AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha : ડીસા DYSP ડૉ. કુશલ ઓઝાએ બનાવેલી કોરોના માર્ગદર્શિકા માટે રાજ્ય પોલીસ વડાએ આપ્યા અભિનંદન

ડીસાના નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા ડૉ. કુશલ ઓઝાએ કોરોના મહામારીમાં ગુજરાત પોલીસ માર્ગદર્શિકા તૈયાર કરી છે. જે માર્ગદર્શિકાનો ડેટા આગામી સમયમાં પોલીસ કર્મચારીઓ તેમજ પોલીસ પરિવાર માટે કયા પ્રકારનું આગોતરું આયોજન થઇ શકે તે માટે બનાવી છે.

Banaskantha : ડીસા DYSP ડૉ. કુશલ ઓઝાએ બનાવેલી કોરોના માર્ગદર્શિકા માટે રાજ્ય પોલીસ વડાએ આપ્યા અભિનંદન
Banaskantha: State Police Chief Congratulates Deesa DYSP for Corona Guide
Kuldeep Parmar
| Edited By: | Updated on: Aug 25, 2021 | 10:32 AM
Share

Banaskantha : કોરોના મહામારીમાં પોલીસ વિભાગની ભૂમિકા ફ્રન્ટ લાઈન વોરિયરની હતી. લોકો ઘરની બહાર ન નીકળે અને પોતાનું સ્વાસ્થ્ય જાળવે તે માટે પોલીસ પોતાના જીવના જોખમે રસ્તા ઉપર ઊભી હતી. હવે જ્યારે કોરોના મહામારીની ત્રીજી લહેરની શક્યતા છે. ત્યારે પોલીસ વિભાગના કર્મચારીઓ તેમજ તેમના પરિવારને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે રાજ્ય પોલીસ વિભાગ દ્વારા પોલીસ વિભાગમાં કામ કરતા અને મેડીકલ અભ્યાસ સાથે જોડાયેલા અધિકારીઓને પોલીસ પરિવારની સુરક્ષા માટે શું કરી શકાય તે માટે ના સૂચનો મંગાવ્યા હતા.

જે અંતર્ગત ડીસાના નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા ડૉ. કુશલ ઓઝાએ કોરોના મહામારીમાં ગુજરાત પોલીસ માર્ગદર્શિકા તૈયાર કરી છે. જે માર્ગદર્શિકાનો ડેટા આગામી સમયમાં પોલીસ કર્મચારીઓ તેમજ પોલીસ પરિવાર માટે કયા પ્રકારનું આગોતરું આયોજન થઇ શકે તે માટે બનાવી છે.

ગુજરાત પોલીસની કોરોના માર્ગદર્શિકા શું છે ? ડૉ. કુશલ ઓઝાએ પોતાના મેડિકલ અભ્યાસ તેમજ આરોગ્યની મેળવેલા જ્ઞાનના આધારે ગુજરાત પોલીસ વિભાગ માટે માર્ગદર્શિકા તૈયાર કરી છે. જે માર્ગદર્શિકામાં પોલીસ વિભાગના કર્મચારીઓથી લઇ તેમના પરિવારની વિગતો ઉલ્લેખ કરવામાં આવેલો છે. પોલીસ પોતાના તેમજ પોતાના પરિવારના સભ્યોની તમામ ડિટેલનો આ માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરશે.

માર્ગદર્શિકા જે-તે પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી પાસે જમા કરાવવાની રહેશે. જેથી પોલીસ કર્મચારીઓ માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરેલી તમામ બાબતો જેવી કે કોરોના વેક્સિન લીધી છે કે કેમ ? તમને કોરોના થયો છે કે કેમ ? કોરોના બાદ અત્યારે તમારી શારીરિક સ્થિતિમાં શું પરિવર્તન છે ? તમને અન્ય કોઈ બીમારી છે કે કેમ ? ઘરમાં કેટલા લોકોને કોરોના થયો છે ? આ તમામ બાબતોની તલસ્પર્શી માહિતી પોલીસ સ્ટેશનમાં રહેશે. જેથી કોરોનાની ત્રીજી લહેર સમય કયા પોલીસ કર્મચારીને કેટલી તકેદારી રાખવી જોઇએ તે બાબતે ગુજરાત પોલીસ વિભાગ યોગ્ય પગલાં લઈ શકે.

ડૉ. કુશલ ઓઝાએ ગુજરાત પોલીસ કોરોના માર્ગદર્શિકા બનાવી તે બદલ રાજ્ય પોલીસ વડાએ આપ્યા અભિનંદન આગામી સમયમાં કોરોનાથી વધુ તકલીફ ન પડે તે માટે ડૉ. કુશલ ઓઝાએ જે માર્ગદર્શિકા બનાવી છે. તેને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પણ વખાણી છે. આશિષ ભાટિયાનું કહેવું છે કે રાજ્યના પોલીસ વિભાગમાં એક ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવતાં તમે રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારની ચિંતા કરી છે.

તે બાબત ખરેખર અભિનંદનને પાત્ર છે. તમારી માર્ગદર્શિકા આગામી સમયમાં પોલીસ વિભાગને કોરોનાથી કઈ રીતે બચાવી શકાય તે માટે ઉપયોગી બનશે. જે માટે રાજ્યના પોલીસ વડા આવતી અને પોલીસ પરિવાર વતી હું અભિનંદન આપું છું.

મારો આરોગ્ય અભ્યાસ પોલીસને વિકટ સમયે કામ આવે તે માટે બનાવી છે માર્ગદર્શિકા : ડૉ. કુશલ ઓઝા કોરોના માર્ગદર્શિકા મામલે નાયબ પોલીસ અધિક્ષક ડૉ. કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે મારો BHMS માં મેડિકલનો અભ્યાસ પોલીસ પરિવારોને વિકટ સમયે કામ આવે તે મારૂં સૌભાગ્ય છે. સરકારે અગાઉ રાજ્ય પોલીસવડાના આદેશથી જિલ્લામાં પણ પોલીસ કર્મચારીઓને કોરોના થયો હતો તેમની સાથે વ્યક્તિગત વાત કરી હતી. તેમને પડી રહેલી તકલીફ માં કઈ રીતે બહાર નીકળી શકાય તે માટે માર્ગદર્શન પણ આપ્યું હતું.

અનેક પોલીસ કર્મચારીઓને કોરોના મહામારી દરમિયાન કોરોના સંક્રમણ થતાં તેમના સ્વાસ્થ્ય નું હોસ્પિટલમાં જઈ જાતે નિરીક્ષણ પોલીસના ઉચ્ચ અધિકારી તરીકે મેં કર્યું હતું. રાજ્ય પોલીસ વડાએ પોલીસ વિભાગમાં કામ કરતા અને મેડીકલ અભ્યાસ સાથે જોડાયેલા ઉચ્ચ અધિકારીઓ સાથે મંથન કરી કોરોના મહામારીમાં શું કરી શકાય તે માટેના નિવેદનો મંગાવ્યા હતા. જે અંતર્ગત મેં માર્ગદર્શિકા તૈયાર કરી છે.

જે પોલીસ કર્મચારીઓ તેમજ પોલીસ પરિવારની તમામ ડીટેલ જે તે પોલીસ સ્ટેશનમાં રહેશે. જેથી આગામી સમયમાં કોરોના મહામારીમાં પોલીસ અને પોલીસ પરિવારને બચાવવા માટે શું કરી શકાય તેની તકેદારીના પગલાં માર્ગદર્શિકા આધાર લઈ શકાય.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">