AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયો સંતવાણી સન્માન સમારંભ, મોરારી બાપુએ જણાવ્યું ભજનનું મહત્વ

ચિત્રકૂટધામ તલગાજરડામાં સંતવાણી સન્માન સમારોહ ભવ્યતાથી યોજાયો. મોરારિબાપુએ ભજનના મહત્વ પર ભાર મૂક્યો.

ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયો સંતવાણી સન્માન સમારંભ, મોરારી બાપુએ જણાવ્યું ભજનનું મહત્વ
| Updated on: Nov 08, 2025 | 5:26 PM
Share

ચિત્રકુટધામ તલગાજરડામાં ભવ્ય રીતે સંતવાણી સન્માન સમારંભ યોજાયો હતો. પ્રસંગે મોરારિબાપુએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, “ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે.” બાપુએ સમજાવ્યું કે ભજનથી ભૂતકાળની ચિંતા દૂર થાય છે, ભવિષ્ય પ્રેરણાદાયી બને છે અને વર્તમાનમાં પ્રગતિ શક્ય બને છે.

મોરારિબાપુએ જણાવ્યું કે ભજનાનંદી વ્યક્તિને ભય, ભ્રમ કે ભેદ રહેતો નથી. વેર, વ્યસન કે વિગ્રહના ભાવો હોતાં નથી અને તે મર્મ, ધર્મ અને કર્મની સાચી સમજ મેળવી લે છે. બાપુએ ઉમેર્યું કે ભજન હંમેશા આનંદ અને ઉર્જાનો સ્ત્રોત છે, જે માનવીના જીવનને પ્રકાશિત કરે છે.

કારતક વદ બીજના દિવસે, જે બાપુના પિતા પ્રભુદાસબાપુની પુણ્યતિથિ તરીકે મનાવવામાં આવે છે, તે પ્રસંગે આ સન્માન સમારંભ યોજાયો હતો. સંતવાણી વંદના સમારંભમાં સંતવાણીના આદિ સર્જક ભક્ત કવિ ગેમલદાસજી (ગેમલજી ગોહિલ)ની વંદના કરવામાં આવી.

કોને કોને મળ્યું સન્માન

વર્ષ 2025 માટેના સંતવાણી સન્માનથી સન્માનિત થયેલાં ભજનિકોમાં પ્રતિનિધિ નરેન્દ્રસિંહ ગોહિલ (કુકડ), ભજનિક પરસોત્તમપુરી ગોસ્વામી (જામ ખંભાળિયા), તબલા વાદક રમેશપુરી ગોસ્વામી (કળમ લખતર), વાદ્ય વાદક (બેન્જો) ધીરજસિંહ અબડા (જખૌ કચ્છ) અને મંજીરા વાદક હર્ષદગિરિ ગોસ્વામી (વલ્લભીપુર)નો સમાવેશ થાય છે. તમામને મોરારિબાપુના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા.

આ સમારંભના સંચાલનનો ભાગ હરિશ્ચંદ્ર જોષીએ સંભાળ્યો હતો. તેમણે પ્રસંગોચિત વક્તવ્યમાં ગેમલજીબાપુની રચનાઓ અને જીવનચરિત્રનો ઉલ્લેખ કર્યો તેમજ આ સન્માન ઉપક્રમના વિકાસના તબક્કાઓની વિગત રજૂ કરી.

કાર્યક્રમમાં સંતો, મહંતો, વિદ્વાનો અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. અંતે ભજનિકોએ પોતાની વાણી દ્વારા સંતવાણીનું પાવન ગાન કરીને સમગ્ર પરિસર ભજનમય બનાવી દીધું.

આ 5 રાશિના જાતકોએ 2026માં રાખવી પડશે સાવધાની, શનિદેવના પ્રભાવથી બચવા કરો આ ઉપાય

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">