Ambaji માં ભાદરવી પૂનમના મેળા દરમિયાન આરતી તથા દર્શનનો સમયમાં કરાયો આ ફેરફાર

ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા દરમિયાન આરતી તથા દર્શનનો સમયમાં ફેરફાર કરાયો છે.અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને ગણતરીના દિવસો બાકી રહેતા મેળા માટેનો થનગનાટ શરુ થઇ ગયો છે.

Ambaji માં ભાદરવી પૂનમના મેળા દરમિયાન આરતી તથા દર્શનનો સમયમાં કરાયો આ ફેરફાર
Ambaji TempleImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2022 | 7:22 PM

ગુજરાતના(Gujarat)  પવિત્ર યાત્રાધામ અંબાજીમાં(Ambaji)  ભાદરવી પૂનમના મેળા(Bhadarvi Poonam Fair)  દરમિયાન આરતી તથા દર્શનનો સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં આરાસુરી માતા દેવસ્થાન ટ્રસ્ટના જણાવ્યા અનુસાર ભાદરવા સુદ-9(નોમ) 05/09/2022 થી ભાદરવા સુદ (પુનમ) 10/09/2022 સુધી ભાદરવી પુનમ મહામેળો-2022 અંબાજી ખાતે યોજાનાર હોઈ આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે. 05/09/2022 થી ભાદરવા સુદ (પુનમ) 10/09/2022 સુધી ભાદરવી પુનમ મહામેળો-2022 અંબાજી ખાતે આરતી, દર્શન તથા રાજભોગનો સમય આ પ્રમાણે છે. આરતી સવારે 5.00 થી 05.30 દર્શન સવારે 05.30 થી 11.30 , રાજભોગ 12.00 , દર્શન બપોરે 12.30 થી 17.30, આરતી સાંજે 19. 00 થી 19:30 , દર્શન સાંજે 19_30 થી 24: 00 રહેશે. તા.11/09/2022 થી આરતી/દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.

ભાદરવી પૂનમના મેળાને ગણતરીના દિવસો બાકી

ગુજરાતના રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને ગણતરીના દિવસો બાકી રહેતા મેળા માટેનો થનગનાટ શરુ થઇ ગયો છે. આ વર્ષે યાત્રિકોની સંખ્યા વધુ આવવાની શક્યતાઓ સાથે વરસાદી માહોલ પણ રહેવાની શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારે અંબાજી આવતા યાત્રિકો ને કોઈ હેરાનગતિ ન થાય તે માટે નાના મોટા અનેક વોટરપ્રુફ સમિયાણા બાંધવામાં આવી રહ્યા છે ને સુચારુ રૂપથી દર્શનનો લાભ મળે તે માટે વોટરપ્રુફ સમિયાણા સાથે વોટરપ્રુફ લાઈન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.  અંબાજી પગપાળા આવેલા યાત્રિકો ને પરત પોતાના વતન જવા માટે ગુજરાત રાજ્ય એસટી વિભાગ દ્વારા પણ મોટી વ્યવસ્થા કરવામાં આવી છે આ વખતે મેળા માટે 1500 એક્સ્ટ્રા બસ ચલાવવાનો નિર્ણય એસટી વિભાગે કર્યો છે એટલુ જ નહીં એસટી આપના દ્વારે યોજના અંતર્ગત યાત્રિકોનો સંઘ બસની કેપેસીટી પ્રમાણે બુકીંગ કરાવશે તો એસટી બસ તેમના ગામ ,શહેરને સોસાયટી સુધી મૂકી જવાની પણ વ્યવસ્થા કરી છે.

અલગ અલગ રૂટ ઉપર હંગામી બસ સ્ટેશન બનાવી યાત્રિકો માટે  સુવિધા

હાલનું બસ સ્ટેશન બંધ કરી મેળા માટે 7 હંગામી બસ સ્ટેશન ઉપરથી આ તમામ વાહન વ્યવહાર કાર્યરત કરાશે અંબાજીથી અમદાવાદ જવા ,અંબાજી થી દાંતા તરફ જવા ,અંબાજીથી પાલનપુરને રાજસ્થાનમાં આબુરોડ તરફ જવા અલગ અલગ રૂટ ઉપર હંગામી બસ સ્ટેશન બનાવી યાત્રિકોની સુવિધાને પૂરી પડાશેને જો કોઈ વાહન ખોટવાય તો તેના માટે પણ પૂરતું આયોજન કર્યા હોવાનું પણ એસટી ડેપો મેનેજરે જણાવ્યું હતું.

પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન

જેમાં યાત્રિકોનો સંઘ બસની કેપેસીટી પ્રમાણે બુકીંગ કરાવશે તો એસટી બસ તેમના ગામ ,શહેર ને સોસાયટી સુધી મૂકી જવાની પણ વ્યવસ્થા કરી અંબાજી મેળા માટે 7 હંગામી બસ સ્ટેશન ઉપર થી આ તમામ વાહન વ્યવહાર કાર્યરત કરાશે. અંબાજીથી દાંતા તરફ જવા, અંબાજીથી પાલનપુરને રાજસ્થાનમાં આબુરોડ તરફ જવા અલગ અલગ રૂટ ઉપર હંગામી બસ સ્ટેશન બનાવી યાત્રિકોની સુવિધા વધારવામાં આવી છે. તેમજ કોઈ વાહન ખોટવાય તો તેના માટે પણ પૂરતું આયોજન કરવામાં આવ્યું છે.

Latest News Updates

હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી
2024ના ચોમાસાની શરુઆત ક્યારે? અંબાલાલે કરી આગાહી, જુઓ
2024ના ચોમાસાની શરુઆત ક્યારે? અંબાલાલે કરી આગાહી, જુઓ
g clip-path="url(#clip0_868_265)">