AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BHARUCH : એક વર્ષમાં 24000 લોકોએ મેડિકલ ઇમરજન્સીનો સામનો કર્યો, અકસ્માતમાં 1697 લોકો થયા ઈજાગ્રસ્ત

ભરૂચ જિલ્લાના ૯ તાલુકાઓમાં 108 સેવા અંતર્ગત કુલ 19 એમ્બ્યુલન્સ મુકવામાં આવી છે. અલગ અલગ કક્ષાનો ૯૦ કર્મચારીઓનો સ્ટાફ ઇમરજન્સીનો કોલ મળતા તુરંત ઘટનાસ્થળે પહોંચી દર્દીને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવા મદદરૂપ બને છે.

BHARUCH : એક વર્ષમાં 24000 લોકોએ મેડિકલ ઇમરજન્સીનો સામનો કર્યો, અકસ્માતમાં 1697 લોકો થયા ઈજાગ્રસ્ત
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 12:16 PM
Share

ઔદ્યોગિક નગરી ભરૂચ(Bharuch) ૭ થી વધુ ઔદ્યોગિક વસાહત(GIDC), 70 કિમી કરતા વધુ લાંબા નેશનલ હાઇવે(National Highway) અને ૪ તાલુકાના 180 કિલોમીટર  વિસ્તારના કોસ્ટલ એરિયા(Costal Area)ના કારણે નાની – મોટી ઘટનાઓને લઈ ખબરોમાં રહે છે. વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ 15.5 લાખથી વધુ લોકોની વસ્તી ધરાવતા જિલ્લામાં આરોગ્યને લઈ હમેશા જરૂરિયાત વર્તાતી રહે છે. 108 સેવા દ્વારા જારી ડેટા અનુસાર વર્ષ ૨૦૨૧ માં ભરૂચમાં તબીબી સહાયના  24 હજાર કરતા વધુ લોકો માટે કોલ મળ્યા છે.

108 ઈમરજન્સી સેવા છેલ્લા 14 વર્ષથી સમગ્ર ગુજરાતમાં મેડિકલ ઇમરજન્સી સમયે લોકોને તાત્કાલિક મદદ પહોંચાડી જીવ બચાવવાનું  કાર્ય કરે છે. ઇમરજન્સી સમયે ૧૦૮ ઇમરજન્સી સેવા આજના સમયમાં પહેલો વિકલ્પ બની છે. આ સેવા દ્વારા વર્ષ ૨૦૨૧ માં ભરૂચ જિલ્લામાં કુલ 24 હજાર લોકોએ સ્વાસ્થ્ય સંબંધિત મદદ માંગી હતી.

કોરોનાના 1470 દર્દીઓ હોસ્પિટલ મોકલાયા  કોરોનાકાળમાં ૧૦૮ ની કામગીરી પ્રસંશનીય રહી છે. એક સમયે રોજના કેસની સંખ્યા ૧૦૦ સુધી પહોંચી હતી ત્યારે દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત પુરી પાડવા સાથે હોસ્પિટલ ખસેડવામાં આ સેવા મદદરૂપ રહી હતી. વર્ષના 24000 દર્દીઓને તબીબી સહકય પુરી પાડનાર સેવા દરરોજ સરેરાશ ૬૫ દર્દીઓને તબીબી સહાય આપે છે.

માર્ગ અકસ્માતમાં 1697 લોકો ઈજાગ્રસ્ત  ભરૂચ જિલ્લાના ૯ તાલુકાઓમાં કુલ ૧૯ એમ્બ્યુલન્સ મુકવામાં આવી છે. અલગ અલગ કક્ષાનો ૯૦ કર્મચારીઓનો સ્ટાફ ઇમરજન્સીનો કોલ મળતા તુરંત ઘટનાસ્થળે પહોંચી દર્દીને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવા મદદરૂપ બને છે. જિલ્લામાં સૌથી વધુ 9500 થી વધુ મહિલાઓએ પ્રસુતિ માટે એમ્બ્યુલન્સની મદદ માંગી જયારે અકસ્માતોમાં 1697 લોકો ઈજાગ્રસ્ત(road accident in year 2021) બન્યા હતા.

પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે જણાવ્યું હતું કે ૧૦૮ ની ટીમ કોલ મળતા તુરંત ઘટનાસ્થળે પહોંચી દર્દી અથવા ઇજાગ્રસ્તને તાત્કાલિક અને જીવ બચાવવા જરૂરી સારવાર માટે તે સુનિશ્ચિત કરે છે. ૯૦ કર્મચારીઓ સંક્રમણનું જોખમ અને કપરી પરિસ્થિતિઓ હોય તો પણ દર્દીઓ પ્રેત્યેની ફરજ નિષ્ઠા સાથે બજાવે છે.

વર્ષ 2021 દરમ્યાન ઇમરજન્સી કોલ આ મુજબ મળ્યા હતા

  • પ્રસુતિ                       9532
  • માર્ગ અકસ્માત         1697
  • કોરોના                     1470
  • શ્વાસની તકલીફ       1067
  • તબિત લથડવી        1493
  • ઝેરી દવા પીવાની    673
  • હૃદય રોગ                418
  • અન્ય                       7650
  • કુલ                         24000

આ પણ વાંચો :  Wedding Insurance :કોરોનાના કારણે લગ્ન રદ થશે તો મળશે રૂપિયા 10 લાખ સુધીનું વળતર, જાણો કઈ રીતે

આ પણ વાંચો : Omicron variant: ઓમિક્રોનથી સંક્રમિત લોકોમાં ડેલ્ટા વેરિઅન્ટ્સ સામે રોગપ્રતિકારક શક્તિ બની રહી હોવાનો રિસર્ચમા ખુલાસો !

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">