Banaskantha : અંગદાન મહાદાન, પાલનપુરના આખા પરિવારે દેહદાનનો સંકલ્પ લીધો

પાલનપુરમાં ગુરુપૂર્ણિમાના દિવસે પરિવારના મોહનભાઇ ચાવડા ,તેમના પત્ની જશોદાબેન ચાવડા,પુત્ર મનીષ ચાવડા અને પુત્ર વધુ રીંકુબેન ચાવડાએ દેહદાન(Organ Donation) અને નેત્રદાનનો સંકલ્પ જનસેવા ગ્રુપના માધ્યમથી લઇ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Banaskantha : અંગદાન મહાદાન, પાલનપુરના આખા પરિવારે દેહદાનનો સંકલ્પ લીધો
Donation OrganImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 6:43 PM

બનાસકાંઠા(Banaskantha)જિલ્લાના પાલનપુરમાં(Palanpur)રહેતા પરિવારના વડીલ મહિલા ને 20 વર્ષ અગાઉ કાનમાં ઓછું સંભળાવવાના લીધે ઓપરેશન કરાવ્યું હતું જેમાં તેમની આંખોની રોશની જતી રહી હતી અને ચહેરાના ભાગે લકવો લાગી ગયો હતો જોકે અમદાવાદ સિવિલમાં નેત્રદાન લેવા માટે અરજી કરી હતી જેમાં બે વર્ષ બાદ તેમણે એક એક કરી બંને આંખોનું દાન મળતા રોશની પરત આવી હતી જેથી પરિવારના ચાર સભ્યએ મૃત્યુ બાદ અંગદાન(Organ Donation)  અને દેહદાનનો સંકલ્પ લીધો હતો.જેથી અન્ય કોઈના જીવનમાં પ્રકાશ પાથરી શકાય.

અમદાવાદ સિવિલમાં નેત્રદાન લેવા માટે અરજી કરી હતી

જેમાં પાલનપુરમાં રહેતા 60 વર્ષીય મોહનભાઇ ચાવડાના 58 વર્ષીય પત્ની જશોદાબેનને 20 વર્ષ પહેલાં કાનથી ઓછું સંભળાતું હતું જેથી તેમણે ડોક્ટરની સલાહથી કાનના પડદાનું ઓપરેશન કરાવ્યુ હતું જેમાં એમની આંખોની રોશની જતી રહી હતી અને ચહેરાના ભાગ લકવો લાગી ગયો હતો. જે બાદ જુદા જુદા તબીબોને બતાવ્યું પરંતુ આંખોની રોશની પાછી મળવાની કોઈજ આશા દેખાઈ ન હતી મળી ત્યારે એક તબીબે આંખોની ટીબી હોવાનું જણાવ્યું હતું જોકે પરિવાર દ્વારા આંખો મેળવવાના ભાગરૂપે અમદાવાદ સિવિલમાં નેત્રદાન લેવા માટે અરજી કરી હતી.

જેમાં તેમને સિવિલ માંથી બે વર્ષમાં બે આંખો દાનમાં મળી હતી જેથી તેઓ બન્ને આંખે પાછા જોઈ શકતા થયા હતા જેથી આ પરિવારે એક સંકલ્પ લેવાનો નિર્ણય કર્યો કે જેમ કોઈની આંખોના દાનથી આપણા પરિવારના સભ્યને આંખોની રોશની પરત મળી છે તેમ આપણે પણ મૃત્યુ બાદ અંગદાન અને દેહદાન કરવું જોઈએ જેથી બીજા કોઈને જીવનમાં પ્રકાશ પાથરી શકાય અને જિંદગી બચાવી શકાય જેથી ગુરુપૂર્ણિમા ના દિવસે પરિવારના મોહનભાઇ ચાવડા ,તેમના પત્ની જશોદાબેન ચાવડા,પુત્ર મનીષ ચાવડા અને પુત્ર વધુ રીંકુબેન ચાવડાએ દેહદાન અને નેત્રદાન નો સઁકલ્પ જનસેવા ગ્રુપના માધ્યમથી લઇ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

જયેશ સોનીએ 100 લોકોને દેહદાનનો સંકલ્પ લેવડાવ્યો

પાલનપુરમાં જનસેવા એજ પ્રભુસેવા ટ્રસ્ટ ચલાવતા જયેશ સોની દ્વારા 10 વર્ષમાં 100 જેટલા લોકોને દેહદાન ના સઁકલ્પ લેવરાવ્યાં છે જેમાં એક વ્યક્તિનું મૃત્યુ બાદ દેહદાન અને પાંચ લોકોનું ઘરે જઈ નેત્રદાન કરાવ્યું છે જોકે આ સંસ્થા દ્વારા આત્મહત્યા નિવારણ નું કાર્ય કરવામાં આવે છે જેના થકી કાઉન્સિલિંગ દ્વ્રારા 20 થી વધુ લોકોની જિંદગીમાં પ્રકાશ પાથર્યો છે

Latest News Updates

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">