AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરૂચના રિઝર્વ ફોરેસ્ટમાં મળી આવ્યા બે નવા ધોધ, વનવિભાગે બંને ધોધને પ્રવાસન સ્થળ બનાવવાના પ્રયાસ શરૂ કર્યા

ભરૂચના રિઝર્વ ફોરેસ્ટમાં બે રમણીય વોટરફોલ મળી આવ્યા છે. ગીચ જંગલમાં કિમ અને કરજણ નદીના વહેણમાં મળી આવેલા બે ધોધ આગામી દિવસોમાં રાજ્યના જાણીતા પ્રવાસન સ્થળ બને તેવા પ્રયાસો શરુ કરાયા છે. ભરૂચ જિલ્લાનો નેત્રંગ પટ્ટીનો વિસ્તાર રિઝર્વ ફોરેસ્ટ એરિયા જાહેર કરાયો છે. જે વિસ્તાર ડુંગરો, વન અને કોતરોથી છવાયેલો છે. નેત્રંગમાં વનવિભાગની ટીમે ફોરેસ્ટ […]

ભરૂચના રિઝર્વ ફોરેસ્ટમાં મળી આવ્યા બે નવા ધોધ, વનવિભાગે બંને ધોધને પ્રવાસન સ્થળ બનાવવાના પ્રયાસ શરૂ કર્યા
Ankit Modi
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:10 PM
Share

ભરૂચના રિઝર્વ ફોરેસ્ટમાં બે રમણીય વોટરફોલ મળી આવ્યા છે. ગીચ જંગલમાં કિમ અને કરજણ નદીના વહેણમાં મળી આવેલા બે ધોધ આગામી દિવસોમાં રાજ્યના જાણીતા પ્રવાસન સ્થળ બને તેવા પ્રયાસો શરુ કરાયા છે. ભરૂચ જિલ્લાનો નેત્રંગ પટ્ટીનો વિસ્તાર રિઝર્વ ફોરેસ્ટ એરિયા જાહેર કરાયો છે. જે વિસ્તાર ડુંગરો, વન અને કોતરોથી છવાયેલો છે. નેત્રંગમાં વનવિભાગની ટીમે ફોરેસ્ટ સર્વે દરમ્યાન નેત્રંગના મોતિયા અને કાકરપાડા વિસ્તારમાં બે સુંદર ધોધ શોધ્યા છે. હાલમાં આ વિસ્તાર સુધી પહોંચવું દુર્ગમ છે. પરંતુ ધોધ અને હરિયાળીની ચાદર તળે છવાયેલા વિસ્તારની સુંદરતા ધ્યાનાકર્ષક છે.

Bharuch na reserve forest ma mali aavya 2 nava waterfall, vanvibhage bane dodh ne pravasan sthad banava na prayas sharu karya

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કિમાવતી ધોધ

મોતિયા વિસ્તારમાં આવેલ ધોધ કિમાવતી ધોધ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. આ ધોધ કિમ નદીનું ઉદગમસ્થાન છે. જે 3 લેવલમાં વહેંચાયેલો છે. જેની કુલ ઊંચાઈ 35 મીટર જેટલી માનવામાં આવે છે. લીલાછમ જંગલમાંથી વહેતુ પાણી ધ્યાન ખેંચે છે. કિમાવતી ધોધ સુધી પહોંચવા હાલમાં વનવિસ્તારમાં મુશ્કેલ રસ્તા ઉપરથી નેત્રંગથી ચાસવડ ગામમાંથી મોતિયા પહોંચી શકાય છે.

Bharuch na reserve forest ma mali aavya 2 nava waterfall, vanvibhage bane dodh ne pravasan sthad banava na prayas sharu karya

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કાકરપાડા ધોધ

કાકરપાડા ધોધમાં કરજણ નદીનું પાણી પડે છે. આ ધોધમાં બે જગ્યાએ પાણી પટકાઈ જમીન ઉપર પડે છે. જેના કારણે પાણીના ઉડતા છાંટાની ભીંજાશ આનંદનો અહેસાસ કરાવે છે. આ ધોધ સુધી પહોંચવા નેત્રંગના મોવી રોડથી કોચબર થઈ ડેબાર ગામ પહોંચી કાકરપાડા ધોધ સુધી પહોંચી શકાય છે. આ ધોધ સુધી પહોંચવા 4 કિમીનો માર્ગ ખુબ મુશ્કેલ છે. નેત્રંગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સરફરાઝ ઘાંચીએ જણાવ્યું હતું કે આ બંને ધોધ સીઝનલ છે. જે ચોમાસામાં સક્રિય થઈ શિયાળા સુધી જોવા મળે છે.

Bharuch na reserve forest ma mali aavya 2 nava waterfall, vanvibhage bane dodh ne pravasan sthad banava na prayas sharu karya

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બંને ધોધ અંગેના અહેવાલ તૈયાર કરી દિલ્લી વન અને પર્યાવરણ મંત્રાલયમાં મોકલાયા છે. આ બંને ધોધ વિસ્તારની નવી ઓળખ ઉભી કરે તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે. કિમાવતી અને કાકરપાડા ધોધ ખુબ ઊંચા તો નથી પરંતુ પ્રકૃતિની નિશ્રામાં વહેતા હોવાથી માત્ર ધોધ નહીં. પરંતુ ધોધ સુધીના માર્ગનું કુદરતી સૌંદર્ય ચોક્કસ ધ્યાન ખેંચે છે. ત્યારે નેત્રંગ વનવિસ્તારમાં બંને ધોધ ટુરિઝમ સાઈટ તરીકે ડેવલોપ કરવા પ્રયત્નો હાથ ધરાયા છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">