AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયો સંતવાણી સન્માન સમારંભ, મોરારી બાપુએ જણાવ્યું ભજનનું મહત્વ

ચિત્રકૂટધામ તલગાજરડામાં સંતવાણી સન્માન સમારોહ ભવ્યતાથી યોજાયો. મોરારિબાપુએ ભજનના મહત્વ પર ભાર મૂક્યો.

ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયો સંતવાણી સન્માન સમારંભ, મોરારી બાપુએ જણાવ્યું ભજનનું મહત્વ
| Updated on: Nov 08, 2025 | 5:26 PM
Share

ચિત્રકુટધામ તલગાજરડામાં ભવ્ય રીતે સંતવાણી સન્માન સમારંભ યોજાયો હતો. પ્રસંગે મોરારિબાપુએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, “ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે.” બાપુએ સમજાવ્યું કે ભજનથી ભૂતકાળની ચિંતા દૂર થાય છે, ભવિષ્ય પ્રેરણાદાયી બને છે અને વર્તમાનમાં પ્રગતિ શક્ય બને છે.

મોરારિબાપુએ જણાવ્યું કે ભજનાનંદી વ્યક્તિને ભય, ભ્રમ કે ભેદ રહેતો નથી. વેર, વ્યસન કે વિગ્રહના ભાવો હોતાં નથી અને તે મર્મ, ધર્મ અને કર્મની સાચી સમજ મેળવી લે છે. બાપુએ ઉમેર્યું કે ભજન હંમેશા આનંદ અને ઉર્જાનો સ્ત્રોત છે, જે માનવીના જીવનને પ્રકાશિત કરે છે.

કારતક વદ બીજના દિવસે, જે બાપુના પિતા પ્રભુદાસબાપુની પુણ્યતિથિ તરીકે મનાવવામાં આવે છે, તે પ્રસંગે આ સન્માન સમારંભ યોજાયો હતો. સંતવાણી વંદના સમારંભમાં સંતવાણીના આદિ સર્જક ભક્ત કવિ ગેમલદાસજી (ગેમલજી ગોહિલ)ની વંદના કરવામાં આવી.

કોને કોને મળ્યું સન્માન

વર્ષ 2025 માટેના સંતવાણી સન્માનથી સન્માનિત થયેલાં ભજનિકોમાં પ્રતિનિધિ નરેન્દ્રસિંહ ગોહિલ (કુકડ), ભજનિક પરસોત્તમપુરી ગોસ્વામી (જામ ખંભાળિયા), તબલા વાદક રમેશપુરી ગોસ્વામી (કળમ લખતર), વાદ્ય વાદક (બેન્જો) ધીરજસિંહ અબડા (જખૌ કચ્છ) અને મંજીરા વાદક હર્ષદગિરિ ગોસ્વામી (વલ્લભીપુર)નો સમાવેશ થાય છે. તમામને મોરારિબાપુના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા.

આ સમારંભના સંચાલનનો ભાગ હરિશ્ચંદ્ર જોષીએ સંભાળ્યો હતો. તેમણે પ્રસંગોચિત વક્તવ્યમાં ગેમલજીબાપુની રચનાઓ અને જીવનચરિત્રનો ઉલ્લેખ કર્યો તેમજ આ સન્માન ઉપક્રમના વિકાસના તબક્કાઓની વિગત રજૂ કરી.

કાર્યક્રમમાં સંતો, મહંતો, વિદ્વાનો અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. અંતે ભજનિકોએ પોતાની વાણી દ્વારા સંતવાણીનું પાવન ગાન કરીને સમગ્ર પરિસર ભજનમય બનાવી દીધું.

આ 5 રાશિના જાતકોએ 2026માં રાખવી પડશે સાવધાની, શનિદેવના પ્રભાવથી બચવા કરો આ ઉપાય

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">