AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કોર્પોરેશનના બજેટમાં સુરતના મિલકતદારોને મળી રહી છે મોટી રાહત, જાણો શું છે ખાસ

યોજના ફકત 31 માર્ચ 2022 સુધી જ અમલી હોવાથી 3.60 લાખ મિલકતદારોને તેનો લાભ લેવા પાલિકાએ અપીલ કરી છે. બાકી વેરો ભરપાઇ કરી દે તો તેમને વ્યાજમાં 100 ટકા માફી આપવામાં આવશે.

Surat : કોર્પોરેશનના બજેટમાં સુરતના મિલકતદારોને મળી રહી છે મોટી રાહત, જાણો શું છે ખાસ
Surat Municipal Corporation
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 7:50 AM
Share

કોરોનાને (Corona ) કારણે છેલ્લાં બે વર્ષથી લોકોની હાલત કફોડી થઇ છે . રહેણાક અને બિનરહેણાકમાં 3.60 લાખ મિલકતદારો પાલિકાનો વેરો (Tax ) ભરપાઇ કરી શક્યા નથી . શહેરના 3,60,539 મિલકતદારોએ વેરા પેટે રૂ . 570 કરોડ ચૂકવવાના બાકી છે. રૂ . 570 કરોડના બાકી વેરામાં રૂ.181 કરોડની વ્યાજની રકમનો સમાવેશ થાય છે . ત્યારે સુરત મહાનગરપાલિકા(SMC)  દ્વારા 31-03-2021 રોજ મિલકતવેરો ભરવાનો બાકી હોય તેવા મિલકતદારો પાસેથી વ્યાજ માફી આપવાનો નિર્ણય કર્યો છે.

રહેણાક મિલકતોમા 31 મી માર્ચ સુધીમાં સામાન્ય સભામાં બજેટ મંજૂર થતા વ્યાજમાફી શરૂ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાએ પહેલી વખત મિલકતવેરાના બાકી ચુકવણામાં વ્યાજ માફી યોજના લાગુ કરી છે. સામાન્ય સભામાં બજેટ મંજુર થતા જ વ્યાજ માફી યોજના લાગુ પડી ગઇ છે. જો કે પાલિકાના આકારણી વિભાગ અને એકાઉન્ટ વિભાગ દ્રારા સોફટવેર અપડેટની કામગીરી ચાલી રહી છે.

સોફટવેર અપડેટ આ અઠવાડિયામાં સુધીમાં થઇ જાય તેવી પુરી સંભાવના છે. શહેરીજનો મોડામાં મોડુ આ અઠવાડિયાથી વ્યાજ માફી સાથે મિલકતવેરા ભરપાઇ કરી શકશે. આ યોજના ફકત 31 માર્ચ 2022 સુધી જ અમલી હોવાથી 3.60 લાખ મિલકતદારોને તેનો લાભ લેવા પાલિકાએ અપીલ કરી છે. બાકી વેરો ભરપાઇ કરી દે તો તેમને વ્યાજમાં 100 ટકા માફી આપવામાં આવશે. બિનરહેણાક મિલકતદારો 31-03-2022 સુધીમાં વેરો ભરપાઇ કરી દે તો વ્યાજમાં 50 ટકા માફી આપવામાં આવશે. આ જાહેરાત 2,97,270 રહેણાક મિલકતદારોને વ્યાજમાં રૂ 101.61 ની માફી મળશે. જ્યારે બિનરહેણાક મિલકતદારોને વ્યાજમાં રૂ.41.95  કરોડની માફી મળશે.

આમ હવે કોરોનાના કારણે આર્થિક ભીંસ અનુભવતા લોકોને મિલકતદારોને વ્યાજમાં માફી આપવાનો નિર્ણય ખુબ આવકારદાયક કહી શકાય. જેને શહેરીજનો પણ આવકારી રહ્યા છે. સામાન્ય સભામાં બજેટ મંજૂરી સાથે જ વ્યાજમાફી આપવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. એકાઉન્ટ અને આકારણી વિભાગ દ્વારા ટેક્નિકલ અપડેટ બાદ આ કામગીરી શરૂ થઇ જશે. એકાદ અઠવાડિયા લોકોને આ રાહતનો ફાયદો મળવાની શરૂઆત થઇ જશે.  બજેટમાં પ્રાથમિક સુવિધા અને રોડ રસ્તાની સાથે સાથે લોકોનો પણ વિચાર કરીને અનેક જોગવાઈઓ કરવામાં આવી છે.

આ પણ વાંચો :

Surat : હવે રસ્તા પર જોવા મળી આપ-ભાજપની લડાઈ, ભાજપના ધારાસભ્ય અને આપના કોર્પોરેટરો જાહેરમાં જ લડ્યા

સુરત પોલીસ દ્વારા શાળા-કોલેજોમાં વિદ્યાર્થિનીઓ માટે સેલ્ફ ડિફેન્સ અંગે ટ્રેનિંગ કેમ્પનું આયોજન

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">