AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri 2022: નવલા નોરતાની પ્રથમ દિવસે મંદિરોમાં જામી ભીડ, માતાજીની આરાધના માટે ભક્તોની લાગી લાઇન

નવરાત્રીમાં (Navratri 2022) અંબાજી (Ambaji Temple) , બહુચરાજી, ખોડલધામ, ઉમિયા માતા અને પાવાગઢ સહિતના ધર્મસ્થળો શ્રદ્ધાળુઓથી ઉભરાયા છે. નવરાત્રીને લઇ અંબાજીમાં વહેલી સવારથી ભક્તોની (Devotees) ભીડ જામી છે.

Navratri 2022: નવલા નોરતાની પ્રથમ દિવસે મંદિરોમાં જામી ભીડ, માતાજીની આરાધના માટે ભક્તોની લાગી લાઇન
નવરાત્રીના પ્રથમ દિવસે મંદિરોમાં ભક્તોનો ધસારો
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 11:52 AM
Share

આદ્ય શક્તિની આરાધનાના પર્વ નવલાં નોરતાનો રંગચંગે પ્રારંભ થયો છે. નવરાત્રીમાં (Navratri 2022) અંબાજી (Ambaji Temple) , બહુચરાજી, ખોડલધામ, ઉમિયા માતા અને પાવાગઢ સહિતના ધર્મસ્થાનોમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે.  નવરાત્રીને લઇ અંબાજીમાં વહેલી સવારથી ભક્તોની (Devotees) ભીડ જામી છે. મંગળા આરતી માટે વહેલી સવારથી જ ભક્તોની લાઇન લાગી હતી. તો પ્રસિદ્ધ ચોટીલા મંદિર અને કચ્છમાં માતાના મઢ ખાતે આશાપુર માતાજીના દર્શને હજારો શ્રદ્ધાળુ હરખભેર પહોંચી રહ્યાં છે. બહુચરાજી અને ઉમિયા ધામમાં પણ વહેલી સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.

વિવિધ જગ્યાએ ગરબાનું ભવ્ય આયોજન

આદ્ય શક્તિની પૂજા અને આરાધનાના નવ દિવસ દિવસ દરમિયાન ગરબા મંડળોમાં ખેલૈયા મનમૂકીને ગરબા રમશે. ગુજરાતના નાના-મોટા તમામ શહેરોની પોળ, સોસાયટી અને પાર્ટી-પ્લોટમાં ગરબાના ભવ્ય આયોજન થયા છે. તો મોટા મંદિરોમાં ખાસ હવન, પૂજાના આયોજન થયા છે. નવરાત્રિમાં જપ, તપ અને ઉપવાસનું પણ ખાસ મહાત્મય રહેલું છે. ત્યારે માતાજીના ભક્તો નવરાત્રીના નવ દિવસ ઉપવાસ પણ કરશે.

મંદિરોમાં માતાજીની આરાધનાના વિવિધ કાર્યક્રમ

ગુજરાતના વિવિધ મંદિરમાં નવરાત્રી (Navratri 2022) દરમિયાન માતાના ભક્તોની ભીડ વધતી હોવાથી દર્શન માટે ખાસ આયોજન કરવામા આવ્યુ છે. ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મંદિરના ટ્રસ્ટીઓ પોલીસ સાથે સંકલન કરીને આયોજન કરી રહ્યા છે. અંબા માતાના મંદિરોમાં નવરાત્રી દરમિયાન જવારા વાવવાની વિધિ પણ કરવામાં આવે છે અને ત્યાર બાદ તેનો પ્રસાદ પણ ભક્તોને આપવામાં આવે છે. સાથે જ કેટલાક મંદિરોમાં માતાજીના હવન સહિતના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.

રહેણાંક સોસાયટીઓમાં નવરાત્રીઓનું આયોજન

આ વર્ષે નવરાત્રીમાં કોઈ પણ જાતના પ્રતિબંધ ન હોવાથી માતાજીના મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. સાથે સાથે સુરતમાં શેરી નવરાત્રી અને રહેણાંક સોસાયટીમાં નવરાત્રીના  (Navratri 2022) ગરબાનું આયોજન પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. જેના કારણે માતાજીના ભક્તો મન મુકીને નવરાત્રીની ઉજવણી કરવા સાથે ગરબે ઘુમતા પણ જોવા મળશે.

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">