Bhavnagar: સત્તાધીશોની બેદરકારીને લઈ મહુવાની બગડ નદીનો પૂલ ધોવાયો, ગ્રામજનોની 8 મહિનાની રજૂઆત પાણીમાં ગઈ

ભાવનગરના મહુવામાં (mahuva) પાણીના ધસમસતા પ્રવાહથી બગડ નદીનો પૂલ તૂટતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. આ પુલના સમારકામ માટે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી હતી છતાં આ પુલનું સમારકામ કરવામાં આવ્યું નહોતું.

Bhavnagar: સત્તાધીશોની બેદરકારીને લઈ મહુવાની બગડ નદીનો પૂલ ધોવાયો, ગ્રામજનોની 8 મહિનાની રજૂઆત પાણીમાં ગઈ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 1:31 PM

ભાવનગરના મહુવામાં (Mahuva)સત્તાધીશોની બેદરકારીના કારણે બગડ નદી પરનો પુલ (River Bridge)તૂટી ગયો છે. પાણીના ધસમસતા પ્રવાહથી આખો પુલ તૂટી જતાં સ્થાનિકોની હાલાકીમાં વધારો થયો છે.  પુલ તૂટી જતા અહીં દાઠાથી તળાજા બોરડાનો રસ્તો જ બંધ થઈ ગયો છે. દાઠા ગામમાં  જવાનો આ એકમાત્ર  રસ્તો  છે અને અન્ય રસ્તેથી  જવામાં  15 કિલોમીટરથી વધુ રસ્તો કાપવો પડે તેમ છે. આથી લોકોના સમય અને  પેટ્રોલનો વ્યય થાય છે. આથી લોકો  જીવના જોખમે આ ટૂંકો રસ્તો પસાર કરવા મજબૂર  બન્યા છે. મહુવામાં  ચોમાસામાં પહેલા જ  વરસાદમાં બગડ ડેમ ઓવરફ્લો થઇ ગયો હતો અને નીચાણવાસના અનેક ગામોમાં પાણી ભરાયા. બગડ નદીના પાણી ફરી વળતાં મહુવા-બગદાણા અને તળાજા-મહુવા રોડ બંધ કરવામાં આ‌વ્યો છે.

વારંવારની રજૂઆતો છતાં તંત્ર બહેરું

મહુવાના  દાઠાથી તળાજા બોરડા જવા માટે આ મહત્વનો પુલ હતો અને તે છેલ્લા ઘણા સમયથી  જર્જરતિ હતો. આ અંગે  છેલ્લા  8 મહિનાથી ગ્રામિણોએ  વારંવાર રજૂઆત કરતા હતા કે આ પુલનું સમારકામ કરવામાં આવે, પરંતુ તંત્રના બહેરા કાને અથડાઇને આ ફરિયાદો પાછી આવતી હતી તેમજ પુલના સમારકામ માટે કોઈ નક્કર પગલાં પણ લેવામાં ન આવ્યા. સ્થાનિકોનું કહેવું છે કે જો પુલનું સમારકામ થઈ ગયું હોત તો આજે આ સ્થિતિ ન ઉદભવી હોત. આવી પરિસ્થિતિમાં કોઈને જો આકસ્મિક સારવાર લેવાની હોય તો એમ્બ્યુલન્સ પણ ન આવે તેવી પરિસ્થિતિમાં સ્થાનિક તંત્ર લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તંત્ર ઘોર નિંદ્રામાંથી ક્યારે જાગશે?

ઘટનાને લઈ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે   શા માટે વારંવારની રજૂઆતો છતાં  જવાબદાર તંત્રએ લોકોની રજૂઆતો પર ધ્યાન ન આપ્યું? શું આવી જ સ્થિતિમાં આવા તેમજ અન્ય પુલ રહેવા દેવામાં આવશે.  શા માટે સત્તાધીશો લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે? કોઈ મેડિકલ ઈમર્જન્સીના સમયે એમ્બ્યુલન્સ ક્યાંથી ગામમાં જાય? સત્તાધીશો ક્યારે લોકોને આ સમસ્યામાંથી મુક્તિ અપાવશે? ભાવનગર શહેરમાં પણ પ્રિ મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવા માટે  નાગરિકોએ રજૂઆતો કરી હતી.  જોકે તે કામ પણ  પૂર્ણ ન થતા  શહેરી નાગરિકો પણ વરસાદમાં મુશ્કેલીમાં મૂકાય છે ત્યારે પ્રશ્ન એ છે કે ભાવનગર ગ્રામ્ય તથા શહેરીમાં તંત્ર દ્વારા  શા માટે ચોમાસાના કામ પૂર્ણ કરવા અંગે ધ્યાન આપવામાં આવતું નથી.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">