Banaskantha : અંબાજી મંદિરમાં નવરાત્રિને પગલે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર, ગરબાનો કાર્યક્રમ રહેશે મુલત્વી

હાલમા કોરોનાની મહામારીના કારણે સરકારની નવી ગાઈડ લાઈન પ્રમાણે અંબાજીમાં ચાચર ચોકમાં ગરબા રમી નહી શકાય. આગામી તારીખ 07 ઓકટોમ્બરના ગુરુવારથી માં અંબેનો ચાચર ચોક ખૈલેયાઓ વગર સુમસામ જોવા મળશે.

Banaskantha : અંબાજી મંદિરમાં નવરાત્રિને પગલે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર, ગરબાનો કાર્યક્રમ રહેશે મુલત્વી
Change in Aarti and Darshan times following Navratri at Ambaji Temple, Garba program to be postponed
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 6:43 PM

નવરાત્રી મહોત્સવના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે જેના નામે વિશ્વભરમાં ગરબા રમાય છે. તેવી માં અંબાના મુળ સ્થાન શક્તિપીઠ અંબાજી ખાતે બીજા વર્ષે પણ નવરાત્રી ગરબા મહોત્સવ નહી મનાવાય. હાલમા કોરોનાની મહામારીના કારણે સરકારની નવી ગાઈડ લાઈન પ્રમાણે અંબાજીમાં ચાચર ચોકમાં ગરબા રમી નહી શકાય. આગામી તારીખ 07 ઓકટોમ્બરના ગુરુવારથી માં અંબેનો ચાચર ચોક ખૈલેયાઓ વગર સુમસામ જોવા મળશે. પણ દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ જ રહેશે. જેથી શ્રધ્ધાળુઓ નવરાત્રીના દિવસોમાં માતાજીના દર્શનનો લાભ લઈ શકશે

તા.07 ઓકટોબર ના ગુરુવારે નવરાત્રીના પ્રથમ દિવસે નીજ મંદિરમાં ઘટ સ્થાપના પણ કરાશે. નવરાત્રી દરમ્યાન યાત્રીકોને સરળતાથી દર્શન થઈ શકે તેમાટે દર્શન આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ઘટસ્થાપન આસો સુદ એકમના 07 ઓકટોબરેના ગુરુવારના સવારે 10.30 કલાકે શરુ કરવામાં આવશે, જ્યારે 13 ઓક્ટોમ્બરે દુર્ગાષ્ટમી રોજ સવારની આરતી 6.00 કલાકે અને જવારા ઉત્થાપન 11.10 કલાકે થશે જ્યારે નવરાત્રીથી અંબાજી મંદિરમાં પણ દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે. જે આ મુજબ છે.

અંબાજી મંદિરમાં આરતી અને દર્શનનો સમય આ પ્રમાણે રહેશે

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સવારે આરતી 7.30 થી 8.00

સવારે દર્શન 8.00 થી 11.30

બપોરે દર્શન- 12.30 થી 4.15

સાંજે આરતી- 6.30 થી 7.00

જ્યારે સાંજે દર્શન 7.00 થી રાત્રી ના 9.00 કલાક સુધી કરી શકાશે

હાલમાં કોરોનાની મહામારીના કારણે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ચાચર ચોકમાં ગરબાનો કાર્યક્રમ સતત બીજા વર્ષે પણ મુલત્વી રાખવામાં આવ્યો છે. પણ મંદિર માં દર્શન આરતીનો લ્હાવો લઈ શકશે.

આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં પૂર્વ આરોગ્ય અધિકારીના પ્રવેશ પર કેમ મુકાયો પ્રતિબંધ? કૌભાંડના આક્ષેપો જાણીને ઉડી જશે હોશ

આ પણ વાંચો : રેલ્વે કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત, 11.56 લાખ રેલ્વે કર્મચારીઓને મળશે દિવાળી બોનસ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">