AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar: સત્તાધીશોની બેદરકારીને લઈ મહુવાની બગડ નદીનો પૂલ ધોવાયો, ગ્રામજનોની 8 મહિનાની રજૂઆત પાણીમાં ગઈ

ભાવનગરના મહુવામાં (mahuva) પાણીના ધસમસતા પ્રવાહથી બગડ નદીનો પૂલ તૂટતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. આ પુલના સમારકામ માટે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી હતી છતાં આ પુલનું સમારકામ કરવામાં આવ્યું નહોતું.

Bhavnagar: સત્તાધીશોની બેદરકારીને લઈ મહુવાની બગડ નદીનો પૂલ ધોવાયો, ગ્રામજનોની 8 મહિનાની રજૂઆત પાણીમાં ગઈ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 1:31 PM
Share

ભાવનગરના મહુવામાં (Mahuva)સત્તાધીશોની બેદરકારીના કારણે બગડ નદી પરનો પુલ (River Bridge)તૂટી ગયો છે. પાણીના ધસમસતા પ્રવાહથી આખો પુલ તૂટી જતાં સ્થાનિકોની હાલાકીમાં વધારો થયો છે.  પુલ તૂટી જતા અહીં દાઠાથી તળાજા બોરડાનો રસ્તો જ બંધ થઈ ગયો છે. દાઠા ગામમાં  જવાનો આ એકમાત્ર  રસ્તો  છે અને અન્ય રસ્તેથી  જવામાં  15 કિલોમીટરથી વધુ રસ્તો કાપવો પડે તેમ છે. આથી લોકોના સમય અને  પેટ્રોલનો વ્યય થાય છે. આથી લોકો  જીવના જોખમે આ ટૂંકો રસ્તો પસાર કરવા મજબૂર  બન્યા છે. મહુવામાં  ચોમાસામાં પહેલા જ  વરસાદમાં બગડ ડેમ ઓવરફ્લો થઇ ગયો હતો અને નીચાણવાસના અનેક ગામોમાં પાણી ભરાયા. બગડ નદીના પાણી ફરી વળતાં મહુવા-બગદાણા અને તળાજા-મહુવા રોડ બંધ કરવામાં આ‌વ્યો છે.

વારંવારની રજૂઆતો છતાં તંત્ર બહેરું

મહુવાના  દાઠાથી તળાજા બોરડા જવા માટે આ મહત્વનો પુલ હતો અને તે છેલ્લા ઘણા સમયથી  જર્જરતિ હતો. આ અંગે  છેલ્લા  8 મહિનાથી ગ્રામિણોએ  વારંવાર રજૂઆત કરતા હતા કે આ પુલનું સમારકામ કરવામાં આવે, પરંતુ તંત્રના બહેરા કાને અથડાઇને આ ફરિયાદો પાછી આવતી હતી તેમજ પુલના સમારકામ માટે કોઈ નક્કર પગલાં પણ લેવામાં ન આવ્યા. સ્થાનિકોનું કહેવું છે કે જો પુલનું સમારકામ થઈ ગયું હોત તો આજે આ સ્થિતિ ન ઉદભવી હોત. આવી પરિસ્થિતિમાં કોઈને જો આકસ્મિક સારવાર લેવાની હોય તો એમ્બ્યુલન્સ પણ ન આવે તેવી પરિસ્થિતિમાં સ્થાનિક તંત્ર લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યું છે.

તંત્ર ઘોર નિંદ્રામાંથી ક્યારે જાગશે?

ઘટનાને લઈ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે   શા માટે વારંવારની રજૂઆતો છતાં  જવાબદાર તંત્રએ લોકોની રજૂઆતો પર ધ્યાન ન આપ્યું? શું આવી જ સ્થિતિમાં આવા તેમજ અન્ય પુલ રહેવા દેવામાં આવશે.  શા માટે સત્તાધીશો લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે? કોઈ મેડિકલ ઈમર્જન્સીના સમયે એમ્બ્યુલન્સ ક્યાંથી ગામમાં જાય? સત્તાધીશો ક્યારે લોકોને આ સમસ્યામાંથી મુક્તિ અપાવશે? ભાવનગર શહેરમાં પણ પ્રિ મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવા માટે  નાગરિકોએ રજૂઆતો કરી હતી.  જોકે તે કામ પણ  પૂર્ણ ન થતા  શહેરી નાગરિકો પણ વરસાદમાં મુશ્કેલીમાં મૂકાય છે ત્યારે પ્રશ્ન એ છે કે ભાવનગર ગ્રામ્ય તથા શહેરીમાં તંત્ર દ્વારા  શા માટે ચોમાસાના કામ પૂર્ણ કરવા અંગે ધ્યાન આપવામાં આવતું નથી.

Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
g clip-path="url(#clip0_868_265)">