Bharuch: પ્રિ-મોન્સૂનની ઢીલી કામગીરી ચોમાસામાં જળબંબાકાર કરશે : કોંગ્રેસની પાલિકા પ્રમુખને રજુઆત

કોંગ્રેસે પાલિકા પ્રમુખ અમિત ચાવડાને રજુઆત કરી હતી કે ભરૂચ નગરમાં કાંસ ઉપર ગેરકાયદેસર થયેલ બાંધકામ અંગેનો સર્વે કરી દબાણ દૂર કરવામાં આવે તે ઇચ્છનીય છે.

Bharuch: પ્રિ-મોન્સૂનની ઢીલી કામગીરી ચોમાસામાં જળબંબાકાર કરશે : કોંગ્રેસની પાલિકા પ્રમુખને રજુઆત
કાંસની સફાઈ મુદ્દે કોંગ્રેસે રજુઆત કરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 7:19 PM

અસમતળ  ટોપોગ્રાફી ધરાવતા ભરૂચમાં ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીના નિકાલની વિકટ સમસ્યાઓ ઉભી થાય છે. એક બે ઇંચ વરસાદ બાદજ ભરૂચ(Bharuch)ના ઘણા વિસ્તારોમાં પાણીના નિકાલની સમસ્યાઓ ઉભી થાય છે. લોકોના ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ઘુસી જવાથી નુક્સાનીનો સામનો કરવો પડે છે. પાણીના નિકાલ માટે પ્રિ મોન્સૂન કામગીરી ખુબ મહત્વની રહેતી હોય છે. ગણતરીના દિવસોમાં ચોમાસુ દસ્તક દેવાની તૈયારી કરી રહ્યું છે તેમ છતાં પાલિકા તંત્ર લોકો સમસ્યામાં મુકવાની રાહ જોઈ રહ્યું હોય તેવો વિપક્ષ આક્ષેપ કરી રહ્યું છે મામલે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.

વરસાદ નજીક હોવા છતાં ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ શહેરની 27 જેટલી કાંસોની સાફસફાઈ અને રોડ રસ્તાના પેચ વર્ક ના કામ અસરકારક કામગીરી શરૂ કરાઈ ન હોવાની કોંગી નગરસેવકોએ પાલિકા સત્તાધીશો સમક્ષ રજુઆત કરી હતી. વિરોધ પક્ષના નેતા સમસાદઅલી સૈયદે જણાવ્યું હતું કે હાલમાં દેખાવ પૂરતું એક જ મશીન કામે લગાડયું છે પણ ગટરની સાફ સફાઇ હાથ ધરવામાં આવી નથી. ચોમાસામાં ભારે વરસાદ દરમ્યાન નગરમાં જળબંબાકાર થાય તેવો ભય વર્તાઈ રહ્યો છે . પ્રિમોન્સૂન કામગીરી ના આયોજન માટે હજી કોઇ બેઠકો પણ યોજાઇ નથી.

નગરપાલિકા દ્વારા દર વર્ષે કાંસના કામ માટે મોટી રકમ ખર્ચવામાં આવે છે પરંતુ પરિણામ શૂન્ય જણાતું હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ વર્ષે ભરૂચ નગરના સ્ટેશન રોડ , પાંચબત્તી , સેવાશ્રમ રોડ , દાંડિયા બજાર , ફુરજા ચાર રસ્તા અને અન્ય મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણીનો ભરાવાની સમસ્યા ન સર્જાય તેની તકેદારી નગરપાલિકા રાખવી જોઈએ તેવી વિપક્ષ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત તળાવના કામો ગટરની સાફ – સફાઈ ના કામો કરવાની માંગ કરવામાં આવી હતી. વોર્ડના સભ્યોના આ અંગે સલાહ સુચન પણ લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કોંગ્રેસે પાલિકા પ્રમુખ અમિત ચાવડાને રજુઆત કરી હતી કે ભરૂચ નગરમાં કાંસ ઉપર ગેરકાયદેસર થયેલ બાંધકામ અંગેનો સર્વે કરી દબાણ દૂર કરવામાં આવે તે ઇચ્છનીય છે. કેટલાક કિસ્સાઓમાં નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની જાણ હોવા છતાં કેટલાક કાંસો પરના દબાણો કોઈ કારણોસર દૂર કરતા ન હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. ભરૂચ નગરમાં લગભગ ૨૭ જેટલી કાંસો આવેલી છે જેની સાફ – સફાઇ મોડી શરૂઆત કરવામાં આવી છે હાલમાં દેખાવ પૂરતું એક જ મશીન કામે લગાડયું છે . આક્ષેપ સામે પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે વરસાદી પાણીના નિકાલ માટે આયોજન સાથે કામગીરી કરવામાં આવી રહી છે વિપક્ષના આક્ષેપ પાયાવિહોણા ગણાવાયા હતા.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">