AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નબળી નેતાગીરીના કારણે ભાવનગર- મુંબઈ વિમાની સેવા બંધ થશે

ભાવનગરથી મુંબઇ વચ્ચે સારો ટ્રાફિક મળી રહે છે. એર ઇન્ડિયા દ્વારા ભાવનગરથી મુંબઈ અને મુંબઇથી ભાવનગર વચ્ચે હવાઈ સેવા સંચાલિત કરવામાં આવી રહી છે, અને તેના મુસાફરો દ્વારા સારો પ્રતિસાદ પણ સાંપડી રહ્યો હતો.

નબળી નેતાગીરીના કારણે ભાવનગર- મુંબઈ વિમાની સેવા બંધ થશે
Bhavnagar-Mumbai flight service will be closed due to poor leadership
Ajit Gadhavi
| Edited By: | Updated on: Mar 03, 2022 | 6:43 PM
Share

કનેક્ટિવિટીની વાત આવે ત્યારે હંમેશા ભાવનગર સાથે અન્યાય થતો આવ્યો છે. ભાવનગર જિલ્લામાં એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ આવેલું છે. અને તેના મોટાભાગના વેપારીઓ મુંબઈ સાથે જોડાયેલા છે. તેમજ ભાવનગર જિલ્લામાં જૈન ધર્મનું સૌથી મોટું આસ્થાનું ધામ પાલીતાણા આવેલું હોવા છતાં પણ આગામી સાતમી માર્ચે ભાવનગર-મુંબઈ (Bhavnagar-Mumbai)વચ્ચેની એકમાત્ર ફલાઇટ (Flight)બંધ થવા જઈ રહી છે. જેને લઇને ભાવનગરના વેપારી અગ્રણીઓ રોષ ઠાલવ્યો છે. ભાવનગરથી મુંબઇ વચ્ચે એરઇન્ડિયા (Air India)અને સ્પાઇસ જેટની (Spice Jet)ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવી રહી છે.

ભાવનગરથી મુંબઇ વચ્ચે સારો ટ્રાફિક મળી રહે છે. એર ઇન્ડિયા દ્વારા ભાવનગરથી મુંબઈ અને મુંબઇથી ભાવનગર વચ્ચે હવાઈ સેવા સંચાલિત કરવામાં આવી રહી છે, અને તેના મુસાફરો દ્વારા સારો પ્રતિસાદ પણ સાંપડી રહ્યો હતો.આમ છતાં એકાએક એર ઇન્ડિયા દ્વારા આગામી તારીખ 7 મી માર્ચથી ભાવનગર-મુંબઈ અને મુંબઈ-ભાવનગર વચ્ચેની હવાઈ સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય અને કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રીઓ ભાવનગર જિલ્લાના છે, ઉપરાંત ભાવનગરના સાંસદ શાસક પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, છતાં ભાવનગરને નવી સગવડતાઓ અપનાવવાને બદલે જે સગવડતાઓ ગયા હોય છે તે પણ ધીમે ધીમે છીનવી લેવામાં આવી રહી છે.

ભાવનગરમાં ભાજપના નેતાઓની નબળી નેતાગીરીના કારણે ભાવનગરની પ્રજાની અનેક સુવિધાઓ ધીરે ધીરે ઓછી થઈ રહી છે. ભાવનગરમાં હવે સપ્તાહમાં માત્ર ત્રણ વખત સ્પાઈસ જેટની ભાવનગર મુંબઈ વચ્ચે હવાઇ સેવા ઉપલબ્ધ બની શકશે. અગાઉ દિલ્હી ભાવનગર વચ્ચેની હવાઈ સેવા શરૂ કર્યાના થોડા જ દિવસોમાં બંધ કરવામાં આવી હતી, ઉપરાંત સુરત ભાવનગર વચ્ચે જેટની ફ્લાઇટ પણ બંધ કરવામાં આવી હતી.એરઈન્ડીયાનું સુકાન ટાટાએ સંભાળ્યું ત્યારે ભાવનગરને કાયમી મુંબઈની ફ્લાઈટ આપવા માટે ચેમ્બરે પત્ર લખેલ છે. અત્યારે મુંબઈ ફ્લાઈટમાં 70 ટકાથી વધુ પેસેન્જરો પણ મળતા હતા. હજી અલંગ સહિતના ઉદ્યોગોનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે.

ત્યારે આ ફ્લાઈટ ચાલુ રહેવી જોઈએ અને જો શરૂ નહીં રહે તો વિરોધ પણ કરીશું તેવું ચેમ્બરના પ્રમુખે જણાવ્યું હતું. ભાવનગર જિલ્લામાં વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ ખાતે આવેલું છે તેમજ જૈનોનું સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર પણ ભાવનગર જિલ્લામાં આવેલું છે. જેને કારણે મુંબઈ અને ભાવનગર વચ્ચે ફ્લાઈટ મહત્તમ ઉપયોગ થતો હોય છે. આમ છતા પણ ક્યાં કારણોસર તંત્ર દ્વારા મુંબઈની ફલાઇટ બંધ કરવાનો નિર્ણય લેવાયો તે વિચારવાનું રહ્યું. જોકે ભાજપના નેતાઓ આવતી સાત તારીખે ફ્લાઇટ બંધ નહિ થાય તેવું કહી રહ્યા છે.

આ પણ વાંચો : Mehsana : સાંસદ શારદાબેન પટેલે યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓની મુલાકાત લીધી

આ પણ વાંચો : RAJKOT : મહેન્દ્ર પટેલ આત્મહત્યા કેસમાં આરોપીઓને શોધવા પોલીસ કામે લાગી, આશ્રયસ્થાનો પર દરોડા કરાયા

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">