AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : વર્ષો જૂની પાણી-ડ્રેનેજ લાઈન બદલવા માટે સુર્યપુર ગરનાળાથી લાલ દરવાજા સુધીનો રસ્તો 10મી મે સુધી બંધ

હાલમાં સેન્ટ્રલ (Central ) ઝોનના કોટ વિસ્તારમાં રીહેબીલીટેશનની કામગીરી હેઠળ દાયકાઓ જુની પાણી અને ડ્રેનેજની લાઈનનું નેટવર્ક બદલવાની પહેલા તબક્કાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Surat : વર્ષો જૂની પાણી-ડ્રેનેજ લાઈન બદલવા માટે સુર્યપુર ગરનાળાથી લાલ દરવાજા સુધીનો રસ્તો 10મી મે સુધી બંધ
સુર્યપુર ગરનાળાથી લાલ દરવાજા સુધીનો રસ્તો 10 મે સુધી બંધ(ફાઈલ તસ્વીર)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 8:58 AM
Share

ચોમાસાની (Monsoon ) સિઝન પહેલા શહેરના કોટ વિસ્તારમાં દાયકાઓ જુની પાણી (Water ) અને ડ્રેનેજના (Drainage ) નેટવર્કના નવીનીકરણની કામગીરી યુદ્ધસ્તરે શરૂ કરી દેવામાં આવી છે. જેને પગલે આજથી સુરત રેલવે સ્ટેશન પાસે સતત ટ્રાફિકથી ધમધમતા સૂર્યપુર ગરનાળાથી લાલ દરવાજા સુધીનો રસ્તો આગામી 10મી મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય પીરછડી રોડ, કાંસકીવાડ સહિતના કોટ વિસ્તારની ગલીઓમાં પણ 30મી એપ્રિલ સુધી વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે. જેને પગલે આ વિસ્તારમાં આગામી 20 – 25 દિવસ સુધી ટ્રાફિકને પગલે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે તે નિશ્ચિત છે.

મનપાના હાઈડ્રોલિક વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર હાલમાં સેન્ટ્રલ ઝોનના કોટ વિસ્તારમાં રીહેબીલીટેશનની કામગીરી હેઠળ દાયકાઓ જુની પાણી અને ડ્રેનેજની લાઈનનું નેટવર્ક બદલવાની પહેલા તબક્કાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આવતીકાલથી પહેલા તબક્કાની કામગીરીના ભાગરૂપે લાલદરવાજા જંકશનથી રેશમ ભવન થઈ સૂર્યપુર ગરનાળા સુધી પાણીની લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

કયા રસ્તાઓ રહેશે બંધ ?

આ કામગીરીને પગલે આગામી 10મી મે સુધી આ વિસ્તાર વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. જો કે, વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ તરીકે સુર્યપુર ગરનાળાથી કતારગામ તરફ જવા માટે સુમુલ ડેરી રોડ જ્યારે પોદ્દાર આર્કેડ વૈશાલી થઈ અલ્કાપુરી બ્રિજ પર થઈ કતારગામ જવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી ચે. આ સિવાય લાલ દરવાજા જંકશન પર જવા માટે સુર્યપુર ગરનાળાથી રેલવે સ્ટેશન થઈ દિલ્હીગેટનો રસ્તો ખુલ્લો રહેશે.

આ પ્રમાણે પીરછડી રોડથી ગોળવાળા ચકલા થઈ કાંસકીવાડ ચાર રસ્તા તરફ જતા વાહનો ઉપરાંત રાહદારીઓએ વિકલ્પે પીરછડી રોડ થઈ શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિર થઈ જદાખાડી થઈ ભવાની માતાજી મંદિર થઈ રોયલ બેકરી થઈ કાંસકીવાડ, ચાર રસ્તા તરફ જઈ શકશે.

પાલિકાની કામગીરી દરમિયાન માળી ફળિયુ, મસ્કતિ હોસ્પીટલની ગલી પીરછડીરોડથી મસ્કતિ હોસ્પીટલ તરફ જતા વાહનો ઉપરાંત રાહદારીઓએ વિકલ્પે પીરછડીરોડથી દારૂખાના રોડ થઈ રાજમાર્ગ થઈ મસ્કતી હોસ્પીટલ તરફ જઈ શકાશે. તે મુજબ મસ્કતી હોસ્પીટલથી ગોળવાડા ચકલા થઈ માળી ફળિયા થી પીરછડી રોડ તરફ રાજમાર્ગ થી ભાગળ ચાર રસ્તા થઈ પીરછડી રોડ તરફ જઈ શકશે. આ ઉપરાંત વાહન અને રાહદારીઓ અન્ય આંતરિક રસ્તાઓનો ઉપયોગ પણ કરી શકશે.

આવી જ રીતે બેગમપુરા મેઈન રોડ, પ્રગતિ સ્કૂલથી ફાલસાવાડી ચાર રસ્તા સુધી આવતા અને જતા વાહનો ઉપરાંત રાહદારીઓએ વિકલ્પે પ્રગતિ સ્કૂલ થી નવાબવાડી રોડ થઈ બોબી રસ સેન્ટર થઈ સલાબતપુરા પંપીગ સ્ટેશન થઈ સલાબતપુરા મેઈન રોડ થઈ દાણાપીઠ મેઈન રોડ થઈ ગણેશ આમલેટ તરફ જઈ શકશે. તે મુજબ ગણેશ આમલેટ થી ફાલસાવાડી મેઈન રોડ થઈ સુરત ટોકીઝ પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક થઈ પ્રગતિ સ્કુલ તરફ જઈ શકાશે.

આ પણ વાંચો :

Surat: રૂપિયા 23.60 લાખના 502 ગ્રામ સોનાના ડસ્ટ પાઉડરની ચોરી, 6 આરોપી પકડાયા

સુરત : પેસેન્જરોને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">