Death : ગુજરાતી લોકસંગીતના લોકગાયિકા દીના ગાંધર્વ (બેનર્જી) નું અવસાન

આકાશવાણી રાજકોટ કેન્દ્રના પ્રારંભના સમયે આકાશવાણી રાજકોટના ઉદ્ઘોષિકા અને લોકગાયક હેમુ ગઢવીના સહકર્મી રહેલા લોક ગાયિકા દીના ગાંધર્વ (બેનર્જી) નું આજ રોજ અમદાવાદ ખાતે એમના નિવાસ સ્થાને સવારે 94 વર્ષની ઉંમરે અવસાન થયું છે. છેલ્લા એકાદ માસથી તેઓ બીમાર રહેતા હતા

Death : ગુજરાતી લોકસંગીતના લોકગાયિકા દીના ગાંધર્વ (બેનર્જી) નું અવસાન
Dinaben Gandharva
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Feb 05, 2023 | 6:07 PM

આકાશવાણી રાજકોટ કેન્દ્રના પ્રારંભના સમયે આકાશવાણી રાજકોટના ઉદ્ઘોષિકા અને લોકગાયક હેમુ ગઢવીના સહકર્મી રહેલા લોક ગાયિકા દીના ગાંધર્વ (બેનર્જી) નું આજ રોજ અમદાવાદ ખાતે એમના નિવાસ સ્થાને સવારે 94 વર્ષની ઉંમરે અવસાન થયું છે. છેલ્લા એકાદ માસથી તેઓ બીમાર રહેતા હતા.ઉલ્લેખનીય છે કે દીનાબહેને હેમુ ગઢવીના આકાશવાણી રાજકોટના શરૂઆતના મોટાભાગના સર્જનોમા ગીતો ગાયાં છે. કવળાં સાસરિયાં, જેસલ તોરલ , દાસી જીવણ, વિગેરે સંગીતિકાઓ માં દીનાબહેને સ્વર આપ્યો છે.

દીના બહેને હેમુભાઈ સાથે ગાયેલા ગીતો આજે  પણ સંભળાય છે

આ ઉપરાંત HMV માં હેમુ ગઢવી ના અતિ લોકપ્રિય થયેલાં આલ્બમ “સ્મરણાંજલિ” માં સોનાવાટકડી રે કેસર ઘોળ્યા, સવા બશેર નું મારું દાતરડું, પેલા પેલા જુગ માં રાણી, કચ્છ માં અંજાર મોટા શેર છે, મોરબી ની વાણીયણ મચ્છુ પાણી જાય જેવા યાદગાર ગીતો દીના બહેને હેમુભાઈ સાથે ગાયેલા. જે આજે પણ સંભળાય છે.

દીનાબેનનો જન્મ ભાવનગર માં ગાંધર્વ પરિવાર માં 1928 માં થયેલો

દીનાબેનનો જન્મ ભાવનગર માં ગાંધર્વ પરિવાર માં 1928 માં થયેલો. તેઓ એ વિનયન માં સ્નાતક અને અનુસ્નાતક ની ડીગ્રી પચાસ ના દાયકા માં મેળવેલી. લોક સંગીતનું શિક્ષણ તેઓ એ આકાશવાણી રાજકોટ ખાતે હેમુભાઈ પાસે થી મેળવ્યું અને બિલકુલ સોરઠી મિજાજ માં અદભૂત લોકગીતો, ભજનો, કથાગીતો ગયેલાં. સન 1955 થી 1962 સુધી તેઓ રાજકોટ કેન્દ્ર પર રહ્યા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તરુણ બેનર્જી સાથે લગ્ન ગ્રંથિ વડે જોડાઈને દિલ્હી ખાતે સ્થાયી થયેલા

ત્યારબાદ એ સમયનાં રાજકોટ પોલીટેકનિક ના અધ્યાપક એવા તરુણ બેનર્જી સાથે લગ્ન ગ્રંથિ વડે જોડાઈને દિલ્હી ખાતે સ્થાયી થયેલા. આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પર તેમણે ગુજરાતી વિભાગ માટે સંશોધન, સંકલન અને પ્રસ્તુતિ નું પ્રશંશનીય કામ કર્યું. નિવૃત્તિ બાદ થોડો સમય દિલ્હી માં રહ્યાબદ આ યુગલ અમદાવાદ સ્થાયી થયું હતું.એમના પતિ નું અવસાન 2016 માં થયા બાદ તેઓ એકલપંડે ખૂબ આત્મવિશ્વાસ થી રહેતાં.

અંતિમ સમયે કાંધ પણ હેમુભાઈના પુત્રોએ આપી

દીના બહેન નિસંતાન હતાં. પરંતુ હેમુભાઈના સંતાનોને તેઓ કાયમ પોતીકાં માનતા અને હેમૂગઢવી પરિવાર ના તમામ સારા-માઠા પ્રસંગે અચૂક હાજરી આપતાં . સન 2015 માંહેનું ગઢવી ની 50 મી પુણ્યતિથી ના અવસરે એમણે લોકસંગીત માં આપેલ યોગદાન બદલ તેઓ નું હેમુ ગઢવી પરિવાર દ્વારા સન્માન કરવા મનાવેલું. ઋણાનુબંધનો આ સિલસિલો ત્યાં સુધી રહ્યો કે એમને અંતિમ સમયે કાંધ પણ હેમુભાઈના પુત્રો એ આપી.

લોકસંગીતના આ દિગ્ગજ ગાયિકાની ગરવાઈ આભને આંબે તેવી હતી . હેમુગઢવી નાં અવસાન બાદ તેમણે ગાયન ક્ષેત્ર છોડી દીધું હતું અને પછી ક્યારેય ગાયું ન હતું.

આ પણ વાંચો : Gujarati Video : ગુજરાતમાં જંત્રીના ભાવ બમણા કરાતા સુરત બિલ્ડર એસોસિએશનનો વિરોધ, સીએમને રજૂઆત કરાશે

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">