AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BANASKATHA : ગ્રાન્ટના અભાવે મનરેગાના શ્રમિકો વેતનથી વંચિત, શ્રમિકોના 7 કરોડથી વધુની મજૂરી બાકી

બેરોજગારો ગ્રામીણ સ્તરે ચાલતા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર કાયદો 2005 હેઠળ મજૂરીએ તો જાય છે. પરંતુ તેમને વેતન મળતું નથી. જેના કારણે જિલ્લામાં મનરેગા હેઠળ મજૂરી કરતા શ્રમિકો છેલ્લા બે માસથી વેતન વંચિત બેઠા છે.

BANASKATHA : ગ્રાન્ટના અભાવે મનરેગાના શ્રમિકો વેતનથી વંચિત, શ્રમિકોના 7 કરોડથી વધુની મજૂરી બાકી
BANASKATHA: MNREGA workers
Kuldeep Parmar
| Edited By: | Updated on: Aug 05, 2021 | 8:07 PM
Share

BANASKATHA :કોરોના મહામારી બાદ સૌથી મોટી કપરી પરિસ્થિતિ રોજગારીને લઈને છે. બેરોજગારો ગ્રામીણ સ્તરે ચાલતા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર કાયદો 2005 હેઠળ મજૂરીએ તો જાય છે. પરંતુ તેમને વેતન મળતું નથી. જેના કારણે જિલ્લામાં મનરેગા હેઠળ મજૂરી કરતા શ્રમિકો છેલ્લા બે માસથી વેતન વંચિત બેઠા છે. જીલ્લામાં મનરેગા હેઠળ કામ કરતા 20434 મજૂરોના 7 કરોડ 88 લાખ જેટલી માતબર રકમ ગ્રાન્ટના અભાવે બાકી છે.

ગ્રામીણ વિસ્તારમાં કોરોના બાદ રોજગારી માટે મનરેગા એક વિકલ્પ

લોકોને ગ્રામ્ય સ્તરે જ રોજગારી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા કાયદો બનાવવામાં આવ્યો હતો. જે બાદ આ કાયદાને કારણે 100 દિવસ સુધી લોકોને ગ્રામીણ સ્તરે જ રોજગારી આપવાની સરકાર બાંહેધરી આપે છે. કોરોના મહામારી બાદ મોટાભાગના ધંધા-રોજગાર ઠપ્પ છે.

તેના કારણે લોકો મનરેગા અંતર્ગત ચાલતા કામોમાં કામ કરવા માટે મજબૂર છે. અન્ય નોકરી અને ધંધા-રોજગાર ઠપ્પ થવાથી સ્થાનિક લોકો મનરેગાના કામમાં મજૂરી કરી નાણાં મળી શકે તે માટે મહેનત કરી રહ્યા છે. જેના કારણે મનરેગામાં કોરોના મહામારી બાદ કામ કરતા શ્રમિકોની સંખ્યા પણ વધી છે.

છેલ્લા બે માસ થી મજૂરોને નથી મળી તેમની મજૂરી બનાસકાંઠા જિલ્લામાં 20434 શ્રમિકો મનરેગા અંતર્ગત ચાલતા કામોમાં કામગીરી કરી રહ્યા છે. ઉનાળાના આકરા તાપ પછી ગામની સીમમાં ખાડા ખોદી શ્રમિકો પરસેવો પાડી છે. અન્ય કોઈ રોજગારી ન હોવાથી અનેક એવા પરિવાર છે કે જેમનું ગુજરાત અત્યારે મનરેગાની આવક પર ચાલી રહ્યું છે. મનરેગા અંતર્ગત મજૂરી કરી છતાં મજૂરીનું વેતન ન મળતા જિલ્લાના શ્રમિકો મુશ્કેલી વેઠી રહ્યા છે.

ગ્રાન્ટ ન હોવાથી શ્રમિકોને વેતન ચૂકવાયું નથી : જીલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠા જિલ્લામાં મનરેગા અંતર્ગત કામ કરતા શ્રમિકો નો સાત કરોડથી વધુનું વેતન બાકી છે. આ મામલે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે નું કહેવું છે કે ગ્રાન્ટના અભાવે મનરેગાના શ્રમિકોનાં તેમનું વતન ચૂકવાયું નથી. આ મામલે સરકાર તેમજ વડી કચેરીનું લેખિત તેમજ મૌખિક ધ્યાન દોરવામાં આવ્યું છે. ગ્રાન્ટ જમા થતાં તમામ શ્રમિકોના ખાતામાં તેમનું મહેનતાણું જમા થઈ જશે.

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">