AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેતી ચોરી મુદ્દે મનસુખ વસાવાએ અધિકારીઓને ગાળો આપી, આધિકારીઓને આવેદન આપ્યું તો કહ્યું કે રેતી માફિયાઓના ઈશારે આપ્યું છે

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માલોદ ગામ પાસે રેતી ભરેલા ડમ્પરને કારણે ત્રણ વ્યક્તિ મોત નિપજ્યા હતા જે અંગે સાંસદ મનસુખ વસાવાએ સ્થળ પર પહોંચીને અધિકારીઓ સાથે વાતચીત કરતા તેઓ ગુસ્સે થઈને બિભત્સ વર્તન કર્યું હતું

રેતી ચોરી મુદ્દે મનસુખ વસાવાએ અધિકારીઓને ગાળો આપી, આધિકારીઓને આવેદન આપ્યું તો કહ્યું કે રેતી માફિયાઓના ઈશારે આપ્યું છે
રેતી ચોરી મુદ્દે મનસુખ વસાવાએ અધિકારીઓને ગાળો આપી, આધિકારીઓને આવેદન આપ્યું તો કહ્યું કે રેતી માફિયાઓના ઈશારે આપ્યું છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 12:12 PM
Share

ભરૂચના સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava)  ફરી એક વખત વિવાદમાં આવ્યા છે.  રેતી ચોરી મુદ્દે તેમણે અધિકારીઓને જાહેરમાં ગાળો આપી હતી. જોકે આ ઘટના બાદ અધિકારીઓએ તેમની સામે  આવેદનપત્ર આપ્યું છે, પણ આ આવેદન બાબતે સાંસદે જણાવ્યું કે રેતી માફિયાઓ (sand mafia) ના ઈશારે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગઈ કાલે રેતીના ડમ્પરની ટક્ટકરે ત્નારણ લોકોના મોત થયાં બાદ સાંસદ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને મૃતકોને પુષ્પાંજલિ કરતા હતા ત્યારે અધિકારીઓ હસતા હતા જેથી પોતાનો પિત્તો ગયો તેમ સાંસદે જણાવ્યું છે.

વડોદરા(Vadodara) જિલ્લાના કરજણ તાલુકાના માલોદ ગામ પાસે રેતી ભરેલા ડમ્પરને કારણે ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા જે અંગે ગઈકાલે કેન્દ્રના પૂર્વ મંત્રી અને સાંસદ મનસુખ વસાવાએ સ્થળ પર પહોંચીને અધિકારીઓ સાથે વાતચીત કરતા તેઓ ગુસ્સે થઈને બિભત્સ વર્તન કર્યું હતું અને અધિકારીઓ હપ્તા લે છે તેઓ આક્ષેપ પણ કર્યો હતો.

વડોદરા જિલ્લાના પાલેજ – નારેશ્વર માર્ગ પર માલોદ ગામ પાસે અકસ્માત માં ત્રણ વ્યક્તિના મોત થયા હતા તે બાદ આજે સવારે ભાજપના સાંસદ મનસુખ વસાવા અને માજી ધારાસભ્ય સતિષ નીશાળીયા સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં મામલતદાર અને સર્કલ ઓફિસર ને બોલાવ્યા હતા.ઓવરલોડ રેતી વહન કરતી ટ્રક ના કારણે અકસ્માત થયો હોવાનો લોકો એ કર્યો હતો આક્ષેપ કર્યો હતો જે અંગે ભાજપના સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય સતિષ નીશાળીયાએ અધિકારીઓને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે રેતીની ટ્રકો દોડે છે ગઇકાલે ત્રણ વ્યક્તિના મરણ થયા છતાં તમે કોઈ કાર્યવાહી કરતા નથી તમે હપ્તા લો છો તેમ કહીને અધિકારીઓ સાથે ગાળા ગાળી કરી હતી.

મામલતદાર અને સર્કલ ઓફિસર એ સ્પષ્ટતા કરી કે તમારા કહ્યા પ્રમાણે અમે ચેકિંગ પણ કર્યું છે અને સરપંચ ને પણ સૂચના આપી છે કે તમે રેતી ના ખોદકામ માટે મંજૂરી આપશો નહીં તેમ છતાં તેઓ મંજૂરી આપે છે એમ કહેતા ફરી સાંસદ અને પૂર્વ ધારાસભ્ય એ અધિકારીઓનો ઉધડો લીધો હતો કે અત્યાર સુધીમાં અનેક લોકોના અકસ્માત થયા છે તેમ છતાં આ ટ્રકો દેખાવ ધરાવે છે અને વહીવટી તંત્ર કોઈ કામ કરતું નથી.

આ સમગ્ર ઘટના બાબતે અધિકારીઓએ મનસુખ વસાવા વિરુદ્ધ આવેદન પત્ર પણ આપ્યું છે અને સાંસદ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની વાત કરી છે ત્યારે મનસુખ વસાવા એ જણવ્યું કે લોકશાહીમાં દરેકને હક છે મારી સામે કાર્યવાહી થાય તો મને કોઈ વાંધો નથી જયારે સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના સિસોદરા સહીત નર્મદા પટ્ટા ના ગામોમાં ચાલતી બે રોકટોક લીઝ માફિયાઓ સામે આગામી દિવસોમાં એક ઝુંબેશ ઉપાડવાની પણ વાત કરી છે મહેસુલી કર્મચારીઓ એ જે આવેદનપત્ર આપ્યું છે તે રેતી માફિયાઓના ઈશારે અપાયું છે તેમ મનસુખ વસાવાએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Surat : કોરોનાના પ્રતિબંધો હળવા થતા જ લગ્નસરામાં આપવામાં આવતી સસ્તી સાડીઓની ડિમાન્ડ વધી, વેપારીઓ તૈયારીમાં લાગ્યા

આ પણ વાંચોઃ ર્પોરેશનના બજેટમાં સુરતના મિલકતદારોને મળી રહી છે મોટી રાહત, જાણો શું છે ખાસ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">