકાંઠા વિસ્તારમાં 17 સિંહ જોવા મળ્યા
  • પાંચ વર્ષના ગાળામાં સિંહની સંખ્યામાં 43નો ઘટાડો થવાથી વન વિભાગની ચિંતા વધી
  • વનવિભાગનુ અનુમાન છે કે 3 વર્ષ બાદ સિંહોની સંખ્યા પુન: વધી રહી છે

ભાવનગરના 25 હજાર હેક્ટરમાં ફેલાયેલો જિલ્લાનો હરિયાળો વિસ્તાર સિંહોએ તેમના વસવાટ માટે પસંદ કર્યો છે. અહીં જ સિંહ પરિવારો વિસ્તરી રહ્યા છે. એટલુ જ નહી આ વિસ્તારમાં ચિંકારા અને નીલગાયની મોટી વસ્તી હોવાથી સિંહોને શિકાર પણ સુલભતાથી મળી રહે છે. ભૌગૌલિક દૃષ્ટિએ તેમજ વાતાવરણની દૃષ્ટિએ ભાવનગર જિલ્લામાં સિંહોની વસ્તી વધી રહી છે.

ગીરની જેમ ભાવનગર જિલ્લામાં પણ સિંહોની સંખ્યા વધે તે માટે વન વિભાગ ખૂબ જ પ્રયત્નશીલ છે. અલબત્ સિંહોના લીધે સ્થાનિકોમાં જરૂર ભયની લહેરખી ફરી વળી છે. હાલ સિહોરના જંગલમાં 8 સિંહોનો વસવાટ છે અને પાલીતાણાના જંગલમાં 11 સિંહનો વસવાટ છે. ઘણીવાર આ સિંહો સહપરિવાર જ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી જાય છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

આ પણ વાંચો: સંસદની સદસ્યતા જવા પર મહુઆ મોઈત્રાનું પ્રથમ રિએક્શન આવ્યુ સામે કહ્યુ, ‘કોઈ પુરાવા વિના મળી સજા’

હાલમાં જ ભાવનગરમાં આંબાલાથી અનિડા જવાના રોડ પર સિંહોનું ટોળું જોવા મળ્યું હતું. ભાવનગરના આંબલા, અનિડા, સણોસરા, રામધરી અને ચોરવડલા સહિતના ગામના ખેતરોમાં અવાર-નવાર સિંહ જોવા મળી રહ્યા છે. જેને લીધે લોકોમાં ડરનો માહોલ ઊભો થયો છે. પરંતુ, વન વિભાગ દ્વારા સ્થાનિકોને અપીલ કરવામાં આવી છે કે સિંહોને ખોટી રીતે હેરાન કરવામાં ન આવે. બસ, લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">