હવે વનરાજાને લાગ્યુ ભાવનગરનું ઘેલુ, રહેઠાણની શોધમાં ભાવનગર તરફ વધ્યા આંટાફેરા, અંતરિયાળ વિસ્તારોમાં દેખાયા 57 સિંહ- વીડિયો

હવે જંગલના રાજા સિંહને ગીર બાદ ભાવનગરનું ઘેલુ લાગ્યુ છે. વનરાજાને હવે ભાવનગર રહેઠાણ તરીકે પસંદ આવી રહ્યુ છે અને અંતરિયાળ વિસ્તારોમાં 57 સિંહ આંટાફેરા કરતા જોવા મળ્યા છે. વર્ષ 2015 દરમિયાન ભાવનગરનાં 80 સિંહ હતા હાલ 2020માં અંતરિયાળમાં 57 સિંહ જોવા મળ્યા છે.

Follow Us:
| Updated on: Dec 10, 2023 | 6:20 PM

સિંહોને ફરી પસંદ આવી રહ્યુ છે ભાવનગર. છેલ્લા કેટલાક સમયથી ભાવનગર જિલ્લાના અનેક ગામોમાં સિંહોની વસ્તી વધી રહી છે. સિંહ પરિવાર આંટા મારતો જોવા મળી રહ્યો છે. ભાવનગરના સિંહોરથી લઈને જેસર સુધીના વિસ્તારોમાં મોટી સંખ્યામાં સિંહો હોવાની જાણકારી સામે આવી છે. ગીરના જંગલ બાદ હવે ભાવનગરને આ વનરાજો તેમના રહેઠાણ તરીકે પસંદ કરી રહ્યા છે. વન વિભાગના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં ફરી એકવાર સિંહોની વસ્તી ધીમે ધીમે વધી રહી છે.

  • વર્ષ 2015- ભાવનગરના અંતરિયાળ વિસ્તારમાં 80 સિંહો હતા
  • દરિયાકાંઠા વિસ્તારમાં 37 સિંહ હતા
  • વર્ષ 2020માં 57 સિંહ ભાવનગર અંતરિયાળમાં નોંધાયા
  • દરિયાકાંઠા વિસ્તારમાં 17 સિંહ જોવા મળ્યા
  • પાંચ વર્ષના ગાળામાં સિંહની સંખ્યામાં 43નો ઘટાડો થવાથી વન વિભાગની ચિંતા વધી
  • વનવિભાગનુ અનુમાન છે કે 3 વર્ષ બાદ સિંહોની સંખ્યા પુન: વધી રહી છે

ભાવનગરના 25 હજાર હેક્ટરમાં ફેલાયેલો જિલ્લાનો હરિયાળો વિસ્તાર સિંહોએ તેમના વસવાટ માટે પસંદ કર્યો છે. અહીં જ સિંહ પરિવારો વિસ્તરી રહ્યા છે. એટલુ જ નહી આ વિસ્તારમાં ચિંકારા અને નીલગાયની મોટી વસ્તી હોવાથી સિંહોને શિકાર પણ સુલભતાથી મળી રહે છે. ભૌગૌલિક દૃષ્ટિએ તેમજ વાતાવરણની દૃષ્ટિએ ભાવનગર જિલ્લામાં સિંહોની વસ્તી વધી રહી છે.

ગીરની જેમ ભાવનગર જિલ્લામાં પણ સિંહોની સંખ્યા વધે તે માટે વન વિભાગ ખૂબ જ પ્રયત્નશીલ છે. અલબત્ સિંહોના લીધે સ્થાનિકોમાં જરૂર ભયની લહેરખી ફરી વળી છે. હાલ સિહોરના જંગલમાં 8 સિંહોનો વસવાટ છે અને પાલીતાણાના જંગલમાં 11 સિંહનો વસવાટ છે. ઘણીવાર આ સિંહો સહપરિવાર જ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી જાય છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો: સંસદની સદસ્યતા જવા પર મહુઆ મોઈત્રાનું પ્રથમ રિએક્શન આવ્યુ સામે કહ્યુ, ‘કોઈ પુરાવા વિના મળી સજા’

હાલમાં જ ભાવનગરમાં આંબાલાથી અનિડા જવાના રોડ પર સિંહોનું ટોળું જોવા મળ્યું હતું. ભાવનગરના આંબલા, અનિડા, સણોસરા, રામધરી અને ચોરવડલા સહિતના ગામના ખેતરોમાં અવાર-નવાર સિંહ જોવા મળી રહ્યા છે. જેને લીધે લોકોમાં ડરનો માહોલ ઊભો થયો છે. પરંતુ, વન વિભાગ દ્વારા સ્થાનિકોને અપીલ કરવામાં આવી છે કે સિંહોને ખોટી રીતે હેરાન કરવામાં ન આવે. બસ, લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">