AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Death : ગુજરાતી લોકસંગીતના લોકગાયિકા દીના ગાંધર્વ (બેનર્જી) નું અવસાન

આકાશવાણી રાજકોટ કેન્દ્રના પ્રારંભના સમયે આકાશવાણી રાજકોટના ઉદ્ઘોષિકા અને લોકગાયક હેમુ ગઢવીના સહકર્મી રહેલા લોક ગાયિકા દીના ગાંધર્વ (બેનર્જી) નું આજ રોજ અમદાવાદ ખાતે એમના નિવાસ સ્થાને સવારે 94 વર્ષની ઉંમરે અવસાન થયું છે. છેલ્લા એકાદ માસથી તેઓ બીમાર રહેતા હતા

Death : ગુજરાતી લોકસંગીતના લોકગાયિકા દીના ગાંધર્વ (બેનર્જી) નું અવસાન
Dinaben Gandharva
Ajit Gadhavi
| Edited By: | Updated on: Feb 05, 2023 | 6:07 PM
Share

આકાશવાણી રાજકોટ કેન્દ્રના પ્રારંભના સમયે આકાશવાણી રાજકોટના ઉદ્ઘોષિકા અને લોકગાયક હેમુ ગઢવીના સહકર્મી રહેલા લોક ગાયિકા દીના ગાંધર્વ (બેનર્જી) નું આજ રોજ અમદાવાદ ખાતે એમના નિવાસ સ્થાને સવારે 94 વર્ષની ઉંમરે અવસાન થયું છે. છેલ્લા એકાદ માસથી તેઓ બીમાર રહેતા હતા.ઉલ્લેખનીય છે કે દીનાબહેને હેમુ ગઢવીના આકાશવાણી રાજકોટના શરૂઆતના મોટાભાગના સર્જનોમા ગીતો ગાયાં છે. કવળાં સાસરિયાં, જેસલ તોરલ , દાસી જીવણ, વિગેરે સંગીતિકાઓ માં દીનાબહેને સ્વર આપ્યો છે.

દીના બહેને હેમુભાઈ સાથે ગાયેલા ગીતો આજે  પણ સંભળાય છે

આ ઉપરાંત HMV માં હેમુ ગઢવી ના અતિ લોકપ્રિય થયેલાં આલ્બમ “સ્મરણાંજલિ” માં સોનાવાટકડી રે કેસર ઘોળ્યા, સવા બશેર નું મારું દાતરડું, પેલા પેલા જુગ માં રાણી, કચ્છ માં અંજાર મોટા શેર છે, મોરબી ની વાણીયણ મચ્છુ પાણી જાય જેવા યાદગાર ગીતો દીના બહેને હેમુભાઈ સાથે ગાયેલા. જે આજે પણ સંભળાય છે.

દીનાબેનનો જન્મ ભાવનગર માં ગાંધર્વ પરિવાર માં 1928 માં થયેલો

દીનાબેનનો જન્મ ભાવનગર માં ગાંધર્વ પરિવાર માં 1928 માં થયેલો. તેઓ એ વિનયન માં સ્નાતક અને અનુસ્નાતક ની ડીગ્રી પચાસ ના દાયકા માં મેળવેલી. લોક સંગીતનું શિક્ષણ તેઓ એ આકાશવાણી રાજકોટ ખાતે હેમુભાઈ પાસે થી મેળવ્યું અને બિલકુલ સોરઠી મિજાજ માં અદભૂત લોકગીતો, ભજનો, કથાગીતો ગયેલાં. સન 1955 થી 1962 સુધી તેઓ રાજકોટ કેન્દ્ર પર રહ્યા.

તરુણ બેનર્જી સાથે લગ્ન ગ્રંથિ વડે જોડાઈને દિલ્હી ખાતે સ્થાયી થયેલા

ત્યારબાદ એ સમયનાં રાજકોટ પોલીટેકનિક ના અધ્યાપક એવા તરુણ બેનર્જી સાથે લગ્ન ગ્રંથિ વડે જોડાઈને દિલ્હી ખાતે સ્થાયી થયેલા. આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પર તેમણે ગુજરાતી વિભાગ માટે સંશોધન, સંકલન અને પ્રસ્તુતિ નું પ્રશંશનીય કામ કર્યું. નિવૃત્તિ બાદ થોડો સમય દિલ્હી માં રહ્યાબદ આ યુગલ અમદાવાદ સ્થાયી થયું હતું.એમના પતિ નું અવસાન 2016 માં થયા બાદ તેઓ એકલપંડે ખૂબ આત્મવિશ્વાસ થી રહેતાં.

અંતિમ સમયે કાંધ પણ હેમુભાઈના પુત્રોએ આપી

દીના બહેન નિસંતાન હતાં. પરંતુ હેમુભાઈના સંતાનોને તેઓ કાયમ પોતીકાં માનતા અને હેમૂગઢવી પરિવાર ના તમામ સારા-માઠા પ્રસંગે અચૂક હાજરી આપતાં . સન 2015 માંહેનું ગઢવી ની 50 મી પુણ્યતિથી ના અવસરે એમણે લોકસંગીત માં આપેલ યોગદાન બદલ તેઓ નું હેમુ ગઢવી પરિવાર દ્વારા સન્માન કરવા મનાવેલું. ઋણાનુબંધનો આ સિલસિલો ત્યાં સુધી રહ્યો કે એમને અંતિમ સમયે કાંધ પણ હેમુભાઈના પુત્રો એ આપી.

લોકસંગીતના આ દિગ્ગજ ગાયિકાની ગરવાઈ આભને આંબે તેવી હતી . હેમુગઢવી નાં અવસાન બાદ તેમણે ગાયન ક્ષેત્ર છોડી દીધું હતું અને પછી ક્યારેય ગાયું ન હતું.

આ પણ વાંચો : Gujarati Video : ગુજરાતમાં જંત્રીના ભાવ બમણા કરાતા સુરત બિલ્ડર એસોસિએશનનો વિરોધ, સીએમને રજૂઆત કરાશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">