AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar: શિક્ષણ વિભાગને લપડાક, તળાજા તાલુકાના નેસવડ ગામની શાળામાંથી ધોરણ 6થી 8ની પરીક્ષાના પેપરો ચોરાઈ ગયાં

Bhavnagar: શિક્ષણ વિભાગને લપડાક, તળાજા તાલુકાના નેસવડ ગામની શાળામાંથી ધોરણ 6થી 8ની પરીક્ષાના પેપરો ચોરાઈ ગયાં

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 9:16 AM
Share

મળતી માહિતી પ્રમાણે કુલ 24 પેપરની ચોરી થઈ છે.. જેમાં 7મા ધોરણના 7 વિષયના બધા જ પેપરમાંથી 3-3 પેપર મળીને 21 પેપર ચોરાયા છે. જ્યારે ધોરણ 8ના 3 પેપર પેપર ચોરાયા છે. આમ કુલ 24 પેપર ચોરી થયા છે. જેને લઈ શાળાના આચાર્યએ અડધી રાત્રે પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી છે.

વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને સ્કૂલ ઓફ એક્સેલેન્સની વાતો વચ્ચે શિક્ષણ વિભાગ (education department) ને લપડાક આપતી વધુ એક ઘટના સામે આવી છે. ધોરણ 6થી 8ની પરીક્ષાના પેપર ચોરી થઈ ગયા છે. આ ઘટના ખુદ શિક્ષણપ્રધાનના જિલ્લામાં જ ઘટી છે. ભાવનગર (Bhavnagar) જિલ્લાના તળાજા તાલુકાના નેસવડ ગામની શાળા (School) માંથી પ્રશ્નપત્રો ચોરાઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે કુલ 24 પેપરની ચોરી થઈ છે.. જેમાં 7મા ધોરણના 7 વિષયના બધા જ પેપરમાંથી 3-3 પેપર મળીને 21 પેપર ચોરાયા છે. જ્યારે ધોરણ 8ના 3 પેપર પેપર ચોરાયા છે. આમ કુલ 24 પેપર ચોરી થયા છે. જેને લઈ શાળાના આચાર્યએ અડધી રાત્રે પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી છે. જે બાદ ભાવનગર એલસીબી સહિતના પોલીસ કાફલાએ નેસવડની સ્કૂલમાં જઈને તપાસનો ધમધમાટ કર્યો છે. બીજી તરફ ધોરણ 7ની આજે અને આવતીકાલે લેવાનારી પરીક્ષા રદ કરવામાં આવી છે.

બીજી તરફ ઘટનાને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યમાં ક્યાં સુધી સર્જાતા રહેશે પેપરકાંડ? એક બાદ એક પેપરકાંડની ઘટનાઓ ક્યાં સુધી સર્જાતી રહેશે? શિક્ષણ તંત્રથી પ્રાથમિક શાળાના પેપર પણ નથી સચવાતા? એવી તે કેવી વ્યવસ્થા છે કે શાળામાંથી જ પેપર ચોરાઈ જાય છે? શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ શું કરી રહ્યા છે? શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યા છે? શિક્ષણપ્રધાનના જિલ્લામાં જ પેપરની ચોરી, અન્ય જિલ્લામાં શું સ્થિતિ હશે? વારંવાર પેપર ફૂટતા હોવા છતાં કેમ શિક્ષણ તંત્ર જાગતું નથી? શું આ રીતે જ રાજ્યનું ભવિષ્ય ઉજળું બનાવવા માગે છે શિક્ષણ વિભાગ?

આ પણ વાંચોઃ ગૌણ સેવા પસંદગી મંડળનો મહત્વનો નિર્ણય: સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતિ આચરનાર ઉમેદવાર ત્રણ વર્ષ સુધી નહીં આપી શકે પરીક્ષા

આ પણ વાંચોઃ Surat : સુરતમાં ટેક્સ્ટાઇલ યુનિટ સ્થાપવા પાણીપતનાં ઉદ્યોગપતિઓની તૈયારી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">