AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કોર્પોરેશનના બજેટમાં સુરતના મિલકતદારોને મળી રહી છે મોટી રાહત, જાણો શું છે ખાસ

યોજના ફકત 31 માર્ચ 2022 સુધી જ અમલી હોવાથી 3.60 લાખ મિલકતદારોને તેનો લાભ લેવા પાલિકાએ અપીલ કરી છે. બાકી વેરો ભરપાઇ કરી દે તો તેમને વ્યાજમાં 100 ટકા માફી આપવામાં આવશે.

Surat : કોર્પોરેશનના બજેટમાં સુરતના મિલકતદારોને મળી રહી છે મોટી રાહત, જાણો શું છે ખાસ
Surat Municipal Corporation
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 7:50 AM
Share

કોરોનાને (Corona ) કારણે છેલ્લાં બે વર્ષથી લોકોની હાલત કફોડી થઇ છે . રહેણાક અને બિનરહેણાકમાં 3.60 લાખ મિલકતદારો પાલિકાનો વેરો (Tax ) ભરપાઇ કરી શક્યા નથી . શહેરના 3,60,539 મિલકતદારોએ વેરા પેટે રૂ . 570 કરોડ ચૂકવવાના બાકી છે. રૂ . 570 કરોડના બાકી વેરામાં રૂ.181 કરોડની વ્યાજની રકમનો સમાવેશ થાય છે . ત્યારે સુરત મહાનગરપાલિકા(SMC)  દ્વારા 31-03-2021 રોજ મિલકતવેરો ભરવાનો બાકી હોય તેવા મિલકતદારો પાસેથી વ્યાજ માફી આપવાનો નિર્ણય કર્યો છે.

રહેણાક મિલકતોમા 31 મી માર્ચ સુધીમાં સામાન્ય સભામાં બજેટ મંજૂર થતા વ્યાજમાફી શરૂ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાએ પહેલી વખત મિલકતવેરાના બાકી ચુકવણામાં વ્યાજ માફી યોજના લાગુ કરી છે. સામાન્ય સભામાં બજેટ મંજુર થતા જ વ્યાજ માફી યોજના લાગુ પડી ગઇ છે. જો કે પાલિકાના આકારણી વિભાગ અને એકાઉન્ટ વિભાગ દ્રારા સોફટવેર અપડેટની કામગીરી ચાલી રહી છે.

સોફટવેર અપડેટ આ અઠવાડિયામાં સુધીમાં થઇ જાય તેવી પુરી સંભાવના છે. શહેરીજનો મોડામાં મોડુ આ અઠવાડિયાથી વ્યાજ માફી સાથે મિલકતવેરા ભરપાઇ કરી શકશે. આ યોજના ફકત 31 માર્ચ 2022 સુધી જ અમલી હોવાથી 3.60 લાખ મિલકતદારોને તેનો લાભ લેવા પાલિકાએ અપીલ કરી છે. બાકી વેરો ભરપાઇ કરી દે તો તેમને વ્યાજમાં 100 ટકા માફી આપવામાં આવશે. બિનરહેણાક મિલકતદારો 31-03-2022 સુધીમાં વેરો ભરપાઇ કરી દે તો વ્યાજમાં 50 ટકા માફી આપવામાં આવશે. આ જાહેરાત 2,97,270 રહેણાક મિલકતદારોને વ્યાજમાં રૂ 101.61 ની માફી મળશે. જ્યારે બિનરહેણાક મિલકતદારોને વ્યાજમાં રૂ.41.95  કરોડની માફી મળશે.

આમ હવે કોરોનાના કારણે આર્થિક ભીંસ અનુભવતા લોકોને મિલકતદારોને વ્યાજમાં માફી આપવાનો નિર્ણય ખુબ આવકારદાયક કહી શકાય. જેને શહેરીજનો પણ આવકારી રહ્યા છે. સામાન્ય સભામાં બજેટ મંજૂરી સાથે જ વ્યાજમાફી આપવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. એકાઉન્ટ અને આકારણી વિભાગ દ્વારા ટેક્નિકલ અપડેટ બાદ આ કામગીરી શરૂ થઇ જશે. એકાદ અઠવાડિયા લોકોને આ રાહતનો ફાયદો મળવાની શરૂઆત થઇ જશે.  બજેટમાં પ્રાથમિક સુવિધા અને રોડ રસ્તાની સાથે સાથે લોકોનો પણ વિચાર કરીને અનેક જોગવાઈઓ કરવામાં આવી છે.

આ પણ વાંચો :

Surat : હવે રસ્તા પર જોવા મળી આપ-ભાજપની લડાઈ, ભાજપના ધારાસભ્ય અને આપના કોર્પોરેટરો જાહેરમાં જ લડ્યા

સુરત પોલીસ દ્વારા શાળા-કોલેજોમાં વિદ્યાર્થિનીઓ માટે સેલ્ફ ડિફેન્સ અંગે ટ્રેનિંગ કેમ્પનું આયોજન

BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">